Friday 10 March 2017

💐āŠļુāŠœાāŠĪા āŠŪāŠđેāŠĪા🌷

💐સુજાતા મહેતા🌷

March 11
                
🐠ગુજરાતી રંગમંચ અને હિન્દી ફિલ્મની સુપ્રસિદ્ધ અભિનેત્રી સુજાતા મહેતાનો જન્મ તા. ૧૧/૩/૧૯૫૯ના રોજ નવસારીમાં થયો હતો.

🐠તેમના પિતા પ્રહલાદરાય સ્વાતંત્ર્યસેનાની  અને માતા રેખાબહેન મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા હતા. તેમનો પરિવાર અભિનય સંસ્કારો ઝીલીને તેમણે બાળપણથી જ તેઓ રંગભૂમિ પર અભિનય કરવા પ્રેરાયા હતા.

🐠 માત્ર ૧૩ વર્ષની વયે અંગેજી નાટક ‘ વેઇટ અન્ટીલ  ડાર્ક’માં તેમણે અંધ છોકરીની ભૂમિકા કરી હતી. આઈ.એન.ટી.ના બાળનાટકમાં તેમ જ હિન્દી વિડીયો ફિલ્મોમાં અભિનય કર્યો.

             
🐠  મુંબઈની રંગભૂમિ તેમણે માટે તાલીમશાળા બની રહી પોતાના કાર્યમાં ઊંડા રસ અને નિષ્ઠાએ તેમણે અભિનય સમૃધ્ધ  બનાવ્યા.

🐠કાંતિ મડીયાના ‘ અમે બરફના પંખી’માં યાદગાર અભિનય આપ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘ પેરેલિસિસ’ માં દૂરદર્શનના ટીવી નાટકોમાં તેમ જ પ્રવીણ જોશીના આઈ.એન.ટી.માં પણ યાદગાર અભિનય આપ્યો હતો. ‘ ચિત્કાર’ નાટકમાં તેમનો અભિનય ચિરકાલીન સ્મરણીય બની રહ્યો.

🐠 દૂરદર્શનની શરદબાબુની ‘ શ્રીકાંત’ નવલકથા પર આધારિત શ્રેણીમાં રાજ્લક્ષ્મીનું પાત્ર જેવા અનેક અવિસ્મરણીય પાત્રો તેમણે સફળતાપૂર્વક ભજવ્યા હતા.

🐠સુજાતાએ હિન્દી ફિલ્મ ‘ પ્રતિઘાત’માં યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત કેતન મહેતાની ‘ સરસ્વતીચંદ્ર’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં અભિનય કરી યશ પ્રાપ્ત કર્યો છે.

💐āŠāŠš.āŠŸી.āŠŠાāŠ°ેāŠ–📚

💐એચ.ટી.પારેખ📚
March 10
                                                  

  ભારતના ઔદ્યોગિક અને નાણાંકીયક્ષેત્રના અગ્રણી વહીવટકર્તા હસમુખભાઈ ટી. પારેખનો જન્મ તા. ૧૦/૩/૧૯૧૧ના રોજ સુરત પાસેના રાંદેરમાં  થયો હતો. પિતાનું નામ ઠાકોરભાઈ હતું.

તેમણે ઈ.સ. ૧૯૩૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ થયા.

ઈ.સ. ૧૯૩૬માંલંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં બેન્કિંગ અને નાણાશાસ્ત્રના વિષય સાથે બી.એસ.સી. થયાં.

ઈ.સ. ૧૯૩૭મ મુંબઈની શેરદલાલની એક પ્રતિષ્ઠિત પેઢીમાં જોડાયા તે જ સમય દરમિયાન તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી.

ઈ.સ. ૧૯૫૬માં તેમની નિમણૂક ભારતીય ઔદ્યોગિક ધિરાણ અને રોકાણ નિગમ લિમિટેડ માં નાયબ જનરલ મેનેજર ઈ.સ. ૧૯૬૯મ નાયબ ચેરમેન અને મુખ્ય સંચાલક તરીકે અને ઈ.સ. ૧૯૭૨માં નિયામકમંડળના ચેરમેનપદે કરવામાં આવી.

જુન ૧૯૭૮માં તેમણે ચેરમેનપદેથી નિવૃત્તિ સ્વીકારી. ઈ.સ. ૧૯૭૭માં તેમણે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિ. ની સ્થાપના કરી.

જેનો હેતુ જરૂરિયાતમંદને પોતાની માલિકીનું રહેઠાણ કરવાની આકાંક્ષા સંતોષવામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો.

હસમુખભાઈને આર્થિક વિકાસ , ઔદ્યોગિક ધિરાણ,મૂડીબજાર વગેરે વિષયોમાં ઊંડો રસ હતો. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાંભંડારમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્ય હતું.

વિકાસલક્ષી દેશોની આર્થિક પ્રગતિ અને ઓદ્યોગિક વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોમાં તેમણે ભાગ ભજવ્યો હતો.

તેઓ અનિલ સ્ટાર્ચ પ્રોડકસ લિ., અટીક ઇન્ડસ્ટ્રીઝ લિ., ચોકસી ટ્યૂબ કું, કેલ્વીનેટર ઓવ ઇન્ડીયા લિ. , મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ. વગેરેના નિયામકપદે સેવા આપી હતી. તેમણે અનેક પુસ્તકો પણલખ્યા છે.

ઈ.સ. ૧૯૮૩માંઇન્સ્ટીટયુટ ઓવ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ એંજ રિસર્ચની સ્થાપનામાં અગ્રભાગ લેવા બદલ સંસ્થાના ગ્રંથાલયનું  ‘ એચ.ટી.પારેખ ગ્રંથાલય ‘ નામકરણ કર