Friday 14 April 2017

🚣🚣ટાઇટેનીક🚣🚣

👉 આજનો દિવસ :-

ટાઇટેનીક જહાજ આગલી રાત્રે હિમટેકરી સાથે
  અથડાયા બાદ, અઢી કલાક પછી ડુબ્યુ.

      TITANICE :-

૧૪ એપ્રિલ, ૧૯૧૨, ટાઇટેનીક વિશે ની કેટલીક અજાણી વાતો

૧. ટાઇટેનિક પર ૧૩ કપલ હનીમૂન મનાવવા આવ્યાં હતાં.

૨. કેપ્ટન સ્મિથ ટાઇટેનિકની પહેલી ટ્રિપ બાદ નિવૃત્તિ લેવાના હતા.

૩. જહાજમાં ચાર લિફ્ટ હતી. ત્રણ ફર્સ્ટ ક્લાસમાં અને એક સેકન્ડ ક્લાસમાં.

૪. ટાઇટેનિક ટ્રેજેડીમાં બચેલાઓમાં બે કૂતરાંઓ પણ હતાં.

૫. ટાઇટેનિક પર એકપણ બિલાડી નહોતી. એ વખતે જહાજમાં બિલાડી લઈ જવું શુભ માનવામાં આવતું હતું.

૬. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની લંબાઈ જેટલું હતું ટાઇટેનિક.

૭. લંડનમાં આવેલા ટાવર બ્રિજની લંબાઈ અને ઊંચાઈ પણ લગભગ ટાઇટેનિક જેટલી જ છે.

૮. કોઈ પણ જહાજ પહેલી વાર તરતું થાય ત્યારે શેમ્પેઇનની બોટલ ખોલવાની પરંપરા છે, ટાઇટેનિકના લોન્ચિંગ વખતે આ પરંપરા તોડવામાં આવી હતી.

૯. કોલસાની હડતાળને કારણે તેની અછત ઊભી થઈ હતી, જેને લીધે ટાઇટેનિકની સૌપ્રથમ યાત્રા પર સવાલ ઊભો થયો હતો. આ અછતને કારણે વ્હાઇટ સ્ટાર લાઇન પર યાત્રા રદ કરવા દબાણ કરાયું હતું.

૧૦. એ સમયે ટાઇટેનિકની વ્હિસલનો અવાજ અન્ય કોઈ પણ જહાજની વ્હિસલ કરતાં વધુ લાંબા અંતર સુધી સંભળાય તેવો હતો. ૧૧ માઇલ સુધી તેનો અવાજ સંભળાઈ શકતો હતો.

૧૧. ૯૦૦ ટન સામગ્રી જહાજમાં લઈ જવાઈ હતી.

૧૨. જહાજ પર એક દિવસમાં ૧૪,૦૦૦ ગેલન પાણી પીવાતું હતું.

૧૩. કોલસાની રોજની ખપત ૮૨૫ ટન થતી હતી.

૧૪. જહાજમાં ૩,૫૬૦ લાઇફ જેકેટ હતાં, જે કેન્વાસ અને ઝાડની છાલમાંથી બનાવાયાં હતાં.

૧૫. જહાજમાં ૩૦ લાખથી વધુ ખીલાનો ઉપયોગ કરાયો હતો, જેમનું વજન ૧૨૦૦ ટન હતું.

૧૬. ૨૦ નોટ્સની ઝડપે બ્રેક મારતાં તે અડધો માઇલ અંતર કાપ્યા બાદ ઊભું રહી શકતું હતું.

૧૭. ટાઇટેનિકનો રેડિયો કોલ માટેનો સંકેત હતોઃ MGY

૧૮. ટાઇટેનિકનો ઓફિશિયલ શિપ નંબર હતોઃ ૧,૩૧,૪૨૮

૧૯. ઇંગ્લેન્ડના લિવરપૂલમાં પોર્ટ ઓફ રજિસ્ટ્રી ડેટ હતી ૨૪મી માર્ચ, ૧૯૧૨.

૨૦. ક્રોઝ નેસ્ટમાં બાયનોક્યુલર્સ નહોતાં. જો બાયનોક્યુલર્સ હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત.

૨૧. આઇસબર્ગ સાથે અથડાયા બાદ તે બે કલાક અને ૪૦ મિનિટમાં ડૂબ્યું હતું.

૨૨. અડધા ડૂબેલા ટાઇટેનિકનો બાકીનો ભાગ પાણીમાં ગરકાવ થતા ૧૫ મિનિટ લાગી હતી.

૨૩. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જ ટાઇટેનિકની સાઇટ પર જવાની પરવાનગી અપાય છે.

૨૪. ટાઇટેનિકનાં ત્રણ લંગરનું વજન ૩૧ ટન હતું.

૨૫. જહાજની મોટી ચેઇનનું વજન ૧૭૫ પાઉન્ડ (૭૫.૫ કિલોગ્રામ) હતું.

૨૬. સેકન્ડ ક્લાસમાં લિફ્ટ હોય તેવું ટાઇટેનિક સૌપ્રથમ જહાજ હતું.

૨૭. ટાઇટેનિકમાં ૨૯ બોઇલર હતાં, પ્રત્યેકનું વજન ૧૦૦ ટન હતું.

૨૮. જહાજની અસલી ડિઝાઇનમાં ૪૮ લાઇફબોટ રાખવાનું નક્કી કરાયું હતું. જોકે બાદમાં તેની સંખ્યા ઘટાડીને ૨૦ કરાઈ હતી.

૨૯. જહાજમાં ૫૦ ટેલિફોન સ્વિચબોર્ડ હતાં.

૩૦. તેમાં ઓપરેશન રૂમ સાથેની અત્યાધુનિક હોસ્પિટલ હતી.

૩૧. ત્રણેય વર્ગમાં બાર્બર શોપ હતી.

૩૨. ટાઇટેનિક અને તેના સિસ્ટર શિપ ગણાતા ઓલિમ્પિક પ્રથમ એવાં જહાજ હતાં, જેમાં સ્વિમિંગ પૂલ હતો.

૩૩. ટાઇટેનિકમાં તુર્કિશ, ઇલેક્ટ્રિક બાથ, જિમનેશિયમ અને પ્રથમ શ્રેણીનાં કૂતરાં માટે શ્વાનગૃહ હતાં.

૩૪. વાયરલેસ કેબિનમાં ત્રણ રૂમ હતા.

૩૫. બ્રિટિશ બોર્ડ ઓફ ટ્રેડ રેગ્યુલેશન્સની જોગવાઈ કરતાં ૧૦% મોટી લાઇફબોટ હતી.

૩૬.વાયરલેસ ઓપરેટર હેરોલ્ડ એસ. બ્રાઇડ અને જ્હોન જ્યોર્જ ફિલિપ વ્હાઇટ સ્ટાર લાઇનના કર્મચારી નહોતા. તેઓ માર્કોની કંપનીના હતા.

૩૭. ટાઇટેનિકમાંથી મોકલવામાં આવતા વાયરલેસ મેસેજમાં ઓછામાં ઓછા ૧૦ શબ્દ રહેતા. એક મેસેજના ૩.૧૨ ડોલર હતા.

૩૮. ટાઇટેનિકનો ઓફિશિયલ લોન્ચિંગ ટાઇમ ૧૨:૧૫:૦૨ am હતો.

૩૯. RMS એટલે રોયલ મેલ સર્વિસ.

૪૦. ટાઇટેનિક ક્રૂની ભરતી છઠ્ઠી એપ્રિલ, ૧૯૧૨એ થઈ હતી.

૪૧. જહાજમાં રેનોલ્ટ કાર પણ હતી.

૪૨. રસોડા માટે ૩૦૦નો સ્ટાફ હતો.

૪૩. જહાજમાં પાંચ ટપાલી હતા, જેમાં ત્રણ અમેરિકી અને બે બ્રિટિશર હતા. જહાજમાં ૩,૪૨૩ કોથળામાં સિત્તેર લાખ ટપાલ હતી.

૪૪. મુસાફર ક્ષમતા ૩૫૪૭ હતી. પ્રથમ વર્ગમાં ૯૦૫, બીજામાં ૫૬૪ ને ત્રીજામાં ૧૧૩૪. ક્રૂ મેમ્બર ૯૧૪ હતા.

૪૫. જહાજમાં નવ કૂતરાં હતાં, જહાજ ડૂબતાં પહેલાં તેમને છોડી મુકાયાં હતાં.

૪૬. ૧૨મી એપ્રિલએ ૧.૩૦ pm સુધીમાં જહાજે ૩૮૬ નોટિકલ માઇલ અંતર કાપ્યું હતું.

૪૭. ટાઇટેનિકનું ડેઇલી ન્યૂઝપેપર પણ હતું, 'ધ એટલાન્ટિક ડેઇલી બુલેટિન'. પ્રથમ વર્ગના લોકોને બ્રેકફાસ્ટ વખતે તે અપાતું હતું.

૪૮. દુર્ઘટનામાં મુસાફરો અને ક્રૂ સહિત ૧૫૦૩ જણ મૃત્યુ પામ્યા હતા.

૪૯. જ્યારે ૭૦૫ જણ બચી શક્યા હતા.

૫૦. બેન્ડની છેલ્લી ધૂનોમાં એક 'સોન્ગ દ ઓટમ' ગીતની પણ ધૂન હતી.

૫૧. એક પ્રથમ વર્ગના બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રીજા વર્ગના ૪૯ બાળક મૃત્યુ પામ્યાં હતાં.

૫૨. ચાર્લ્સ જોઘિન નામની વ્યક્તિ જ બરફ જેવા ઠંડાં પાણી સામે ખમી શકી હતી.

૫૩. ડેનિયલ બુકલી, એક પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરી લાઇફબોટમાં બેઠો હતો.

૫૪. જહાજ ડૂબ્યું ત્યારે ૩૧ ડિગ્રી તાપમાન હતું. લાઇફજેક્ટ્સ પહેરનારા મોટા ભાગના લોકો ઠંડા પાણીને લીધી મૃત્યુ પામ્યા હતાં.

૫૫. કેટલાક મૃતદેહ તણાઈને દૂર ચાલ્યા ગયા હોવાથી તેમને શોધી શકાયા નહોતા.

૫૬. મોટા ભાગના લોકો જહાજની સાથે ડૂબી ગયા હતા.

૫૭. દુર્ઘટના પછીના દિવસે સવારે ૩૦૦ મૃતદેહ બહાર કઢાયા હતા.

૫૮. પહેલી લાઇફ બોટમાં ૨૮ જણને બેસાડાયા હતા, જ્યારે તેમાં ૬૪ જણ બેસાડવાની ક્ષમતા હતી.

૫૯. ૨૨૦૮ લાઇફબોટ સીટ્સની જરૂર હતી.

૬૦. જહાજના કિચનમાં ૧૨,૦૦૦ ડિનર પ્લેટ, ૧૪,૦૦૦ ગ્લાસ, ૧૯,૦૦૦ ચમચી, બોઉલ અને ડિશના ૫,૧૦૦ સેટ હતા.

૬૧. જહાજમાં ૧૬ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતા.

૬૨. જહાજના પડખામાં ૨૦૦ પોર્ટહોલ (બખોલાં) હતાં.

૬૩. ૧૯૩૪માં વ્હાઇટ સ્ટાર લાઇન કુનાર્ડ લાઇન સાથે મર્જ થઈ ગઈ હતી.

૬૪. જહાજ આઇસબર્ગ સાથે ટકરાયા પહેલાં ૪ દિવસ ૧૭ કલાક હેમખેમ તર્યું હતું.

૬૫. કુનાર્ડ લાઇન્સનું કારપેથિયા સૌપ્રથમ રેસ્ક્યુ શિપ હતું.

૬૬. જહાજ પરના એન્જિનિયરના સ્ટાફમાંથી કોઈ બચ્યું નહોતું.

૬૭. ટાઇટેનિકે ૫૦૦ માઇલ દૂર તેના સિસ્ટર શિપ ઓલિમ્પિકને ડિસ્ટ્રેસ કોલ કર્યો હતો.

૬૮. ત્રણ વર્ષમાં ૨૦૦૦ લોકોએ જહાજ બનાવ્યું.

૬૯. જળસમાધિનાં ૭૪ વર્ષ બાદ ૧૪મી જુલાઈ, ૧૯૮૬ના રોજ જહાજના કાટમાળને ફરી શોધવામાં આવ્યો હતો.

૭૦. આઇસબર્ગ સાથેની ટક્કર પહેલા છ વાર વોર્નિગ મળી હતી.

૭૧. ૧૯૮૬માં જ્યારે ફરી જહાજનો કાટમાળ શોધવામાં આવ્યો તે સમય રાતના દોઢ વાગ્યાનો હતો.

૭૨. જહાજ ડૂબ્યું ત્યારે ૩૧ ડિગ્રી તાપમાન હતું.

૭૩. સાત વર્ષની બચેલી ઇવા હાર્ટનું ૯૧ની વયે નિધન થયું હતું.

૭૪. ત્રીજા વર્ગના ૪૯ બાળક મૃત્યુ પામ્યાં હતાં.

૭૫. ટાઇટેનિક ફિલ્મની હીરોઇન રોઝનું પાત્ર એલિનોર શુમન નામના દાદીમાના પાત્રથી પ્રેરિત હતું. તેમનું ૮૭ વર્ષની વયે મૃત્યુ થયું હતું.

૭૬. કેપ્ટન સ્મિથનો વાર્ષિક પગાર ૧૨૫૦ પાઉન્ડ હતો.

૭૭. જહાજમાં વાઇનની ૧,૦૦૦ બોટલ હતી.

૭૮. જહાજના ભંડારામાં ૪૦,૦૦૦ ઇંડાં, ૩૪,૦૧૯ કિલોગ્રામ તાજું માંસ હતું.

૭૯. ૬,૦૦૦ ટેબલક્લોથ્સ અને ૫૦,૫૦૦ ટોવેલ હતાં.

૮૦. જહાજ સાથે અથડાયેલા આઇસબર્ગની ઊંચાઈ દરિયાના તળિયેથી ૩૦ મીટર હતી.

૮૧. ટાઇટેનિક હજારો સપનાં સાથે લઈને દરિયાના પેટાળમાં ૩૭૮૪ મીટર નીચે દફન થયું હતું.

૮૨. ટાઇટેનિક જ્યાં ડૂબ્યું તે જગ્યા કિનારાથી ૬૦૦ કિ.મી. દૂર હતી.

૮૩. ૧૯૮૫માં મળેલા કાટમાળમાં પુસ્તકો પણ મળ્યાં હતાં.

૮૪. ત્રણ વિશાળ લંગરનું વજન ૨૦ કાર બરાબર હતું.

૮૫. ચીમનીઓ એટલી મોટી હતી કે તેમાંથી બે ટ્રેન પસાર થઈ શકતી હતી.

૮૬. ક્યારેય લાઇફબોટ ડ્રિલ કરી નહોતી.

૮૭. ટાઇટેનિકમાં હાજર મુસાફરોમાંથી એક તૃતિયાંશ લોકો જ લાઇફબોટમાં બેસી શકતાં હતાં.

૮૮. કારપેથિયા સર્વાઇવર્સને લેવા આવ્યું હતું, પરંતુ તેની નજીકથી પસાર થયેલા એક કેલિર્ફોિનયન ધ્યાન ન આપ્યું.

૮૯. બ્રિટનમાં સાઉધમ્પ્ટન બંદર છોડતાં પહેલાં એક નાનકડા જહાજ સાથે અથડાતાં રહી ગયું હતું.

૯૦. ૧૨મી એપ્રિલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ટાઇટેનિકે ૩૮૬ માઇલ અંતર પૂરું કરેલું.

૯૧. ૩૫૬૦ લાઇફજેક્ટ

૯૨. યુનેસ્કો જહાજના કાટમાળનો સંગ્રહ છે.

૯૩. તેના બે લાખથી વધુ દસ્તાવેજોનો રેકર્ડ ઇન્ટરનેટ પર મૂકવામાં આવ્યા છે.

૯૪. બેલફાસ્ટમાં ટાઇટેનિકની યાદમાં ભવન બનાવાયું છે.

૯૫. પ્રથમ વર્ગના એક બાળકનું મૃત્યુ થયેલું.

૯૬. જહાજના ટુકડા થયા બાદ પણ જહાજમાં ૧૦૦૦ મુસાફરો હતાં.

૯૭. ટાઇટેનિકનો કાટમાળ ૧૨,૪૧૫ ફૂટના ઊંડાણમાં છે.

૯૮. એ વખતના સૌથી મોટા ઉદ્યોગપતિ જે. પી. મોર્ગન, ચોકલેટ કિંગ મિલ્ટન એસ. હેરશે જહાજમાં જઈ શક્યા નહોતા.

૯૯. એ વખતે અમેરિકાના મલ્ટિમિલિયોનેર જે. જે. ઓસ્ટરનું મૃત્યુ થયું હતું.

૧૦૦. દુર્ઘટનામાં બચેલી મિલવાના ડીન એ વખતે છ માસની હતી. ટાઇટેનિક રિલીઝ થયા બાદ મિલવાનાનું મૃત્યુ થયું હતું.

👉 ૧૪ વર્ષ પહેલાં ટાઈટેનિકની આગાહી!

* ટાઇટેનિક સૌથી મોટું ભવ્યશાળી જહાજ હતું. નોવેલમાં પણ આવા જ જહાજનું વર્ણન છે. પુસ્તકમાં પણ આ જહાજ ક્યારેય ન ડૂબનારું લખવામાં આવ્યું છે.

* ટાઇટેનિકમાં ૨૦ લાઇફબોટ હતી, પુસ્તકમાં પણ ૨૪ લાઇફબોટનો ઉલ્લેખ કરાયો છે.

* પુસ્તક મુજબ જહાજ એપ્રિલ મહિનાની કોઈ રાત્રે ડૂબ્યું હતું. ટાઇટેનિક પણ ૧૪ એપ્રિલે રાત્રે ડૂબ્યું હતું.

--🌷💐🌷💐🌷💐🌷📨

💐💐 લિયોનાર્દો દ વિન્ચી💐💐

👉 આજનો દિવસ :-

    લિયોનાર્દો દ વિન્ચી

જગતના મહાન ચિત્રકાર અને ‘મોનાલીસા’ ચિત્રના સર્જક જીનીયસ લિઓનાર્દો દ વિન્ચીનો જન્મ 15/4/1452 ના રોજ ઇટાલીમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન વિજ્ઞાની પણ હતા. તેણે જે જે કલ્પનાઓ કરી હતી તે બધી જ સાકાર થઇ ચૂકી છે. મશીનગન, સબમરીન તેમ જ બે માળવાળું વહાણ પણ બનાવ્યું હતું. એક ફિઝિશિયનની સાથે  રહીને તેણે શરીર રચનાઓ ગહન અભ્યાસ શરૂ કર્યો હતો. ઉગ્ર કલાસાધનાના અંતે તેમણે ‘મોનાલિસા’ ચિત્રનું સર્જન કર્યું. મોનાલિસાના ચહેરા પરના ભાવ, તેની આંખો, તેનું હાસ્ય આ બધાને કારણે આ ચિત્રનો જાદુ આજેય એવો જ છે. દુનિયાની સૌ પ્રથમ મોટી ઘડિયાળના સંશોધક તરીકે બહુમાન તેમને ફાળે જાય છે. એ  પછી તો તેમની શોધોની વણથંભી વણજાર ચાલુ રહી. અંતે તેમણે હેલિકોપ્ટરની ડિઝાઇન પણ બનાવેલી. બાદમાં લિઓનાર્દો કામની શોધમાં રોમ ગયા. પરંતુ તેને કોઇ કામ આપવા રાજી જ હતું. તેનું એક કારણ એ હતું કે તે શરીરશાસ્ત્રના અભ્યાસ માટે મૃતદેહને ચીરીને, તેના ચિત્રાંકનો કરતા હતા. છેવટે તેમણે સદાને માટે ઇટાલીનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ જિંદગીના બાકીના વર્ષો તેણે ફ્રાન્સના રાજાની સેવામાં પસાર કર્યા હતા. પોતાનું વસિયતનામું બનાવી ઇ.સ. 1519 ના એક દિવસે એમણે નશ્વર દેહ છોડ્યો. રાજા ફ્રાન્સિસે કહ્યું હતું કે, ‘લીઓનાર્દો જેટલું જ્ઞાન ઘરાવનારો અન્ય કોઇ આખી પૃથ્વી પર પાક્યો નથી’.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

💐🏵મનહર મોદી🏵 💐

🀄👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🀄

🏵મનહર મોદી🏵
                     
📨〰મન હરિ લેતી ગઝલોના ગુજરાતી કવિ મનહર મોદીનો જન્મ તા.૧૫/૪/૧૯૩૭ ના રોજ અમદાવાદમાં થયો હતો.

📨〰 પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ  તેમણે ઈ.સ.૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા.

📨〰ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ઈ.સ.૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ.પાસ કર્યું.

📨〰ઈ.સ.૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા.

📨〰અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક બન્યા.

📨〰 તેઓ નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રીપદેરહ્યા હતા. તેમનો ‘આકૃતિ’’એમનો પહેલો કાવ્યસંગ્રહ છે.

📨〰એમનો બીજો ‘’ઓમ તત્ સત્’’ નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે.

📨〰એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ પ્રગટ થયો છે.

📨〰એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે.

📨〰 અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે.

📨〰 ‘ હસુમતી અને બીજા’માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે.

📨〰એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે ‘ગાઈ તે ગઝલ’ જેવં સંપાદનો આપ્યાં છે.

📨〰‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.

🌻📮સમીર પટેલ 📮🌻
🍂🍂જ્ઞાન કી દુનિયા 🍂🍂