Friday 14 April 2017

💐🏵મનહર મોદી🏵 💐

🀄👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🀄

🏵મનહર મોદી🏵
                     
📨〰મન હરિ લેતી ગઝલોના ગુજરાતી કવિ મનહર મોદીનો જન્મ તા.૧૫/૪/૧૯૩૭ ના રોજ અમદાવાદમાં થયો હતો.

📨〰 પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ  તેમણે ઈ.સ.૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા.

📨〰ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ઈ.સ.૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ.પાસ કર્યું.

📨〰ઈ.સ.૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા.

📨〰અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક બન્યા.

📨〰 તેઓ નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રીપદેરહ્યા હતા. તેમનો ‘આકૃતિ’’એમનો પહેલો કાવ્યસંગ્રહ છે.

📨〰એમનો બીજો ‘’ઓમ તત્ સત્’’ નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે.

📨〰એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ પ્રગટ થયો છે.

📨〰એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે.

📨〰 અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે.

📨〰 ‘ હસુમતી અને બીજા’માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે.

📨〰એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે ‘ગાઈ તે ગઝલ’ જેવં સંપાદનો આપ્યાં છે.

📨〰‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.

🌻📮સમીર પટેલ 📮🌻
🍂🍂જ્ઞાન કી દુનિયા 🍂🍂

No comments:

Post a Comment