Thursday 13 April 2017

๐Ÿต๐Ÿ›กเชกૉ.เชฌી.เช†เชฐ.เช†ંเชฌેเชกเช•เชฐ ๐Ÿ›ก๐Ÿต

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “ જગતમાં જે કાંઈ ઉથલ પાથલ થાય છે,તે માનવ દ્વારા જ થતી હોય છે.આ હકીકત છે. તમારો ઉધ્ધાર કરવા કોઈ આવવાનું નથી, તમારો ઉધ્ધાર તમારે જ કરવાનો છે.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “પોતાના ગરીબ અને અભણ બાંધવોની સેવા કરવી એ દરેક સુશિક્ષિત વ્યકિતનું પ્રથમ કર્તવ્ય છે. ઊંચા હોદ્દા પર પહોચ્યા બાદ જો તેઓ દુર્લભ કરશે તો સમાજની નાશ થશે એમાં શંકા નથી.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊  ‘ જે સમાજમાં હું જન્મ્યો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.”

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

📨〰ભારતીય બંધારણના ઘડવૈયા તથા દલિતોના મસીહા એવા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ તા. ૧૪/૪/૧૮૯૧ના દિવસે ઇન્દોરના મહુ ગામમાં અસ્પૃશ્ય ગણાતી એવી મહાર  જાતિમા થયો હતો.

📨〰 પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.

📨〰નાની વયે પિતાનું અવસાન ,બીમાર માતા અને ગરીબાઈ ને કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો.

📨〰 સમાજની અંધશ્રધ્ધા તથા અસ્પૃશ્યતાને કારણે શાળાકીય જીવન દરમ્યાન અનેક હડધૂત અને અપમાન સહન કર્યા.

📨〰સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષ્ણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી.

📨〰એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ ‘ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે.

📨〰આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.

📨〰વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો.

📨〰વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી.તેઓ સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કાયદાપ્રધાન બન્યા.

📨〰ભારતીય બંધારણની રચના કરી.

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿

📨〰ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી.

📨〰ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી.

📨〰 એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો.

📨〰જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે.

📨〰પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ ‘મનુસ્મૃતિ‘ની જાહેરમાં હોળી કરી અને ‘મૂક નાયક‘ મરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

📨〰 સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા.

📨〰ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

📨〰જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.

📨〰 ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.

📨〰દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી અને ભારત રત્ન ડો. બી.આર, આબેડકરનું  ૬ ડીસેમ્બર ૧૯૫૬ના રોજ અવસાન થયું.

⛱ સમીર પટેલ ⛱
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

No comments:

Post a Comment