Wednesday 8 March 2017

💐āŠĻāŠĩāŠēāŠ°ાāŠŪ āŠŠંāŠĄ્āŠŊા💐

💐નવલરામ પંડ્યા💐

                   

🍎    ગુજરાતી સાહિત્યના આદ્ય વિવેચક,નાટ્યકાર, કવિ અને નિબંધકાર નવલરામ પંડ્યાનો જન્મ તા.૯/૩/૧૮૬૮ ના રોજ સુરતમાં થયો હતો.

🍎 પિતાનું નામ લક્ષ્મીરામ અને માતાનું નામ નંદકોર હતું. તેઓ જ્ઞાતિએ વિસનગરા નાગર બ્રાહ્મણ હતા. તેમણે ઈ.સ.૧૮૫૩માંમેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓ ગણિતમાં ખૂબ જ હોંશિયાર હતા.

🍎ઈ.સ.૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષકબન્યા ત્યારપછી ઈ.સ. ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક તરીકે સેવા આપી ઈ.સ.૧૮૭૦ થી અમદાવાદનીટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ અને ઈ.સ.૧૮૭૬ થી રાજકોટની ટ્રેનિંગ કૉલેજનાપ્રિન્સિપાલ તરીકે કામગીરી કરી. ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી તરીકે રહ્યા.વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’ તેમના ઉપનામ હતા.

                 
🍎    ગુજરાતી સાહિત્યને પોતાની પૂરી શક્તિથી સમૃદ્ધ બનાવવા મથામણ કરી હતી. ‘ ભટ્ટનું ભોપાળું’ નામનું નાટક મૂળ ફ્રેંચ નાટકનું વેશાંતર હોવા છતાં મૂળ કૃતિ જેટલું જ લોકપ્રિય બન્યું છે.

🍎આ ઉપરાંત ‘ વીરમતી’ નાટક પણ તેમણે રચના કરી હતી. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા ‘ કરણઘેલો’ ના વિવેચનથી ગ્રંથ વિવેચનનો પ્રારંભ કર્યો હતો. ‘ ગુજરાત શાળાપત્ર’ના તેઓ તંત્રી હતા.

🍎‘ બાળલગ્ન બત્રીસી  અને બાળ ગરબાવલી’માં સમાજ સુધારણાલક્ષી  કવિતા તેમણે આપી છે. ‘ મેઘદૂત’નું ભાષાંતર પણ તેમણે કર્યું છે.        

🍎અર્વાચીન સાહિત્યના આરંભકાળે સ્વસ્થ , કર્તવ્યનિષ્ઠ વિવેચના મારફતે તેમણે ગુજરાતી વિવેચનનો પાયો નાખ્યો. તેઓ પંડિત , કવિ, વિવેચક અને ચિંતક હતા એમ કહીને નરસિંહરાવ દિવેટીયાએ યોગ્ય જ મૂલ્યાંકન કર્યું છે.

🍎તેમની વિવેચનાને ‘ મધુકરનો ગુંજારવ’ તરીકે ઉચિત રીતે જ ઓળખાવાઈ છે. એમણેપ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે.

🍎એમના સમગ્રસાહિત્યનું સંકલન કરીને  ગોવર્ધનરામે‘નવલગ્રંથાવલિ’ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે.

🍎નવલરામ પંડ્યા સાતમી ઓગસ્ટ ૧૮૮૮ના રોજ અવસાન થયું હતું.

*💭💭āŠĪિāŠ°્āŠĨāŠ—ાāŠŪ / āŠŠાāŠĩāŠĻāŠ—ાāŠŪ āŠŊોāŠœāŠĻા💭💭*

*💭💭તિર્થગામ / પાવનગામ યોજના💭💭*

*➖⚪ઉદેશો:-*

*➖🌷રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.*

*➖🌷આ અંગે તિર્થગામ તરીકે જાહેર થનાર ગામને ૨.૦૦ લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને એક લાખનું પ્રોત્સાહક અનુદાન .*

*➖🌷સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. તીર્થગામ/ પાવનગામ માટે નું પ્રોત્સાહક અનુદાન મેળવવાના ધોરણો નીચે પ્રમાણે છે.*

*➖🌷છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તેને તીર્થગામ અને છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોય તો તેને પાવનગામ જાહેર કરવાની મુખ્ય જોગવાઇ છે.*

*➖🌷તે ઉપરાંત સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણી નો ઉંચો દર, ગામમાં દલિત અને આદિજાતિ વિસ્તારમાં ગામમાં અન્ય વિસ્તારો, જેવી જ પ્રાથમિક સુવિધાઓ, જળસંચય ની જાગૃતતા, જેવી મહત્વની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્ક ના આધારે પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવાની જોગવાઇ છે. યોજનાના ઝડપી અને અસરકારક અમલ માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં પસંદગી સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે.*