📚📚📚📚📚📚
*જીકે એન્ડ જીકે*
*!!!!એચ.કે!!!!*
*સામાજિક વિજ્ઞાન*
*ધોરણ: 6* * સત્ર: 2*
*પ્રકરણ - 7 શાંતિ અને અહિંસાનો સંગમ*
✍✍✍✍✍
1.ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?
✅જવાબ: સારનાથ
2.મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?
✅જવાબ: 24માં
3.ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?
✅જવાબ: શંકરાચાર્યે
4.ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
✅જવાબ: સિદ્ધાર્થ
5.સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?
✅જવાબ: શુદ્ધોધન
6.સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?
✅જવાબ: યશોધરા
7.સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?
✅જવાબ: ક્ષત્રિય
8.સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?
✅જવાબ: રાહુલ
9.સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?
✅જવાબ: મહાભિનિષ્ક્રમણ
10.સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?
✅જવાબ: બોધિગયા
11.ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?
✅જવાબ: કુશીનારા
12.મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?
✅જવાબ: વર્ધમાન
13.મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?
✅જવાબ: કુંડગ્રામમાં
14.ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?
✅જવાબ: પાલિ
15.મહાવીરના માતાનું નામ શું હતું ?
✅જવાબ: ત્રિશલાદેવી
16.મહાવીરના પત્નીનું નામ શું હતું ?
✅જવાબ: યશોદા
17.મહાવીરના પુત્રીનું નામ શું હતું ?
✅જવાબ: પ્રિયદર્શના
18.મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?
✅જવાબ: પાંચ
19.ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?
✅જવાબ: બૌદ્ધ
20.મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?
✅જવાબ: પશુહિંસા
*📁📂એય.કે📁📂*
21.લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?
✅જવાબ: 2500 વર્ષ
22.ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?
✅જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં
23.ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?
✅જવાબ: માયાવતી
24.સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?
✅જવાબ: શાક્ય
25.સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?
✅જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે
26.ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?
☑જવાબ: દુ:ખનો દરિયો
27.ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?
✔જવાબ: સત્યની
28.ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?
☑જવાબ: વૈશાખી પૂર્ણિમાએ
29.ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?
✔જવાબ: પીપળાના
30.ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?
☑જવાબ: 45 વર્ષ
31.ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?
☑જવાબ: 80 વર્ષની
32.જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?
✔જવાબ: 36 વર્ષની
33.ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?
☑જવાબ: તૃષ્ણા
34.ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?
☑જવાબ: ગાર્ગી
35.કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?
☑જવાબ: કિસા ગૌતમી
36.મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?
✔જવાબ: 30 વર્ષની
37.મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?
☑જવાબ: 12 વર્ષ
38.મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?
✔જવાબ: સિદ્ધાર્થ
39.મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?
☑જવાબ: અહિંસા
40.મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?
✔જવાબ: અસત્ય
41.બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?
☑જવાબ: રાઈના દાણા
42.જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?
✔જવાબ: સંઘો અને વિહારોમાં