Thursday 16 March 2017

๐ŸŽ๐ŸŽเชจ્เชนાเชจાเชฒાเชฒเช•เชตિ๐ŸŽ๐ŸŽ

🍎🍎ન્હાનાલાલકવિ🍎🍎

March 16

🍋ગુજરાતી  સાહિત્યના ઊર્મિ કવિ ન્હાનાલાલ નો જન્મ તા. ૧૬/૩/૧૮૭૭ને ગુડી પડવોના દિવસે અમદાવાદમાં થયો હતો.

🍋તેમના પિતા દલપતરામ ‘ અર્વાચીનમાં આદ્ય કવિ હતા. માતાનું નામ રેવાબેન અને પત્નીનું નામ માણેકબેન હતું.

🍋તેમણે ‘ પ્રેમભક્તિ’ તખલ્લુસથી કાવ્યસર્જન કર્યું છે. તેઓ કવિતા ઉપરાંત નાટ્યલેખક, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે સાહિત્ય સર્જન કર્યું છે. તેમની મૂળ અટક ત્રિવેદી હતી.

🍋અગિયાર વર્ષની નાની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી.નાનપણમાં તોફાની અને અલ્લડ સ્વભાવના આ કવિએ ઈ.સ.૧૮૯૩માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.ગુજરાત કોલેજ, મુંબઈ અને પુના કોલેજમાં શિક્ષણનો લાભ લીધો.

🍋તેઓ ઈ.સ. ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય  સાથે  બી.એ. અને ઈ.સ. ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા હતા.

🍋તેમની બીજી ભાષા ફારસી હતી. ઈ.સ. ૧૯૦૨ થી ૧૯૦૪ દરમ્યાન સાદરાની સ્કોટ કોલેજમાં અને ત્યારપછી રાજકોટની કોલેજમાં અધ્યાપનની કામગીરી કરી. આ જ સમયગાળા એમને રાજકોટ રાજીના સર ન્યાયાધીશ તરીકે અને નાયબ દીવાન તરીકે કામગીરી કરી હતી.

🍋 ઈ.સ. ૧૯૧૮માં કાઠીયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે પસંદગી થઇ. ગાંધીજીના અસહકારની ચળવળથી તેઓ પ્રભાવિત  થયા અને નોકરીમાંથી રાજીનામું આપીદીધું.

🍋રાજકોટના બદલે અમદાવાદમાં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું.   ઈ.સ.૧૯૧૯ માંગાંધીજીની પચાસમી જન્મજયંતી ને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર  અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલારાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાનબનાવ્યું.

🍋તેમણે ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩, ‘ન્હાના ન્હાનારાસ’-ભા.૧-૨-૩ , ‘ગીતમંજરી’-૧-૨ , ‘રાજસૂત્રોનીકાવ્યત્રિપુટી’ , ‘ચિત્રદર્શનો’ , ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ , ‘દાંપત્યસ્તોત્રો’ , ‘બાળકાવ્યો’ , ‘મહેરામણનાં મોતી’ , ‘સોહાગણ’ , ‘પાનેતર’  તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ કાવ્યસંગ્રહો આપ્યા છે.

🍋તેમના  કાવ્યો પ્રકૃતિ સૌદર્ય,પ્રણય અને પ્રભુ તેમના મુખ્ય વિષયો છે.તેમણે કાવ્યમાં પરંપરાગત અક્ષરમેળ અને માત્રામેળ છંદોનો તો અસરકારક ઉપયોગ કર્યો છે. તેમણે માત્ર છંદ નહી પરંતુ ભાવના અને તેને અનુવર્તતા વાણીના ડોલન એટલે કે લયને મહત્વ આપી કવિએ સૌપ્રથમ ‘ ઈન્દુકુમાર’ નાટકમાં આવી ડોલનશૈલીનો પ્રયોગ કર્યો.

🍋આ ઉપરાંત વસંતોત્સવ, અઓજ અને અગર જેવા કાવ્યોમાં ડોલન શૈલીનો ઉપયોગ કર્યો છે. તેમણે ‘ઈન્દુકુમાર’, ‘પ્રેમકુંજ’ , ‘ ગોપિકા’, ‘પુણ્યકથા’ ‘ જગતપ્રેરણા’ જેવા ૧૪ નાટકોલખ્યા છે. ‘ ઉષા અને સારથી’ તેમની નવલકથા છે. 

🍋 અને ‘ પાંખડીયો’ તેમનોતેમનું અવસાન તા. ૯/૧/૧૯૪૬ના રોજ અમદાવાદમાં થયું હતું