Wednesday 26 April 2017

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📨➖વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, દર વર્ષે એપ્રિલ ૨૬નાં રોજ ઉજવવામાં આવે છે.

📨➖આ પ્રસંગ સને.૨૦૦૧ માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization) (WIPO) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો.

📨➖જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા,વિશ્વભરમાં સમાજનાં વિકાસ માટે, કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".

📨➖આ માટે એપ્રિલ ૨૬નો દિવસ નક્કિ કરાયો કારણકે સને.૧૯૭૦ માં આ દિને "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન" ની સ્થાપના કરાયેલ.

🌺જ્ઞાન કી દુનિયા 🌺
📮👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📮

📮શ્રી નિવાસ રામાનુજન 📮

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

📮26 એપ્રિલ મ્રુત્યુ 📮
📮શ્રી નિવાસ રામાનુજન 📮

📨➖ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો.

📨➖ ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા.

📨➖દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા.

📨➖એમની સ્મરણ શક્તિ અનન્ય હતી.

📨➖સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી.

📨➖એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી.

📨➖ પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી.

📨➖તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : *રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે.તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’*.

📨➖ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું.

📨➖શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો.

📨➖સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો.

📨➖ રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.

🌺જ્ઞાન કી દુનિયા 🌺