Sunday 25 December 2016

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
*.૧૯૯૯ -રાજેન્દ્ર શાહ
*.૨૦૦૦ -મકરંદ દવે
*.૨૦૦૧ -નિરંજન ભગત
*.૨૦૦૨ -અમૃત ઘાયલ
*.૨૦૦૩ -જયંત પાઠક
*.૨૦૦૪ -રમેશ પારેખ
*.૨૦૦૫ -ચંદ્રકાન્ત શેઠ
*.૨૦૦૬ -રાજેન્દ્ર શુક્લ
*.૨૦૦૭ -સુરેશ દલાલ
*.૨૦૦૮ -ચિનુ મોદી
*.૨૦૦૯ -ભગવતીકુમાર શર્મા
*.૨૦૧૦ -અનિલ જોશી
*.૨૦૧૧ -ભાનુપ્રસાદ પંડ્યા
*.૨૦૧૨ -માધવ રામાનુજ
*.૨૦૧૩ -નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
*.૨૦૧૪ - હરીશ મિનાશ્રુ
*.૨૦૧૫ - મનોહર ત્રિવેદી
*.૨૦૧૬ - જલન માતરી

Ss6$2 *_આપત્તિ અને વ્યવસ્થાપન_*

*_જીકે એન્ડ જીકે_*
        *_💘એચ.કે_*💘

*_સામાજિક વિજ્ઞાન_*   

ધોરણ: 6   સત્ર: 2
પ્રકરણ - 10

*_આપત્તિ અને વ્યવસ્થાપન_*

📚📚📚📚📚
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?

✍જવાબ: લંબ દિશામાં

2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ?

✍જવાબ: ભૂકંપ

3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?

✍જવાબ: બંધ કરવો

4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?

✍જવાબ: પૂર

5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?

✍જવાબ: દુષ્કાળ

6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?

✍જવાબ: દાવાનળ

7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ

8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?

✍જવાબ: આગ

9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?

✍જવાબ: ઔદ્યોગિક અકસ્માત

10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?

✍જવાબ: ત્સુનામી

11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?

✍જવાબ: ત્સુનામી

12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?

✍જવાબ: હુલ્લડ

13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: દુકાળ

14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: જંગલની આગ

15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?

✍જવાબ: વાવાઝોડું

16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?

✍જવાબ: સૂકો દુકાળ

17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?

✍જવાબ: લીલો દુકાળ

18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?

✍જવાબ: ભૂકંપ

19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?

✍જવાબ: જ્વાળામુખી

20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?

✍જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી

21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?

✍જવાબ: આપેલા ત્રણેય

22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: શારીરિક અસર

23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: માનસિક અસર

24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: આર્થિક અસર

25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: સામાજિક અસર

 

*જીકે એન્ડ જીકે* * *Std :6*

*જીકે એન્ડ જીકે*
         *એચ.કે*
*Std :6*

1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?

જવાબ: જૂનાગઢમાં

2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?

જવાબ: અર્થશાસ્ત્રમાં

3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?

જવાબ: પાટલિપુત્ર

4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?

જવાબ: તક્ષશિલા

5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?

જવાબ: કલિંગના

6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?

જવાબ: સિલોન (શ્રીલંકા)

7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?

જવાબ: મહેન્દ્ર

8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?

જવાબ: ઓરિસ્સા

9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?

જવાબ: ઉપગુપ્ત

10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?

જવાબ: બિંદુસાર

11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?

જવાબ: સંઘમિત્રા

12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?

જવાબ: મૌર્ય વંશ

13.બિન્દુસાર કોનો પુત્ર હતો ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો

14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?

જવાબ: 4

15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?

જવાબ: ધર્મોપદેશક

16.ભારતની રાજમુદ્રા કઈ છે ?

જવાબ: સારનાથનો સિંહસ્તંભ

17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?

જવાબ: 2300 વર્ષ

18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે

19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?

જવાબ: સમ્રાટ અશોકે

20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?

જવાબ: રાજયપાલ

21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?

જવાબ: કલિંગ

22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?

જવાબ: લગભગ દોઢ લાખ

23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?

જવાબ: એક લાખથી પણ વધારે

24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?

જવાબ: ધમ્મના

25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?

જવાબ: ચાણક્યએ

26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?

જવાબ: મગધ

27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?

જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો

28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: યવન રાજાઓનું

29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: શક રાજાઓનું

30.શકો પછી કોનું શાસન સ્થપાયું ?

જવાબ: કુષાણોનું

31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?

જવાબ: પુષ્પમિત્ર શુંગ

32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?

જવાબ: કણ્વ

33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: આપેલા ત્રણેય

34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: પલ્લવ, ચાલુક્ય

*💘હરેશ💘*
                *💘HK💘*