Sunday 25 December 2016

*જીકે એન્ડ જીકે* * *Std :6*

*જીકે એન્ડ જીકે*
         *એચ.કે*
*Std :6*

1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?

જવાબ: જૂનાગઢમાં

2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?

જવાબ: અર્થશાસ્ત્રમાં

3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?

જવાબ: પાટલિપુત્ર

4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?

જવાબ: તક્ષશિલા

5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?

જવાબ: કલિંગના

6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?

જવાબ: સિલોન (શ્રીલંકા)

7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?

જવાબ: મહેન્દ્ર

8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?

જવાબ: ઓરિસ્સા

9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?

જવાબ: ઉપગુપ્ત

10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?

જવાબ: બિંદુસાર

11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?

જવાબ: સંઘમિત્રા

12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?

જવાબ: મૌર્ય વંશ

13.બિન્દુસાર કોનો પુત્ર હતો ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો

14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?

જવાબ: 4

15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?

જવાબ: ધર્મોપદેશક

16.ભારતની રાજમુદ્રા કઈ છે ?

જવાબ: સારનાથનો સિંહસ્તંભ

17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?

જવાબ: 2300 વર્ષ

18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે

19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?

જવાબ: સમ્રાટ અશોકે

20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?

જવાબ: રાજયપાલ

21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?

જવાબ: કલિંગ

22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?

જવાબ: લગભગ દોઢ લાખ

23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?

જવાબ: એક લાખથી પણ વધારે

24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?

જવાબ: ધમ્મના

25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?

જવાબ: ચાણક્યએ

26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?

જવાબ: મગધ

27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?

જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો

28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: યવન રાજાઓનું

29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: શક રાજાઓનું

30.શકો પછી કોનું શાસન સ્થપાયું ?

જવાબ: કુષાણોનું

31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?

જવાબ: પુષ્પમિત્ર શુંગ

32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?

જવાબ: કણ્વ

33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: આપેલા ત્રણેય

34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: પલ્લવ, ચાલુક્ય

*💘હરેશ💘*
                *💘HK💘*

No comments:

Post a Comment