*જીકે એન્ડ જીકે*
*એચ.કે*
*Std :6*
1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જૂનાગઢમાં
2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?
જવાબ: અર્થશાસ્ત્રમાં
3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?
જવાબ: પાટલિપુત્ર
4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?
જવાબ: તક્ષશિલા
5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?
જવાબ: કલિંગના
6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?
જવાબ: સિલોન (શ્રીલંકા)
7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?
જવાબ: મહેન્દ્ર
8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?
જવાબ: ઓરિસ્સા
9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?
જવાબ: ઉપગુપ્ત
10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?
જવાબ: બિંદુસાર
11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?
જવાબ: સંઘમિત્રા
12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?
જવાબ: મૌર્ય વંશ
13.બિન્દુસાર કોનો પુત્ર હતો ?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો
14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?
જવાબ: 4
15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?
જવાબ: ધર્મોપદેશક
16.ભારતની રાજમુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો સિંહસ્તંભ
17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?
જવાબ: 2300 વર્ષ
18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે
19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?
જવાબ: સમ્રાટ અશોકે
20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?
જવાબ: રાજયપાલ
21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?
જવાબ: કલિંગ
22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?
જવાબ: લગભગ દોઢ લાખ
23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?
જવાબ: એક લાખથી પણ વધારે
24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?
જવાબ: ધમ્મના
25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?
જવાબ: ચાણક્યએ
26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?
જવાબ: મગધ
27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?
જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો
28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?
જવાબ: યવન રાજાઓનું
29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?
જવાબ: શક રાજાઓનું
30.શકો પછી કોનું શાસન સ્થપાયું ?
જવાબ: કુષાણોનું
31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?
જવાબ: પુષ્પમિત્ર શુંગ
32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?
જવાબ: કણ્વ
33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?
જવાબ: આપેલા ત્રણેય
34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?
જવાબ: પલ્લવ, ચાલુક્ય
*💘હરેશ💘*
*💘HK💘*
No comments:
Post a Comment