Wednesday 22 March 2017

🌻🌻 રોબર્ટ સી.ગેલો 🌻🌻

🏵🏵🌿 માર્ચ 23 🌿🏵🏵
🌻🌻 રોબર્ટ સી.ગેલો 🌻🌻

🌺🐝એક્વાયર્ડ ઈમ્યુનો ડેફીયન્સી સિન્ડ્રોમ ( એઈડ્ઝ) માટે જવાબદાર વિષાણું એચ.આઈ.વી .(હ્યુમન ઈમ્યુનો ડેફીયન્સી વાયરસ) જે માણસને રોગ પ્રતિકારક શક્તિ નાશ કરે છે.

🌺🐝આ એઈડ્ઝનો શિકાર બંને છે. આ દર્દી છેવટે ટી.બી., મલેરિયા જેવા સામાન્ય રોગોનો શિકાર બની મોતને ભેટે છે.

🌺🐝 એચ.આઈ.વી. વાયરસના શોધક રોબર્ટ સી.ગેલોનો જન્મ તા. ૨૩/૩/૧૯૩૭ના રોજ થયો હતો.

🌺🐝 તેઓ બાયોમેડીકલ સંશોધક હતા. ઈ.સ. ૧૯૫૯ માં તેમણે બી.એસ.સી.ની બાયોલોજીના વિષય સાથે ડીગ્રી મેળવી હતી.

🌺🐝ત્યારપછી ઈ.સ. ૧૯૬૩માં જેફરસન મેડીકલ કોલેજમાંથી એમ.ડી. થયા. આ ઉપરાંત મેડીકલ રેસીડન્સી એન્ડ ઇન્ટરશીપ શિકાગો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું.

🌺🐝તેઓ ઇન્સ્ટીટયુટ ઓફ હ્યુમન વાઈરોલોજીના સંસ્થાપક અને નિયામક હતા.

🌺🐝એઈડ્ઝના ચેપ માટે જવાબદાર જીવાણું શોધ્યા પહેલા ગોલોએ માણસોને કેન્સર થવા માટે જવાબદાર હ્યુમન લ્યુકેમિયા વાયરસ ( એચટીએલવી)ને સૌપ્રથમ ઓળખી બતાવ્યો હતો.

🌺🐝ઈ.સ. ૧૯૭૬માં તેમણે સાથી  સંશોધકોના સહયોગથી ‘ ઇન્ટરલ્યુકીનર’ની શોધ કરી હતી.

🌺🐝 કેન્સર અને ક્યારેક એઈડ્ઝના રોગમાં આ થેરાપીનો ઉપયોગ થાય છે.ઈ.સ.૧૯૮૬માં ગેલોની ટીમે કેટલાક નવા હ્યુમન હર્પીસ વાઈરસ શોધ કાઢ્યા.

🌺🐝 છેલ્લા ૨૫ વર્ષ કરતાં વધુ સમયમાં એચએલવી-૩ની શોધ સર્વપ્રથમ થઇ. પાછળથી આ વાઈરસ થકી રોઝીઓલા તથા વ્યાપકપણે થતાં સોરાઈસીસ થતો હોવાનું જણાવ્યું હતું.

🌺🐝ઈ.સ.૧૯૮૭માં એઇડ્સ  માટે લોહીનો ટેસ્ટ કરવાની પધ્ધતીના પેટન્ટ અધિકારો મળતા ફ્રાંસના સંશોધકોએ કાગારોળ મચાવી પરંતુ સમગ્ર માનવજાત માટે ખતરારૂપ રોગ સામે લડવાના વિવાદમાં બધાને નુકસાન થવાનું છે.

🌺🐝 એટલે તે સમયના અમેરિકન પ્રમુખ રોનાલ્ડ એગન અને ફ્રાન્સના પ્રમુખ ચિરાકે આ વિવાદમાં દખલગીરી કરી. એક સમારંભમાં તેમણે એઈડ્સના વાયરસની શોધને સંયુક્ત ગણાવી. બંને દેશના વૈજ્ઞાનિકોને પ્રતિષ્ઠાના હકદાર બનાવ્યા. અને આ વિષાણુઓ એચઆઈવી નામે ઓળખવા લાગ્યા.

🌺🐝કિશોરવસ્થામાં  હતા ત્યારે તેમની ૬ વર્ષની બહેન લ્યુકેમિયા-કેન્સરમાં અવસાન પામી હતી. ત્યારથી વિજ્ઞાન અને તબીબીશાસ્ત્રમાં એમને પ્રથમ રસ જાગ્યો.

🌺🐝તેમની તેમની બહેનની સારવાર કરનાર ડોકટરોમાં તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો. અને તેમણે આ ભયંકર રોગનો ઈલાજ શોધવાની દિશામાં વૈજ્ઞાનિક શોધકાર્ય માટે સમર્પિત કરી દીધું.

💐🎯જ્ઞાન કી દુનિયા 🎯💐

🎆🎆*વિશ્વ જળ દિવસ*🎆🎆

🌊🌊🌊🌊🌊🌊🌊🌊
*વિશ્વ જળ દિવસ*
🌊💦🌊💦🌊💦🌊💦🌊
(સંપૂર્ણ માહિતી PDF)

🌊22 માર્ચના દિવસને વિશ્વમાં ‘વર્લ્ડ વોટર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં પાણાની વિવિધ સમસ્યાઓ અંગે વિશ્વમાં અનેક જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમજ લોકોના જીવનમાં પાણીનું શું મૂલ્ય છે, તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

🌊દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.

👉🏻In 2017, the theme is "Why waste water?"💧🙏🏻

🌊ભારત  દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. .

🌊વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.

💧⛱ વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.

🌊મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.

🌊💦💧પૃથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે.

💧💦સાબરમતી નદીના કિનારે મુખશુદ્ધિ કરવા પૂ.ગાંધીજી રોજ માત્ર એક નાની લોટી જેટલું જ પાણી વપરાતા, એ જોઈ કોઈએ અમને પૂછ્યું:’બાપુ,આવડી મોટી નદીમાં પાણીની ક્યાં ખોટ છે તે તમે આવડો લોભ કરો?’ત્યારે મહાત્મા એ આપેલો જવાબ આજે આપણે પણ સમજવા જેવો છે,તેમણે કહ્યું કે “ભાઈ,આ નદી મારી એકલાની થોડી છે?પશુ,પંખી,જીવજંતુ,અન્ય મનુષ્યોનો પણ એના પર હક છે ને ભાગ છે.ને આમ પણ જો હું મારા હક કરતા એક પણ ટીપું વધુ લઉં તો હું ઈશ્વરનો ગુનેગાર જ ગણાઉ ને?”કહેવાનો મતલબ એ છે કે જીવનમાં કંજુસાઈ નહિ પણ કરકસર ખુબ જરૂરી અને અપનાવવા જેવો ગુણ છે.જો આપણે ખાસ કરીને પાણીની બાબતમાં આ ગુણ કેળવીએ તો પાણી બચાવોના અભિયાનો હાથ ન ધરવા પડે કે ન તો ભવિષ્યમાં પાણી બાબતે થનારા ત્રીજા મહાયુદ્ધની ચિંતા સેવવી પડશે. તમામ જીવ સૃષ્ટિ પાણીમાં જ ઉદભવી છે એ તો નિર્વિવાદ સત્ય છે.

💦🌊🌎આજે વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ શોધવા માટેના સંશોધનોમાં પ્રથમ પાણીની શોધને પ્રાધાન્ય આપે છે.કેમકે પાણી વગર જીવ તાકી જ ન શકે.

🗿🗿🌊આદિમાનવ જયારે સ્થિર જીવન ન જીવતો ત્યારે પણ પાણી મળે તે જગ્યાએ પડાવ નાખતો.આમ મોટાભાગની સંસ્કૃતિ પાણી મળે તેવા કિનારે જ વિકસી છે...આમ ‘જળ એ જ જીવન છે’

🌊💦વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭.૬ મિલિયન લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને સ્વચ્છતાના મુદ્રે પ્રભાવિત થયેલા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના મેગા સીટીમાં દર વર્ષે ૨૫૦-૫૦૦ ઘનમીટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. વિશ્વના ચારમાંથી દરેક એક સીટીમાં ૭૯૪ મિલિયન લોકોને સેનીટેશન અંગેની યોગ્ય સગવડતા મળતી નથી જેને કારણે કોલેરા, મલેરિયા અને ડાયેરિયા જેવા રોગો વારંવાર માથું ઊંચકે છે.

💦💧વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. આપણે જાણીએ છીએ કે, ખોરાક ખેતીના પાક ઉત્પાદન દ્વારા મળે છે અને તેના માટે જમીનની સાથે પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી વરસાદ(ગ્રીન વોટર) અને નદી, તળાવો વેટલેન્ડસ અને એકિવફર(બ્લુ વોટર) દ્વારા પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ખેડી શકાય તેવી જમીનમાંથી ૨૦% જમીન પિયતખેતીની છે જે વિશ્વના ૪૦% ખોરાક માટેના ઉત્પાદનો રળી આપે છે. આની સામે તળાવો અને વેટલેન્ડસના પાણીમાંથી પણ ફૂડ સિકયુરિટી મળે છે. જો આવા તળાવો કે વેટલેન્ડસનું પાણી ખેત ઉત્પાદન માટે વાપરી નાખવામાં આવે તો તેમાંથી મળતી ફૂડ સિકયુરિટી નષ્ટ પામે!

🌊💦• પાણી પણ લોહીની જેમ એવું કુદરતી તત્વ છે જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. આથી પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો મેસેજ આપવા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ