🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵
🥀પુસ્તકનું નામ :- કરણઘેલો
🥀લેખકનુંનામ :- નંદશંકર તુલજાશંકર મહેતા
🥀સાહિત્ય પ્રકાર :- નવલકથા
🥀ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નવલકથા- કરણઘેલો
🌿🎯કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે.
🌿🎯નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે.
🌿🎯 કરણઘેલો કઈ રીતે રચાઈ તેનો જવાબ નંદશંકરે પુસ્તકની પ્રસ્તાવનામાં જ આપે છે.
🌿🎯આ સમયમાં ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે.
🌿🎯 પણ હજી સુધી એવી વાર્તાઓ ગ્રંથમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ ઓછી છે.
🌿🎯અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પૂરી પાડવાને તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મહેરબાન રસલ સાહેબ મારી આગળ પોતાની મરજી જણાવી તથા એક વાર્તા બનાવવાનું સાહેબે કહ્યું.
🌿🎯 તે પરથી આ પુસ્તક આશરે ત્રણ વર્ષ ઉપર રચ્યું પણ કેટલાક કારણોસર તે ઝડપથી છાપવાનું બન્યું નહી.
🌿🎯આ પરથી સ્પષ્ટ થાય કે અંગ્રેજીની પ્રેરણાથી નંદશંકરે આ નવલકથા લખી હતી.
🌿🎯આ નવલકથાની પ્રથમ આવૃત્તિ મુંબઈ સરકારે પોતાના ખર્ચો પ્રગટ કરી હતી.
🌿🎯માટે નિયમ પ્રમાણે નંદશંકરે તેના કોપીરાઈટ સરકારને આપી દેવા પડ્યા હતા.
🌿🎯તેના બદલામાં સરકારે તેમને બાંધી રકમ આપવાનું નક્કી થયું હતું.
🔊આગર વાંચો......
🔵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔵
🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵
🌿🎯વાર્તાનું કેન્દ્રસ્થાન પુરાતન પાટણ શહેર છે.
🌿🎯ફાર્બસ સંપાદિત ‘ રાસમાળા’ માંથી ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કરણઘેલાને પાત્ર બનાવી નંદશંકરે તેની આસપાસ કલ્પનાસૃષ્ટિ રચી છે.
🌿🎯ઘણીખરી ઘટનાઓ અને પાત્રો ઐતિહાસિક છે.
🌿🎯પાટણનો ઇતિહાસ જાણનારાઓને આ વાર્તા જાણીતી લાગશે.
🌿🎯 તે સમયના દિલ્લીના મુસલમાન પાદશાહોની રાજનીતિ, રાજપૂત સ્ત્રી પુરૂષોનું શૂરાતન , મુસલમાનોનો જુસ્સો,ધર્મચરણ, કુલાભિમાન, હિન્દુઓ પર દર્ભદ્વેષ વગેરે બાબતોનું સાચું ચિત્રણ રજુ કરવાનો આ કથાનો મૂળ ઉદેશ છે.
🌿🎯પાટણ, દિલ્લી અને બાગલાણ આ ત્રણ કથાના કેન્દ્રસ્થાન છે.
🌿🎯કેશવની પત્ની ગુણસુંદરીને સત્ ચડતાં તે રાજાના અને પાટણના વિનાશનો શાપ આપે છે.
🌿🎯 સતીનો આ શાપ નવલકથાનું કથાબીજ બને છે.
🌿🎯કરણઘેલો નામના રાજવીના જીવન કથન રજુ કરાય છે.
🌿🎯એક ભાટના કવિત રચિત ઉપરથી હણાય છે કે ગુજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦૨ એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું.
🌿🎯મહા વદ સાતમને શનિવાર પાછલા પ્હોરમાં ત્રણ કલાકે વનરાજનો હૂકમ જાહેર થયો.
🌿🎯જયોતિષવિધામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓંને બોલાવી પ્રશ્ન કરવામાં આવ્યો કે, તે વખતે તેઓને શહેરના જન્માક્ષર તપાસીને ૧૨૯૭માં તે નગરનો નાશ થશે…
🌿🎯લેખક નવલકથાના મુખ્ય પાત્ર કરણઘેલાનું સરસ પાત્રાલેખન કરતાં લખ્યું છે કે કરણરાજાની ભરજુવાની હતી તેની ઉંમર ત્રીસ વર્ષની હતી.
🌿🎯તેનું શરીર પરમેશ્વરની કૃપાથી નાનપણથી અંગકસરત ખડતલ, પાતળું અને જોરાવર હતું.
🌿🎯તેની ચામડીનો રંગ ઘઉંવર્ણો, શરીરે લાંબો હતો. તેનું મોં લંબગોળ હતું. તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના હોઠ નાના તથા બીડાયેલ હતા.
🌿🎯જેથી હણાતું હતું કે તે ઘણો આગ્રહી એટલે જ કામ મનમાં ધારે તે કર્યા વિના રહેતો નહિ એ એનો સ્વભાવ હતો.
🌿🎯આ નવલકથામાં ૧૮૩૭માં સુરતમાં લાગેલી આગ અને ત્યારપછી ઘર કરી ગયેલા વહેમો પણ નિરૂપાયા છે.
🌿🎯 વસ્તુની પસંદગી, તેની માવજત અને નાયકનું પાત્રાલેખન ત્રણેય બાબતમાં લેખકની સારી સફળતા મેળવી છે.
🌿🎯આ પુસ્તકમાં શરૂઆતથી જ ખબર પડી જાય છે કે લેખનમાં ઘણી ખામીઓ છે. વાક્યો ઘણા જ લાંબા અને ગુજરાતી પણ આજના કરતાં અલગ છે.
🌺🔊જ્ઞાન કી દુનિયા 🔊🌺