Monday 13 March 2017

🎆🎆કરણઘેલો🎆🎆

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🥀પુસ્તકનું નામ    :- કરણઘેલો

🥀લેખકનુંનામ    :- નંદશંકર તુલજાશંકર મહેતા

🥀સાહિત્ય પ્રકાર  :- નવલકથા

🥀ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નવલકથા- કરણઘેલો

🌿🎯કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે.

🌿🎯નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે.

🌿🎯 કરણઘેલો કઈ રીતે રચાઈ તેનો જવાબ નંદશંકરે પુસ્તકની પ્રસ્તાવનામાં જ આપે છે.

🌿🎯આ સમયમાં ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે.

🌿🎯 પણ હજી સુધી એવી વાર્તાઓ ગ્રંથમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ ઓછી છે.

🌿🎯અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પૂરી પાડવાને તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી  એજ્યુકેશનલ  ઇન્સ્પેક્ટર મહેરબાન રસલ સાહેબ મારી આગળ પોતાની મરજી જણાવી તથા એક વાર્તા બનાવવાનું સાહેબે કહ્યું.

🌿🎯 તે પરથી આ પુસ્તક આશરે ત્રણ વર્ષ ઉપર રચ્યું પણ કેટલાક કારણોસર તે ઝડપથી છાપવાનું બન્યું નહી.

🌿🎯આ પરથી સ્પષ્ટ થાય કે અંગ્રેજીની પ્રેરણાથી નંદશંકરે આ નવલકથા લખી હતી.

🌿🎯આ નવલકથાની પ્રથમ આવૃત્તિ મુંબઈ સરકારે પોતાના ખર્ચો પ્રગટ કરી હતી.

🌿🎯માટે નિયમ પ્રમાણે નંદશંકરે તેના કોપીરાઈટ સરકારને આપી દેવા પડ્યા હતા.
🌿🎯તેના બદલામાં સરકારે તેમને બાંધી રકમ આપવાનું નક્કી થયું હતું.

🔊આગર વાંચો......
🔵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔵

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌿🎯વાર્તાનું કેન્દ્રસ્થાન પુરાતન પાટણ શહેર છે.

🌿🎯ફાર્બસ સંપાદિત ‘ રાસમાળા’ માંથી ગુજરાતના અંતિમ રાજપૂત  રાજા કરણઘેલાને પાત્ર બનાવી નંદશંકરે તેની આસપાસ કલ્પનાસૃષ્ટિ રચી છે.

🌿🎯ઘણીખરી ઘટનાઓ  અને પાત્રો ઐતિહાસિક છે.

🌿🎯પાટણનો ઇતિહાસ જાણનારાઓને આ વાર્તા જાણીતી લાગશે.

🌿🎯 તે સમયના દિલ્લીના મુસલમાન પાદશાહોની રાજનીતિ, રાજપૂત સ્ત્રી પુરૂષોનું શૂરાતન , મુસલમાનોનો જુસ્સો,ધર્મચરણ, કુલાભિમાન, હિન્દુઓ પર દર્ભદ્વેષ વગેરે બાબતોનું સાચું ચિત્રણ રજુ કરવાનો આ કથાનો મૂળ ઉદેશ છે.

🌿🎯પાટણ, દિલ્લી અને બાગલાણ આ ત્રણ કથાના કેન્દ્રસ્થાન છે.

🌿🎯કેશવની પત્ની ગુણસુંદરીને સત્ ચડતાં તે રાજાના અને પાટણના વિનાશનો શાપ આપે છે.

🌿🎯 સતીનો આ શાપ નવલકથાનું કથાબીજ બને છે.

🌿🎯કરણઘેલો નામના રાજવીના જીવન કથન રજુ કરાય છે.

🌿🎯એક ભાટના કવિત રચિત ઉપરથી હણાય છે કે ગુજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦૨  એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું.

🌿🎯મહા વદ સાતમને શનિવાર પાછલા પ્હોરમાં ત્રણ કલાકે વનરાજનો હૂકમ જાહેર થયો.

🌿🎯જયોતિષવિધામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓંને બોલાવી પ્રશ્ન કરવામાં આવ્યો કે, તે વખતે તેઓને  શહેરના જન્માક્ષર તપાસીને ૧૨૯૭માં તે નગરનો નાશ થશે…

🌿🎯લેખક નવલકથાના મુખ્ય પાત્ર કરણઘેલાનું સરસ પાત્રાલેખન કરતાં લખ્યું છે કે કરણરાજાની ભરજુવાની હતી તેની ઉંમર ત્રીસ વર્ષની હતી.

🌿🎯તેનું શરીર પરમેશ્વરની કૃપાથી નાનપણથી અંગકસરત ખડતલ, પાતળું અને જોરાવર હતું.

🌿🎯તેની ચામડીનો રંગ ઘઉંવર્ણો, શરીરે લાંબો હતો. તેનું મોં લંબગોળ હતું. તેનું નાક સીધું તથા લાંબુ હતું. તેના હોઠ નાના તથા બીડાયેલ હતા.

🌿🎯જેથી હણાતું હતું કે  તે ઘણો આગ્રહી એટલે જ કામ મનમાં ધારે તે કર્યા વિના રહેતો નહિ એ એનો સ્વભાવ હતો.

🌿🎯આ નવલકથામાં ૧૮૩૭માં સુરતમાં લાગેલી આગ અને ત્યારપછી ઘર કરી ગયેલા વહેમો પણ નિરૂપાયા છે.

🌿🎯 વસ્તુની પસંદગી, તેની માવજત  અને નાયકનું પાત્રાલેખન  ત્રણેય બાબતમાં લેખકની સારી સફળતા મેળવી છે.

🌿🎯આ પુસ્તકમાં શરૂઆતથી જ ખબર પડી જાય છે કે લેખનમાં ઘણી ખામીઓ છે. વાક્યો ઘણા જ લાંબા અને ગુજરાતી પણ આજના કરતાં અલગ છે.

🌺🔊જ્ઞાન કી દુનિયા 🔊🌺

🎆🎆 ‘સરસ્વતીચંદ્ર’ ભા.૧ થી ૪ (૧૮૮૭)🎆🎆

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🥀પુસ્તકનુંનામ   :-    ‘સરસ્વતીચંદ્ર’ ભા.૧ થી ૪ (૧૮૮૭)

🥀લેખકનુંનામ     :-     ગો.મા.ત્રિપાઠી

🥀સાહિત્ય પ્રકાર  :-    મહાનવલકથા

🥀ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા- સરસસ્વતીચંદ્ર

💐આધુનિક ભારતની સૌથી મોટી અને લાંબી નવલકથા સરસ્વતીચંદ્ર ભાગ- ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર ઐતિહાસિક મહાનવલકથા છે.

💐ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા છે.

💐આશરે ૨૨૦૦ પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે.

💐પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને

💐કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે.

💐કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ ધ્યાન ખેંચે છે.

💐એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે.

💐બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં કુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. 

💐‘જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન’ માં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે.

💐વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે.

💐બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે.

💐સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે.

💐 ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે.

💐 ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે.

💐 કુમુદના પિતા વિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે.

💐 ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ વૈચારિક ભૂમિકાએ રહે છે.

💐 મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે તો ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે.

💐સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે.

💐 ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે.

🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

💐સરસ્વતીચંદ્ર ચારેય  ભાગમાં કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે.

💐મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે.

💐સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે.

💐વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે.

💐પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી.
💐ગૃહત્યાગ કરીને નીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે.

💐બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત બનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે.

💐 જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે.

💐સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે.

💐 આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. ગોવર્ધનભાઈ ત્રિપાઠી સંસ્કૃત અને અંગ્રેજીના ઊંડા અભ્યાસી હતા પરિણામે નવલકથામાં સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના કોટેશન જોવા મળે છે.

💐 એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે.

💐 જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે.

💐 આ ઐતિહાસિક નવલકથા ઉપરથી સરસ્વતીચંદ્ર ગુજરાતી ફિલ્મ બની છે.

💐 આ નવલકથાને અત્યારે ૧૨૫ વર્ષો કરતાં પણ વધૂ વર્ષો થવા છતાં આજેય  એની તુલનામાં આવી શકે તેવી નવલકથા હજુ સુધી ગુજરાતી ભાષામાં લખાઈ નથી.

🔊જ્ઞાન કી દુનિયા 🔊

🔆🔅 પાટણની પ્રભુતા🔅🔆

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🎯પુસ્તકનુંનામ   :-    પાટણની પ્રભુતા
🎯લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી
🎯સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

💐 ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) કનૈયાલાલ માણેકલાલ મુનશીની એ ઐતિહાસિક નવલકથા છે.

💐 જેમાં પાટણ શહેર કેન્દ્રસ્થાને છે.

💐ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાવસ્તુ છે.

💐કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે.

💐 મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે.

💐 આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે.

💐એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે.

💐પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે.

💐પાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે.

💐એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત છે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે.

💐 કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા.

💐અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.

💐નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે.

💐 ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ.

💐 કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે.

💐પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે.

💐મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે.

💐બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે.

💐 ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે.

💐ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે.

💐કીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે.

💐 ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.

💐અપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

💐અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે.

🏵🌺જ્ઞાન કી દુનિયા 🌺🏵

🔆🔆રાજાધિરાજ🔆🔆

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

🎯પુસ્તકનુંનામ   :-    રાજાધિરાજ
🎯લેખકનુંનામ     :-     કનૈયાલાલ માણેકલાલ મુનશી
🎯સાહિત્ય પ્રકાર  :-    ઐતિહાસિક નવલકથા

💐 ‘રાજાધિરાજ’ એ ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશી નવલકથા છે.

💐 જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે.

💐ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે.

💐રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે.

💐રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.

💐કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે.

💐અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે.

💐વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે.

💐રાણકનો સતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે.

💐પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે.

💐ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે.

💐કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે.

🔊📿જ્ઞાન કી દુનિયા 📿🔊

🔆🔆માનવીની ભવાઈ🔆🔆

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

🎯પુસ્તકનુંનામ   :-    માનવીની ભવાઈ (૧૯૪૭)
🎯લેખકનુંનામ     :-     પન્નાલાલ પટેલ
🎯સાહિત્ય પ્રકાર  :-    નવલકથા

💐માનવીની ભવાઈએ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે. 

🥀એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે.

💐આ નવલકથા મુખ્ય નાયક નાયિકા કાળું અને રાજુ છે. આ ઉપરાંત નાનીયો,માલીડોશી, પરમો પટેલ, કોદર, રણછોડ અને નાથો જેવા પાત્રો છે.

🥀 કાળું અને રાજુના જીવનનાં સુખ દુઃખની લીલા રજુ કરતી અને તેની પછવાડે  આખા સમાજની સંવેદનાને મૂર્તિમંત કરતી કથા માટે લેખકે ઈશાનિયા દેશના ધરતીજાયાની વાત કરી છે.

💐 ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે.

🥀આ નવલકથા સાડત્રીસ પ્રકરણોમાં વિભાજીત કરેલી છે.

💐 પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને પિતરાઈ કાકી માલી ડોશીની વેર ભાવના પીઠી ચોળેલા કાળુંનું રાજુ સાથે લગ્ન થવા દેતી નથી તેને  કારણે તૂટતો વિવાહ, કાળુંનો લગ્ન ભલી સાથે અને રાજુના લગ્ન સદા બીમાર એવા ધાળજી સાથે થાય એવો પંચ દ્વારા ઘાટ ઘડાય છે.

🥀પછીના દસ પ્રકરણોમાં કાળું અને રાજુનાં હૈયા એકમેકની પ્રેમથી પરિચિત છે.

💐રાજુએ કાળુની પ્રેરણામૂર્તિ છે. આથી ‘ મનના મોરલા મનમાં જ રમાડવા એમ માની મનખો પૂરો કરવો’ એમ વિચારીને કાળું માટે લગ્નજીવન પૂરંતુ આત્મવિલોપન સાથે છે.

🥀બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે.

💐ભયંકર દુકાળની આફતનાં સમયે સમગ્ર ગ્રામજનોમાં ભય તેમજ ફફડાટ વ્યાપી ગયો છે.

🥀 ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળું એક ખેડૂત પુત્ર તરીકે તે “ પરથમી નો પોથી” બનીને લોકોના સુખ દુઃખમાં સાથે રહે છે.

💐સદાવ્રતની દોઢ-પાશેર ખીચડી ન લેવાનો આગ્રહ રાખનાર કાળુને રાજુ અનાજ લેવા સમજાવે છે ત્યારે કાળુંનું હૈયું વલોવાઈ જાય છે. અને કહે  છે : આ ભીખ તેને ‘ ગુમાનને અને આત્માનેય ઓગાળી નાખે તેવી લાગે છે.’

🥀પન્નાલાલની આ નવલકથામાં દુષ્કાળના સમયનું ગ્રામજીવનનું  જીવંત આલેખન કર્યું છે.

💐તેમની બોલી, પહેરવેશ,રીવાજો,ખાનપાન, ઉત્સવો, વટ,ઈર્ષા, ભલાઈ અને વેરવૃત્તિ વગેરે લેખકે અસલ સ્વભાવમાં રજૂ કરેલ છે.

🥀આકર્ષક કથાવસ્તુ,હદય ડોલાવે એવા પ્રસંગો, સજીવ પ્રકૃતિચિત્રણ ,વેધક મર્મોકિતવાળા સંવાદો, માનવસંવેદનો અને સંઘર્ષ વગેરે લેખકને સાચા કલાકાર બનાવે છે.

💐આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે.

🥀માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
💐લેખકની આ કૃતિને ઈ.સ. ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલ છે.

🥀આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ થયું છે.

💐 કવિ ઉશનસનાં શબ્દોમાં કહીએ  તો  – ‘ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય’. છે.

🌺🌿જ્ઞાન કી દુનિયા 🌿🌺