Monday 13 March 2017

🔆🔆માનવીની ભવાઈ🔆🔆

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

🎯પુસ્તકનુંનામ   :-    માનવીની ભવાઈ (૧૯૪૭)
🎯લેખકનુંનામ     :-     પન્નાલાલ પટેલ
🎯સાહિત્ય પ્રકાર  :-    નવલકથા

💐માનવીની ભવાઈએ પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા છે. 

🥀એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે.

💐આ નવલકથા મુખ્ય નાયક નાયિકા કાળું અને રાજુ છે. આ ઉપરાંત નાનીયો,માલીડોશી, પરમો પટેલ, કોદર, રણછોડ અને નાથો જેવા પાત્રો છે.

🥀 કાળું અને રાજુના જીવનનાં સુખ દુઃખની લીલા રજુ કરતી અને તેની પછવાડે  આખા સમાજની સંવેદનાને મૂર્તિમંત કરતી કથા માટે લેખકે ઈશાનિયા દેશના ધરતીજાયાની વાત કરી છે.

💐 ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને રીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે.

🥀આ નવલકથા સાડત્રીસ પ્રકરણોમાં વિભાજીત કરેલી છે.

💐 પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો અને પિતરાઈ કાકી માલી ડોશીની વેર ભાવના પીઠી ચોળેલા કાળુંનું રાજુ સાથે લગ્ન થવા દેતી નથી તેને  કારણે તૂટતો વિવાહ, કાળુંનો લગ્ન ભલી સાથે અને રાજુના લગ્ન સદા બીમાર એવા ધાળજી સાથે થાય એવો પંચ દ્વારા ઘાટ ઘડાય છે.

🥀પછીના દસ પ્રકરણોમાં કાળું અને રાજુનાં હૈયા એકમેકની પ્રેમથી પરિચિત છે.

💐રાજુએ કાળુની પ્રેરણામૂર્તિ છે. આથી ‘ મનના મોરલા મનમાં જ રમાડવા એમ માની મનખો પૂરો કરવો’ એમ વિચારીને કાળું માટે લગ્નજીવન પૂરંતુ આત્મવિલોપન સાથે છે.

🥀બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે.

💐ભયંકર દુકાળની આફતનાં સમયે સમગ્ર ગ્રામજનોમાં ભય તેમજ ફફડાટ વ્યાપી ગયો છે.

🥀 ચોરી અને લૂંટના બનાવો રોજ બને છે. કાળું એક ખેડૂત પુત્ર તરીકે તે “ પરથમી નો પોથી” બનીને લોકોના સુખ દુઃખમાં સાથે રહે છે.

💐સદાવ્રતની દોઢ-પાશેર ખીચડી ન લેવાનો આગ્રહ રાખનાર કાળુને રાજુ અનાજ લેવા સમજાવે છે ત્યારે કાળુંનું હૈયું વલોવાઈ જાય છે. અને કહે  છે : આ ભીખ તેને ‘ ગુમાનને અને આત્માનેય ઓગાળી નાખે તેવી લાગે છે.’

🥀પન્નાલાલની આ નવલકથામાં દુષ્કાળના સમયનું ગ્રામજીવનનું  જીવંત આલેખન કર્યું છે.

💐તેમની બોલી, પહેરવેશ,રીવાજો,ખાનપાન, ઉત્સવો, વટ,ઈર્ષા, ભલાઈ અને વેરવૃત્તિ વગેરે લેખકે અસલ સ્વભાવમાં રજૂ કરેલ છે.

🥀આકર્ષક કથાવસ્તુ,હદય ડોલાવે એવા પ્રસંગો, સજીવ પ્રકૃતિચિત્રણ ,વેધક મર્મોકિતવાળા સંવાદો, માનવસંવેદનો અને સંઘર્ષ વગેરે લેખકને સાચા કલાકાર બનાવે છે.

💐આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે.

🥀માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.
💐લેખકની આ કૃતિને ઈ.સ. ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલ છે.

🥀આ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મનું પણ નિર્માણ થયું છે.

💐 કવિ ઉશનસનાં શબ્દોમાં કહીએ  તો  – ‘ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય’. છે.

🌺🌿જ્ઞાન કી દુનિયા 🌿🌺

No comments:

Post a Comment