Sunday 12 March 2017

📚📚રમણભાઈનીલકંઠ📚📚

📚📚રમણભાઈનીલકંઠ📚📚

March 13
                                
🍋 ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ લખનાર રમણભાઈ નીલકંઠનો જન્મ તા. ૧૩/૩/૧૮૬૮ના રોજ અમદાવાદમાં થયો હતો.પિતાનું નામ મહીપતરામ  અને માતાનું નામ પાર્વતીબેન હતું. તેમના પિતા ટ્રેનીગ કોલેજમાં આચાર્ય હતા.

🍋તેમણે ઈ.સ.૧૮૮૩માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ઈ.સ.૧૮૮૭માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈથી બી.એ. થયા ત્યારપછી એલએલ.બી. પરીક્ષા પાસ કરી.

🍋તેમણે ગોધરા સબ-જજની થોડા સમયની નોકરી પછી સ્વતંત્ર વકીલાતનો વ્યવસાય શરૂ કરેલો.

🍋પહેલાં પત્ની હસવદનબહેનનું અવસાન થતાં બીજું લગ્ન વિદ્યાબહેન સાથે થયું. રમણભાઈ નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.

🍋તેમાં બજાવેલી સેવાઓ અને એમાં કરેલા કાર્યોને લક્ષમાં રાખીને સરકારે ‘ રાવ બહાદૂર’નો ઈલકાબ આપ્યો હતો. તેમની સુધારાલક્ષી જાહેરપ્રવૃતિઓમાં સ્ત્રીજાગૃતિ અને સ્ત્રી કેળવણીની પ્રવૃત્તિઓ નોધપાત્ર છે.

🍋 તેમણે ઈ.સ.૧૯૦૦માં હાસ્યરસિક નવલકથા ‘ભદ્રં ભદ્ર’ લખી. તેઓ જકોલાત કરતાં કરતાં સમાજસેવા, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.

🍋 ઈ.સ.૧૯૧૩માં પ્રગટ થયેલું ‘ રાઈનો પર્વત’ નામનું સંસ્કૃત અને અંગ્રેજી શૈલીના સમન્વયવાળું શિષ્ટ નાટક પણ લખ્યું છે. એમાં સંસાર સુધારો, ઈશ્વરશ્રધ્ધા, નીતિનિષ્ઠા વગેરે વાતો ધ્યાન ખેંચે છે. તેમણે વાર્તા, કવિતા અને વિવેચન ક્ષેત્રે પણ સાહિત્યસર્જન કર્યું છે.

🍋‘ જ્ઞાનસુધા’ના તંત્રી તરીકે તેમણે વિવિધ વિષયો પર વિચારપ્રેરક લેખો પણ લખ્યા છે.’

🍋હાસ્યમંદિર’માં એમના અને એમની વિદુષી પત્ની વિદ્યાગૌરી ના હાસ્ય વિનોદના લખાણો પ્રગટ થયા છે.

🍋છઠ્ઠી માર્ચ ૧૮૮૭ના રોજ તેમનું અવસાન થયું.

🍋ઈ.સ. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદનાપ્રમુખ તરીકે પસંદગી થઇ હતી. ‘કવિતા અને સાહિત્ય’-૧ થી  ૩ તેમના વિવેચન  ગ્રંથો છે.

No comments:

Post a Comment