Wednesday 12 April 2017

One liner gk👍

🍀સિલ્ક રુટ (silk route) નો આરંભ ભારતના કયા રાજવીએ કર્યો હતો?

  ➖            કનિષ્ક
🍀'ક્રિસ્ટીન લેગાર્ડ' કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?

➖                IMF        
  🍀લાઈફ ડીવાઈન'  પુસ્તકના લેખક કોણ?

➖               અરવિંદ ઘોષ
🍀ક્યાં રાષ્ટ્રપતિનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.

➖       ગ્યાલી ઝૈલ સિંહ
🍀ઈરાક' નું જુનું નામ શું હતું?

  ➖               મેસોપોટેમિયા
🍀કોર્પોરેટ ચાણક્ય' આ પુસ્તકના લેખક કોણ?

➖              રાધાકૃષ્ણન પિલ્લઈ
🍀હિન્દીના પહેલા સમાચાર પત્રનું નામ શું હતું?

  ➖        ઉદન્ત માર્તંડ

🍂ભોગીલાલ સાંડેસરા🍂

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🍃૧૩ એપ્રિલ
🍂ભોગીલાલ સાંડેસરા🍂
                      
🛍〰ગુજરાતી વિવેચક, સંપાદક ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાનો  જન્મ તા. ૧૩/૪/૧૯૧૭ના રોજ પાટણ તાલુકાના સંડેરમાં થયો હતો.

🛍〰 ઈ.સ.૧૯૩૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

🛍〰ઈ.સ.૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં જોડાયા.

🛍〰 ઈ.સ.૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ની ઉપાધી મેળવી હતી.

🛍〰ઈ.સ.૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક તરીકેની કામગીરી કરી..

🛍〰ઈ.સ. ૧૯૫૦માં પીએચ.ડી. થયા. ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૭૫ સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા આપી.

🛍〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક તરીકે કામગીરી કરી.

🛍〰ઈ.સ. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ ચૂંટાયા.

🛍〰ઈ.સ.૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ અને ઈ.સ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી.

🎁👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🎁

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍〰ઈ.સ.૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો.

🛍〰તેમને અનેક પારિતોષિક તથા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઈ.સ.૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક.

🛍〰ઈ.સ.૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક એનાયત થયેલ છે.

🛍〰તેમણે  ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં
🍃વૃત્તરચના’ ,
🍃ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ ,
🍃શોધપ્રબંધ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા
🍃 સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ , પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ , ‘દયારામ’ ,
🍃લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ , ‘ઇતિહાસ અને સાહિત્ય’ ,
🍃ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’  અને ‘અનુસ્મૃતિ’ , ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’  વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.

🛍〰‘વાઘેલાઓનું ગુજરાત’ , ‘ઇતિહાસની કેડી’ , ‘જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ’ , ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો’ , ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’  વગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક પુસ્તકો છે.

🏵સમીર પટેલ 🏵
🌻🛡જ્ઞાન કી દુનિયા 🛡🌻

👯👯💃ઈલાક્ષી ઠાકોર👯👯

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🍂૧૨ એપ્રિલ
💃ઈલાક્ષી ઠાકોર
                             
🍃〰ભરતનાટ્યમની રચનાઓની ગુજરાતી ભક્તિગીતોની સાથે સમન્વય કરી નૃત્યશૈલીને પોતીકી બનાવનાર ગુજરાતી વિખ્યાત નૃત્યાંગના ઈલાક્ષી ઠાકોરનો જન્મ તા. ૧૨/૪/૧૯૩૬ના રોજ પુણેમાં થયો હતો.

🍃〰પિતાનું નામ ઠાકોરદાસ અને માતાનું નામ ધનલક્ષ્મી હતું.

🍃〰 બાળપણમાં રંગા વિઠ્ઠલ નામના નૃત્યકાર પાસે નૃત્યની તાલીમ લીધી.

🍃〰ત્યારબાદ નૃત્યયાત્રાનો પ્રારંભ રોહિણીબેનપાસેથી કથક નૃત્યની તાલીમ દ્વારા થયો.

🍃〰ભરતનાટ્યમ નૃત્યમાં રસ પડતાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મ્યુઝીક કોલેજમાં ઈ.સ. ૧૯૬૦માં તે M.Mus ની ડીગ્રી પ્રાપ્ત કરી.

🍃〰અરુણભાઈ ઠાકોર સાથે લગ્નથી જોડાયા પછી ઈ.સ. ૧૯૬૦માં ‘ નૃત્યભારતી’ સંસ્થાની સ્થાપના કરી.

🍃〰 તેની શાખાઓ માત્ર ભારતમાં જ નહી પણ અમેરિકા, ન્યુઝીલેન્ડ , કેનેડા અને જાપાનમાં વિસ્તરી ચૂકી છે.

🍃〰લગભગ ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી નૃત્યની તાલીમ લીધી છે.

🍃〰તેમણે ગુજરાતી ભાષામાં ભરતનાટ્યમ નૃત્યની રચનાઓ રજૂ કરી છે. કવિ નરસિંહ મહેતા , સરોજીની નાયડુ, મીરાંબાઈ, ન્હાનાલાલ, પ્રેમાનંદ વગેરે ભક્ત કવિઓના કાવ્યોમાં નૃત્યમાં ઉતારી, નૃત્ય તથા સાહિત્ય બંનેને લોકભોગ્ય બનાવ્યા છે.

🍃〰દક્ષિણ ભારતીય પરંપરાગત નૃત્ય શૈલીના માર્ગે ગુજરાતી તેન જ હિન્દી ભાષામાં અનુવાદિત કરી તેને સમજાવવામાં સરળ બનાવ્યું છે.

🍃〰આવા જ નવતર પ્રયોગ દ્વારા અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાઓની કવિતાઓ ઉપર પણ નૃત્ય સંયોજનો સફળતાપૂર્વક કરેલા છે.

🍃〰નૃત્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમણે અનેક સંસ્થાઓ દ્વારા સન્માનવામાં આવ્યા છે.

🍃〰તેમણે ઈ.સ. ૧૯૭૨ થી ગુજરાત સંગીત નાટક અકાદમીના સક્રિય સભ્ય તરીકે સેવા આપી છે.

💃👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿💃

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💃

🍃〰તેમણે ગુજરાતની અનેક કોલેજોમાં નૃત્યના વિષય માટે વીઝીટીંગ લેકચરર તરીકે પણ સેવાઓ આપી છે.

🍃〰નૃત્યક્ષેત્રે પીએચડી કરી રહેલ વિદ્યાર્થીઓને પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડેલ છે.

🍃〰તેમના માર્ગદર્શન હેઠળ શ્રીલંકા, પૂર્વ આફ્રિકા, અમેરિકા જેવા અનેક દેશોમાં ઘણાં બધાં નૃત્યકાર્યક્રમો, વ્યાખ્યાનો તથા નૃત્યશિબિરનું આયોજન થયું છે.

🍃〰તેમણે દુરદર્શન, આકાશવાણી, યુનિવર્સિટીઓ, ગુજરાત ટુરીઝમ વગેરે જગ્યાઓએ વર્કશોપ તથા સેમિનારના સફળ આયોજન કરેલ છે.

🍃〰તેમણે ઈ.સ.૧૯૭૫માં નૃત્યભારતી પરફોમીંગ આટર્સ ની સ્થાપના કરી છે. 

🍃〰ટેનમાં વિશિષ્ટ પ્રદાન બદલ વડોદરાની નાટ્ય સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૭૯માં ‘ ત્રિવેણી એવોર્ડ’ ગુજરાત સરકાર તરફથી ઈ.સ.૧૯૮૧માં ‘ ગૌરવ પુરસ્કાર’, મુંબઈની અમૃત સંસ્થા તરફથી ઈ.સ.૧૯૮૨માં’ અમૃતા એવોર્ડ’ અને યુએસએન ટેનીસી તફથી ઈ.સ. ૧૯૯૯માં ‘ પોટલુરી એવોર્ડ થી સન્માનિત કર્યા છે.

🏵સમીર પટેલ 🏵
🛍📮જ્ઞાન કી દુનિયા 📮🛍

🏏🏏વિનુ માંકડ🏏🏏

👉 આજનો દિવસ :-

     વિનુ માંકડ

વિશ્વ વિખ્યાત ઓલરાઉન્ડર અને જામનગરના પનોતાપુત્ર વિનુ માંકડનો જન્મ 12/4/1917 ના રોજ જામનગર ખાતે થયો હતો. જાણીતા ક્રિકેટર દુલીપસિંહજીએ શાળાઓ વચ્ચે ચાલતી એક મેચમાં વિનુ માંકડની શક્તિ પારખી અને ત્યારથી એ કિશોરનું ભાગ્ય પલટાયું. ટેસ્ટમાં બે હજાર અને સો વિકેટોની સિદ્ધિ મેળવી હતી. માંકડના જીવનનો યાદગાર ટેસ્ટ ઇ.સ.1952 માં ઇંગલેન્ડ ખાતેના ઓવલના મેચ દરમિયાન બોલીંગ અને બેટીંગમાં જે શાનદાર દેખાગ કર્યો તે હતો. આખું મેદાન ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરેલું હતું. જેમાં એક ખાસ મહેમાન ઇંગ્લેન્ડના રાણી ઇલીઝાબેથ પણ હાજર હતા. વિરામના સમયે તેમણે માંકડને રૂબરૂ બોલાવી અભિનંદન આપતા કહ્યું કે મેં તમારી રમત ટીવી ઉપર જોઇ અને એ માટે ખાસ અભિનંદન આપવા આવી છું. સર ડોનાલ્ડ બ્રેડમેને પોતાની સહી અને ફોટાવાળો પત્ર માંકડને આપ્યો હતો જેમાં લખ્યું હતું : ‘વેલ બોલ્ડ માંકડ આઇ એમ હાઇલી ઇમ્પ્રેસ્ડ’. વિનુ માંકડે  આ વાંચી ખુશી થતાં જણાવ્યું કે મારે માટે આ અદભુત માનપત્ર છે. તેમને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના  રહ્યા હતા. આ ત્રણનું હિત સાચવવામાં, એની  સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવા નથી કરી. ઇ.સ.1978 માં મુંબઇ ખાતે વિનુ માંકડનું અવસાન થતાં ક્રિકેટ રસિકોને મોટી ખોટ પડી.

💐💐💐💐💐💐💐💐💐

💐પોલિયોથી જગતને ઉગારનાર ☺ડો.જોનાસ સાલ્ક

👉 આજનો દિવસ :-

     પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા

    પોલિયોથી જગતને ઉગારનાર ☺
            ડો.જોનાસ સાલ્ક

આજથી બરાબર ૬૦ વર્ષ પહેલા ૧૨ એપ્રિલ, ૧૯૫૫નો દિવસ આખી દુનિયા માટે બહુ જ ખાસ હતો કારણ કે આ પોલિયોથી જગતને ઉગારનાર રસીના પરિણામ જાહેર થયા હતા. તેના શોધક હતા જોનાસ સાલ્ક. તેમણે કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોલિયો રસીની શોધ કરી હતી.

આખી દુનિયાની સુખાકારી માટે અબજો રૂપિયા બલિદાન કરી દેનારા ડોક્ટર સાલ્કનો જન્મ ૨૮ ઓક્ટોબર, ૧૯૧૪ના દિવસે થયો હતો અને આજે તેમનો જન્મદિવસ છે. તેમના ૧૦૦માં જન્મદિવસના માનમાં ગૂગલે પણ ખાસ ડૂડલ ડિઝાઇન કર્યું છે.

૧૯૬૧માં બીજી રસી ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી
ડોક્ટર સાલ્કને જ્યારે પત્રકારોએ પૂછયું કે આની પેટન્ટ કોની પાસે રહેશે? સાલ્કે હસતાં હસતાં જવાબ આપ્યો કે “કોઈ પેટન્ટ નથી, શું સૂરજની કોઈ પેટન્ટ હોઈ શકે?” પોલિયોની પહેલી રસી (ઇંજેક્શન) ૧૯૫૫માં ડૉ. જોનાસ સાલ્કે વિકસાવી હતી. અને ત્યારબાદ  ૧૯૬૧માં બીજી રસી (ઓરલ ડ્રોપ) ડૉ. આલ્બર્ટ સબીને વિકસાવી હતી. આ પોલિયો નાબૂદીનું  સફળ હથિયાર સાબિત થયું.

ભારતે વર્ષ ૨૦૧૨માં પોલિયોથી મુક્તિ મેળવી
સાલ્કની રસીની ટ્રાયલમાં લગભગ ૧૩ લાખ બાળકોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે ૧૯૫૫માં પરિણામો જાહેર થયાં તે અગાઉ સાલ્કે તેના પોતાનાં બાળકોને અને પરિવારજનોને પણ આ રસી આપી હતી. ભારતે વર્ષ ૨૦૧૨માં જેનાથી મુક્તિ મેળવી તે પોલિયો એક એવી મહામારી હતી કે જેનાથી આખી દુનિયાના હાંજા ગગડતા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ બીમારીથી પીડાઇ રહેલા દેશોની યાદીમાંથી ભારતનું નામ દૂર કર્યું છે. કેમકે, છેલ્લા એક વર્ષથી ભારતમાં પોલિયોનો એકેય નવો કેસ બહાર આવ્યો નથી.

ભારતમાં પોલિયો સામેની લડતમાં ૧૯૯૫-૯૬થી અભિયાન શરુ કર્યું હતું
દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા ભારતે હજી માંડ ગયા વર્ષે પોલિયો સામે વિજય મેળવ્યો છે. ‘દો બુંદ જિંદગી કી’ ના નારાથી પ્રખ્યાત બનેલી પોલિયો સામેની લડત પહેલાં બુંદની નહીં પણ સોયની હતી. ભારતમાં પોલિયો સામેની લડતમાં ખરું જોમ ૧૯૯૫-૯૬થી શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી પલ્સ પોલિયો અભિયાનથી આવ્યું. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ ૧૩ જાન્યુઆરી, ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો.

વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે
ભારતે પોલિયોમુકત દેશનો દરજજો મેળવવા માટે આગામી બે વર્ષ સુધી પોલિયોમુક્ત રહેવું પડશે. દુનિયામાં પોલિયો સામેની લડત હજી ચાલુ હોય તેવા દેશોમાં હવે પાકિસ્તાન, નાઈજિરિયા અને અફઘાનિસ્તાન જ બચ્યા છે. વાઇરસનું અસ્તિત્વ નાબુદ કરવા રસીકરણનું અભિયાન ચાલુ રાખવું પડશે.

ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો
સાલ્કે પોલિયોના મૃત વાયરસ સાથે કામ પાર પાડીને અસરકારક શોધ કરી અને તેના પછી અન્ય સંશોધક સાબિને પોલિયોના જીવતા વાયરસને નાથીને ઈન્જેક્શનની સોયમાંથી મુક્તિ અપાવી લોકોને બે ટીપાં દવાનો ઈલાજ આપ્યો. જોકે, સાલ્ક અને સાબિન વચ્ચે સૌથી મોટો તફાવત એ પણ છે કે સાલ્કની રસી તે લેનારને જ સુરક્ષિતતા આપે છે જ્યારે સાબિનની રસી તેની આસપાસના લોકોને પણ ચેપ લાગવાથી બચાવે છે.

સાલ્કેરસી માટે કોઈ પેટન્ટ ન લીધા કેમકે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે
સાલ્કે પોતે તનતોડ મહેનત કરીને શોધેલી આ અકસીર રસી માટે કોઈ પેટન્ટ ન લીધા કે જેથી વિશ્વભરમાં કોઇપણ દવા બનાવનારી કંપની સરકારી નિયમોને આધીન રહીને એનું ઉત્પાદન છૂટથી કરી શકે. એમણે ઈચ્છયું હોત તો આ શોધમાંથી કરોડો ડોલર કમાઈ શક્યા હોત પરંતુ માનવતાવાદી અમેરિકન વૈજ્ઞાનિકે એની શોધમાંથી એક ડોલરની પણ કમાણીની આશા રાખી નહીં.એમને  તો માત્ર પોલીઓ થતો રોકવા માટે વિશ્વમાં મહત્તમ બાળકો આ રસી લે એમાં જ રસ હતો.

વિશ્વને પોલીયો રસીની ભેટ ધરીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો
સાલ્કનું ૮૦ વર્ષની ઉંમરે ૨૩ જૂનના રોજ ૧૯૯૫માં અવસાન થયું હતું. શીતળા જેવા રોગને માતા કહીને પૂજન કરનારા લોકોએ સાલ્ક જેવા વિજ્ઞાનીઓ થકી માનવતા ઉજળી છે. આ રીતે ડો.જોનાસ સોકે વિશ્વને પોલીયોની રસીની ભેટ ધરીને માનવજાત ઉપર એક મોટો ઉપકાર કર્યો છે.

ડો.સાલ્કે છેલ્લા દિવસોમાં સાન ડિયેગો ખાતેની સંસ્થામાં રહીને  એચાઈવી એઇડ્સ માટેની રસી માટે વધુ રીસર્ચ કરવામાં ખુબ પ્રવૃત રહ્યા હતા. એમનું બાકી રહેલું કામ આ સંસ્થાના અન્ય વૈજ્ઞાનિકો ઉપાડી લીધું છે.

-- ☺
The-Dust Of-Heaven ✍