Tuesday 2 October 2018

ðŸŽŊ *āŠĩિāŠ·āŠŊ-āŠ—ુāŠœāŠ°ાāŠĪી*

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય-ગુજરાતી*

✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકીના લેખક કોણ છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.ચંદ્રકાંત પંડ્યા
*C.રઘુવીર ચૌધરી* ✔
D.અરવિંદ પંડ્યા

✍🏻 *રઘુવીર ચૌધરીનું પૂરું નામ જણાવો.*

A.રઘુવીર નટવરસિંહ ચૌધરી
*B.રઘુવીર દલસિંહ ચૌધરી* ✔
C.રઘુવીર પ્રણયસિંહ ચૌધરી
D.રઘુવીર પ્રતાપસિંહ ચૌધરી

✍🏻 *નીચેનામાંથી અયોગ્ય જોડણી શોધો.*

A.નૈસર્ગિક
B.યુનિફોર્મ
C.પ્રફુલ્લિત
*D.શીબીર*✔

🎯 *સાચી જોડણી:-શિબિર*

✍🏻 *સાહસ* નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

A.અસાહસ
*B.દુ:સાહસ* ✔
C.આરામ
D.નિસાહસ

✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકી અંશ રઘુવીર ચૌધરીની કઈ એકાંકી માંથી લેવામાં આવ્યો છે ?*

A.ડિમલાઈટ
B.તિલક
C.ઝૂલતા મિનારા
*D.ત્રીજો પુરુષ*✔

✍🏻 *વાઈરલ ઈન્ફેક્શન* નિબંધના લેખક કોણ છે ?

*A.ગુણવંત ભૂષણલાલ શાહ*✔
B.રઘુવીર દલસિંહ ચૌધરી
C.સુરેશ હરિપ્રસાદ જોષી
D.આત્માર્પિત અપૂર્વજી

✍🏻 *શ્રીમદ્ રાજચંદ્રને કેટલા વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી ?*

A.15
B.17
*C.19* ✔
D.21

🎯 *સતાવધાની શક્તિ :-* એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ.

✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.કોલકત્તા
D.દિલ્હી

✍🏻 *આત્માર્પિત અપૂર્વજીએ તેમની કૃતિ વિરલ વિભૂતિમાં કોનું જીવનચરિત્ર આલેખ્યું છે ?*

A.મહાત્મા ગાંધીજી
*B.શ્રીમદ્દ રાજચંદ્ર* ✔
C.રવિશંકર મહારાજ
D.સરદાર પટેલ

✍🏻સમાસ ઓળખાવો.

*પક્ષીપ્રેમ*

A.અવ્યવીભાવ
B.ઉપપદ
C.દ્ધંદ્ધ
*D.તત્પુરુષ*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પત્રચેષ્ઠા,ભજનાનંદ,જીવનશૈલી*

A.તત્પુરુષ
B.દ્ધન્દ્ધ
*C.મધ્યમપદલોપી* ✔
D.ઉપપદ

✍🏻નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.

*હ્રદય છલકાઈ જવું*

*A.આનંદિત થઈ ઊઠવું* ✔
B.દુ:ખ થવું

✍🏻 *'ગોકુળ-મથુરા-દ્રારકા', 'સોમતીર્થ' અને 'લાગણી' કોની નવલકથાઓ છે ?*

A.ગુણવંત શાહ
*B.રઘુવીર ચૌધરી* ✔
C.આત્માર્પિત અપૂર્વજી
D.સુરેશ જોષી

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*

A.પ્રીતિ
B.વરિયાળી
C.અઠવાડિયું
*D.ખાસીયત*✔

🎯 *સાચી જોડણી:-ખાસિયત*

✍🏻 *'જાત ભણીની જાત્રા' અને 'બિલ્લો ટિલ્લો ટચ' કયા સાહિત્યકારની આત્મકથા છે ?*

A.વિનોદ જોશી
*B.ગુણવંત શાહ* ✔
C.રમેશ પારેખ
D.પન્નાલાલ પટેલ

✍🏻 *વિનોદ જોશીનું પૂરું નામ જણાવો.*

A.વિનોદ હરિદાસ જોશી
B.વિનોદ ગોવિંદદાસ જોશી
C.વિનોદ રમણલાલ જોશી
*D.વિનોદ હરગોવિંદદાસ જોશી*✔

✍🏻 *વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન .............. છે.*

A.ભાવનગર
B.ચોટીલા
*C.બોટાદ* ✔
D.અમદાવાદ

✍🏻 *નીચેનાપૈકી કયો એક કાવ્યસંગ્રહ વિનોદ જોશીનો નથી ?*

A.ઝાલર વાગે જૂઠડી
B.શિખંડી
C.તુણ્ડિલતુણ્ડિકા
*D.ઉપરોક્ત ત્રણેય તેમના છે.*✔

✍🏻 *'હું એવો ગુજરાતી' કાવ્યના કવિ કોણ છે ?*

A.રાવજી પટેલ
B.ઉમાશંકર જોશી
C.ગુણવંત શાહ
*D.વિનોદ જોશી*✔

✍🏻 *નીચેનામાંથી 'આયુધ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?*

A.સુધા
B.વિષ
*C.શસ્ત્ર* ✔
D.પિંડ

✍🏻 *હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?*

A.શેત્રુંજી
B.કાળુભાર
C.તાપી
*D.નર્મદા*✔

✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય છે ?*

A.આશિષ × અભિશાપ
*B.સુધા × અમૃત* ✔
C.સ્મિત × રુદન
D.ધવલ × શ્યામ

🎯 *સુધા × વિષ*

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

ðŸŽŊ *āŠ§ોāŠ°āŠĢ - 10*

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ - 10*
🎯 *વિષય:- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય*

✍🏻 *'દીકરી' ગઝલનાં રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અશોક ચાવડા 'બેદિલ' નું પૂરું નામ જણાવો.*

A.અશોક મણિશંકર ચાવડા
*B.અશોક પીતાંબર ચાવડા* ✔
C.અશોક રવિશંકર ચાવડા
D.અશોક શાન્તિલાલ ચાવડા

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.શરમ × બેશરમ
*B.સમજ × ગેરસમજ*
C.ભીનું × સુકું
D.સ્વર્ગ × નર્ક

🎯 *સમજ × નાસમજ*

✍🏻 *ફડક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.સાડીનો પાલવ
B.વિસ્તાર
*C.ચિંતા* ✔
D.પલકારો

✍🏻 *ફલક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ટૂકડો
*B.વિસ્તાર* ✔
C.ચિંતા
D.પલકારો

✍🏻 *ગુણવંત ભૂષણલાલ શાહનું વતન જણાવો.*

*A.સુરત જિલ્લાનું રાંદેર* ✔
B.કરછ જિલ્લાનું ખંભરા
C.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા
D.ભરૂચ જિલ્લાનું મિયામાતર

✍🏻 *'કાર્ડિયોગ્રામ','રણ તો લીલાંછમ','વગડાને તરસ ટહૂકાની' અને 'વિચારોનાં વૃંદાવનમાં' નામના નિબંધસંગ્રહો કોના છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.વિનોદ જોશી
*C.ગુણવંત શાહ* ✔
D.અશોક ચાવડા

✍🏻 *રતિલાલ મોહનલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો.*

A.અમરેલી
*B.સાવરકુંડલા* ✔
C.ધારી
D.બગસરા

✍🏻 *'સંભવામિ યુગેયુગે' હાષ્યનવલના કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
*B.રતિલાલ બોરીસાગર* ✔
C.હરીન્દ્ર દવે
D.ગુણવંત શાહ

✍🏻 *'ડાળખીથી સાવ છૂટા' કવિતાસંગ્રહ  કયા સાહિત્યકારનો છે ?*

*A.અશોક ચાવડા* ✔
B.હરીન્દ્ર દવે
C.રમેશ પારેખ
D.ગુણવંત શાહ

✍🏻 *'પગલાં તળાવમાં' અને 'પગરવ તળાવમાં' નામની ગઝલસંગ્રહના રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.દીકરી
B.ફરિયાદ
C.પુરસ્કૃત
*D.પ્રતિક*✔

🎯 *પ્રતીક*

✍🏻 ' *હાથ દેવો*' રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.મદદ આપવી
B.સહારો આપવો
C.હૂંફ આપવી
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻 *નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે ?*

*A.અભિનવ - અદાકારી* ✔
B.અલિ - ભમરો
C.ઉદર - પેટ
D.અફળ - નિષ્ફળ

🎯  *અભિનવ:- તદ્દન નવું*
*અભિનય:- અદાકારી*

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ  સમાસ મધ્યમપદલોપી સમાસનો નથી ?*

A.કન્યાકેળવણી
B.મિલમજૂર
C.પત્રચેષ્ઠા
*D.ઉપરોક્ત ત્રણેય મધ્યમપદલોપી સમાસ છે.*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પમરેશ્વર,વૃદ્ધાવસ્થા,બાળવય*

A.દ્વન્દ્ધ
B.તત્પુરુષ
*C.કર્મધારય* ✔
D.અવ્યવીભાવ

✍🏻 *'ગાંધીના ચશ્મા' નામની કૃતિ કોની છે ?*

A.હરીન્દ્ર દવે
*B.ગુણવંત શાહ* ✔
C.અશોક ચાવડા
D.રતિલાલ બોરીસાગર

✍🏻 *'મરક મરક','આનંદલોક','એન્જોયગ્રાફી' અને 'તિલક કરતાં ત્રેસઠ થયાં' વગેરે હાષ્યલેખોનાં કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
B.વિનોદ જોશી
*C.રતિલાલ બોરીસાગર* ✔
D.ગુણવંત શાહ

✍🏻 *'કારગત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.કારતક
B.ત્રાસ
*C.સફળ* ✔
D.વ્યર્થ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.યુનિવર્સિટી
B.દિલગીરી
C.મિનિટ
*D.વિજળી*✔

🎯 *વીજળી*

✍🏻 *'સૂગ હોવી'* રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.અક્કલ હોવી
B.ગુસ્સો ચડવો
C.જાણકારી હોવી
*D.ચીતરી ચડવી*✔

✍🏻 *'મરો ત્યાં સુધી જીવો'માંથી નીચેનાપૈકી કયું એક પ્રકરણ લેવામાં આવ્યું છે ?*

*A.વાઈરલ ઈન્ફેક્શન(ગુણવંત શાહ)* ✔
B.છત્રી(રતિલાલ બોરીસાગર)
C.દીકરી(અશોક ચાવડા)
D.માધવને દીઠો છે ક્યાંય ?(હરીન્દ્રદવે)

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  પવનની લહેર

A.વંટોળ
*B.લેરખી* ✔
C.લહેજત
D.સરવત

✍🏻 *'સોંઘારત* ' શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.આભૂષણ
B.શાહુકાર
*C.સસ્તું* ✔
D.હવામાન

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.રિસેસ
*B.યાદગિરી* ✔
C.એસોસિએશન
D.રોજનીશી

🎯 *યાદગીરી*

✍🏻 *સાચી જોડણી શોધો.*

A.ટીકીટ
B.ટિકીટ
C.ટીકિટ
*D.ટિકિટ*✔

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

🏅 *āŠŠાāŠ ્āŠŊāŠŠુāŠļ્āŠĪāŠ• āŠŠāŠ° āŠ†āŠ§ાāŠ°િāŠĪ āŠ•્āŠĩિāŠ* 🏅

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.*

*A.હરીન્દ્ર જયંતીલાલ દવે* ✔
B.હરીન્દ્ર મહેન્દ્રલાલ દવે
C.હરીન્દ્ર નગીનલાલ દવે
D.હરીન્દ્ર જયશંકર દવે

✍🏻 *હરીન્દ્ર દવે વ્યવસાયે ................. હતા.*

A.શિક્ષક
*B.પત્રકાર* ✔
C.ક્લાર્ક
D.ડોક્ટર

✍🏻 *'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?*

A.ગુણવંત શાહ
*B.હરીન્દ્ર દવે* ✔
C.સુરેશ જોશી
D.અશોક ચાવડા

✍🏻 *હરીન્દ્ર દવે વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'આસવ','મૌન','સૂર્યોપનિષદ',અને 'હયાતી' તેમના કાવ્યસંગ્રહો છે.

B.'અગનપંખી','પળના પ્રતિબિંબ','માધવ ક્યાંય નથી','મુખવટો',અને'અનાગત' તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.

C.તેમને ઈ.સ.1982માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.1978માં 'હયાતી' કૃતિ માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'સાન્નિધ્ય'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.વિકટ
B.આચરણ
C.વ્યર્થ
*D.સમીપતા*✔

✍🏻 *'વાર'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.દિવસ
*B.વિલંબ* ✔
C.મક્કમ
D.પ્રયત્ન

✍🏻 *'ભૃંગ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ભ્રમર
B.અલિ
C.ભમરો
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
  *પ્રયોગશાળા,સ્વર્ગવાસ,ૠણમુક્ત,દેશપ્રેમ*

A.દ્વન્દ્ધ
*B.તત્પુરુષ* ✔
C.કર્મધારય
D.અવ્યવીભાવ

✍🏻 *'પોલિટેકનિક' નામનો વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહના કર્તા કોણ છે ?*

*A.મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર* ✔
B.મોહનલાલ ભાઈદાસ પટેલ
C.રાજેન્દ્ર કેશવલાલ શાહ
D.સુરેશ હરિપ્રસાદ જોશી

✍🏻 *નીચેનીપંક્તિના રચાયિતા કોણ છે ?*

' મુઠ્ઠી ચણા કે ધાણી,ઝરણાનું મીઠું પાણી,
ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી !

A.રાજેન્દ્ર શાહ
*B.રાજેન્દ્ર શુક્લ* ✔
C.હરીન્દ્ર દવે
D.કલાપી

✍🏻સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
  ઉપરોક્ત પંક્તિનો છંદ ઓળખાવો.

*A.અનુષ્ટુપ* ✔
B.સવૈયા
C.દોહરો
D.મંદાક્રાન્તા

✍🏻 *'શિકારીને' કાવ્યના કવિ કોણ છે ?*

*A.સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

✍🏻 *ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનું જન્મ સ્થળ જણાવો*

A.કાલોલ
*B.ધરમપુર* ✔
C.સુરત
D.ઠાસરા

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  એક થઈ જવું તે

A.એકતા
B.આદિમ
*C.સાયૂજ્ય* ✔
D.પ્રત્યક્ષ

✍🏻 *'અંજલિ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.પ્રાર્થના
B.પ્રેમ
*C.ખોબો* ✔
D.કનક

✍🏻 *નીચેનાપૈકી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*

*A.ઓથ* ✔
B.છાક
C.કેફ
D.નશો

✍🏻 *ચંદ્રકાંત પંડ્યા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.તેમણે શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી.

B.'બાનો ભીખુ ભા.1-2', 'સુદામે દીઠી દ્રારામતી'(યુરોપ પ્રવાસ), 'ઘડીક સંગ શ્યામ રંગનો'(આફ્રિકાનો પ્રવાસ)' અને 'વસાહતીઓનું વતન'(અમેરિકા પ્રવાસ) તેમના નોંધપાત્ર પુસ્તકો છે.

C.તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *ચોપડાની ઈન્દ્રજાળ(ચંદ્રકાંત પંડ્યા) કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.*

A.હાષ્ય નિબંધ
*B.આત્મકથાખંડ* ✔
C.નવલકથા
D.નાટક

✍🏻 *'ડાંગવનો અને..' નિબંધના લેખક કોણ છે ?*

A.ચંદ્રકાંત પંડ્યા
*B.મહેન્દ્રસિંહ પરમાર*✔
C.સુરેશ જોશી
D ચંદ્રકાંત શેઠ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.અભિવ્યક્તિ
*B.આદીવાસી* ✔
C.માહિતી
D.અનુકૂળ

🎯 *સાચી જોડણી:-આદિવાસી*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ગુરુકૂળ
B.પરિચારિકા
*C.રિદ્ધિસિદ્રી* ✔
D.શિક્ષણાધિકારી

🎯 *સાચી જોડણી:-રિદ્ધિસિદ્ધિ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.મ્યુનિસિપાલિટી
B.વિભૂષિત
C.ટીકીટીકી
*D.સ્થિતી*✔

🎯સાચી જોડણી:- *સ્થિતિ*

✍🏻 *'ઓથ* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો

A.આરામ
*B.સહારા* ✔
C.સંહાર
D.નજીક

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

*A.શાહુકાર × હોંશિયાર* ✔
B.લેણદાર × દેણદાર
C.પ્રામાણિક × અપ્રામાણિક
D.અજ્ઞાની × જ્ઞાની

🎯 *શાહુકાર × ગરીબ*

✍🏻 *રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*

A.અરેરાટી અનુભવવી :- ત્રાસી જવું
B.નવે નેજા પડવાં :- ખૂબ તકલીફ પડવી
C.સત્તર પંચા પંચાણું :- અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔

✍🏻 *'આર્થિક સંકડામણ હોવી' રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*

*A.ખૂબ જ દુ:ખી હોવું* ✔
B.પેટે પાંટા બાંધવા
C.આર્થિક તકલીફ હોવી
D.ગરીબ સ્થિતિ હોવી

✍🏻 *કર્તરિ અને કર્મણિ પ્રયોગની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.મુન્નો દવા પીશે :- મુન્નાથી દવા પીવાશે
*B.બા માથું ઓળે છે :- બાથી માથું ઓળવાશે* ✔.
C.પોલીસે ચોરને પકડ્યો :- પોલીસથી ચોર પકડાયો.
D.રમેશે ચાની આદત છોડી :- રમેશથી ચાની આદત છૂટી.

🎯 *બા માથું ઓળે છે :- બાથી માથું ઓળાય છે.*

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

ðŸŽŊ *āŠĩિāŠ·āŠŊ- āŠ—ુāŠœāŠ°ાāŠĪી āŠļાāŠđિāŠĪ્āŠŊ āŠ…āŠĻે āŠĩ્āŠŊાāŠ•āŠ°āŠĢ

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-10*

🎯 *વિષય- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *જયંત પાઠકનું પૂરું નામ જણાવો.*

A.જયંતલાલ રતિલાલ પાઠક
*B.જયંતલાલ હિંમતલાલ પાઠક* ✔
C.જયંતલાલ ચમનલાલ પાઠક
D.જયંતલાલ મગનલાલ પાઠક

✍🏻  ' *ગૃહપ્રવેશ*' *વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?*

*A.સુરેશ જોષી* ✔
B.રાજેન્દ્ર શાહ
C.જયંત પાઠક
D.મોહનલાલ પાઠક

✍🏻 *સુરેશ હરિપ્રસાદ જોષીનું જન્મસ્થળ જણાવો.*

A.આહવા
B.બારડોલી
*C.વાલોડ* ✔
D.ધરમપુર

✍🏻 *'વતનથી વિદાય થતાં'* *નામની સોનેટના રચાયિતા કોણ છે ?*

A.બ.ક.ઠાકોર
*B.જયંત પાઠક* ✔
C.સ્નેહરશ્મિ
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *જયંતલાલ હિંમતલાલ પાઠકનું જન્મસ્થળ જણાવો.*

A.ઉમરેઠ(આણંદ)
B.ઠાસરા(ખેડા)
*C.ગોઠ(પંચમહાલ)* ✔
D.સાવલી(વડોદરા)

✍🏻 *'ક્ષણોમાં જીવું છું' નામનો કવિતાસંગ્રહ કોનો છે ?*

A.રાજેન્દ્ર શાહ
*B.જયંત પાઠક* ✔
C.બ.ક.ઠાકોર
D.મોહનલાલ પટેલ

✍🏻 *'જન્મોત્સવ' વાર્તાના લેખક સુરેશ જોષી વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'જનાન્તિકે','ઈદમસર્વમ','ઈતિ મે મતિ' તેમના નોંધપાત્ર નિબંધસંગ્રહો છે.

B.'કિંચિત્','ચિંતયામિ મનસા','અને 'અષ્ટમોધ્યાય' જેવા નોંધપાત્ર વિવેચનગ્રંથો છે.

C.તેમણે ઈ.સ.1971માં રણજિતરામ સુવર્ણચંદ્રક' તથા ઈ.સ.1983માં 'ચિન્તયામિ મનસા' કૃતિને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.એન્જિનિયરિંગ
B.વીજળી
C.મુહૂર્ત
*D.કુતુહલ*✔

🎯સાચી જોડણી:- *કુતૂહલ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.મજબૂરી
B.ભિખારી
*C.સૃષ્ટી* ✔
D.અભિવ્યક્તિ

🎯 *સાચી જોડણી:-સૃષ્ટિ*

✍🏻 *અલંકાર ઓળખાવો.*

સૂર્યદેવ! તમારા કિરણોએ તો શું ધોળુ કર્યું? અંધકારનું મુખતો કાળુ થઈ ગયું છે!

A.અનન્વય
B.શ્લેષ
C.યમક
*D.વ્યાજસ્તુતિ*✔

✍🏻 *અલંકાર ઓળખાવો.*

આ તપેલી તપેલી છે,ત્યાં તું તપેલી ક્યાં આવી?

A.અનન્વ
B.શ્લેષ
*C.યમક* ✔
D.વ્યાજસ્તુતિ

🎯 *યમક* :- સરખા લાગતા શબ્દ કે શબ્દખંડના પુનરાવર્તનને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ.

🎯 *શ્લેષ* :- એક જ શબ્દના એકથી વધુ અર્થને કારણે આખી પંક્તિ-ઉક્તિના એકથી વધુ અર્થને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ.

✍🏻 *અલંકાર ઓળખાવો.*

જવાની તો જવાની છે,થોડી રોકવાની છે?

A.અનન્વય
B.શ્લેષ
*C.યમક* ✔
D.વ્યાજસ્તુતિ

✍🏻 *મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ............. છે.*

*A.પાટણ* ✔
B.અમદાવાદ
C.પાલનપુર
D.માંડવી

✍🏻 *'પ્રત્યાલંબન', અને 'ઝાકળમાં સૂરજ ઊગે' નામની લઘુકથાઓના સંગ્રહ કોના છે ?*

A.સુરેશ જોષી
*B.મોહનલાલ પટેલ* ✔
C.રાજેન્દ્ર શુક્લ
D.જયંત પાઠક

✍🏻 *'બોલીએ ના કાંઈ' ગીતના રચાયિતા કોણ છે ?*

A.રાજેન્દ્ર શુક્લ
*B.રાજેન્દ્ર શાહ* ✔
C.સુરેશ જોષી
D.જયંત પાઠક

✍🏻 *રાજેન્દ્ર કેશવલાલ શાહ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'ધ્વનિ','આંદોલન','શાંત કોલાહલ','મધ્યમા','અને વિષાદનો સાદ', વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

B.'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' જેવા તેમના બાળકાવ્યના સંગ્રહો છે.

C.તેમને 'ધ્વનિ' કાવ્યસંગ્રહ માટે ઈ.સ. 2001માં 'જ્ઞાનપીઠ' પુરસ્કાર મળ્યો હતો તથા ઈ.સ.1963માં 'શાંત કોલાહલ' કૃતિ માટે દિલ્હી નો સાહિત્ય અકાદમીપુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'અવર' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.વેરાન
B.નજીક
*C.બીજું* ✔
D.પવન

✍🏻 *'કૂપ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.પાંદડું
B.પીડા
*C.કૂવો* ✔
D.સમૂહ

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*

A.તુમૂલ
B.દારૂણ
*C.તલકીબ* ✔
D.ભયાનક

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  *દુ:ખના લીધે ઊંહકારા કરવા તે*

A.કસવું
B.આદિમ
*C.કણસવું* ✔
D.તુમૂલ

✍🏻 *'વનાંચલ' સ્મરણકથાનાં લેખક કોણ છે ?*

*A.જયંત પાઠક* ✔
B.સુરેશ જોષી
C.બ.ક.ઠાકોર
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *જયંતલાલ હિંમતલાલ પાઠક વિષે નીચેનપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'મર્મર','સંકેત','વિસ્મય','મૃગય', અને 'અનુનય' વગેરે તેમના નોંધપાત્ર કવિતાસંગ્રહો છે.

B.'આધુનિક કવિતા પ્રવાહ,'ભાવયિત્રી',અને 'કિમપિ દ્રવ્યમ' એમના વિવેચન ગ્રંથો છે.

C.તેમને ઈ.સ.1976માં 'રણજિતરામ સુવર્ણચંદ્રક' અને ઈ.સ.1980માં 'અનુનય' કવિતાસંગ્રહને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'ગતિભંગ' લઘુકથાના લેખક કોણ છે ?*

A.મહેન્દ્રસિંહ પરમાર
*B.મોહનલાલ પટેલ* ✔
C.ચંદ્રકાન્ત બક્ષી
D.જયંતી દલાલ

✍🏻 *'ગુડ મોર્નિંગ અમેરિકા' નામનો પ્રવાસગ્રંથ કોનો છે ?*

*A.મોહનલાલ ભાઈદાસ પટેલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.જયંતલાલ હિંમતલાલ પાઠક

✍🏻 *મોહનલાલ ભાઈદાસ પટેલ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તરગુજરાતનું પાટણ છે.

B.'બંધન','ડેડ એન્ડ','હાસ્યમર્મર',અને 'લાંછન' તેમની નવલકથાઓ છે.

C.'મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ' એમનું અનુવાદનું પુસ્તક છે.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ :- ઉપરવાસ

B.નદીની કાંકરાવાળી જાડી રેતી :- વેકુર

C.ઢોરને બાંધવાની જગા :- કોઢાર

D.ગાયોનો સમૂહ :- ગોધણ

*E.ઉપરોક્ત તમામ જોડ યોગ્ય છે.*✔

✍🏻 *'ભીડવું'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.ગુસ્સો કરવો
B.ઝઘડો કરવો
*C.બંધ કરવું* ✔
D.તડપવું

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.પરિસ્થિતિ
B.ઘડિયાળ
C.કિમપિ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔

🙏🏻 *Share With Your Friends* 🙏🏻