*_જીકે એન્ડ જીકે_*
*_💘એચ.કે_*💘
*_સામાજિક વિજ્ઞાન_*
ધોરણ: 6 સત્ર: 2
પ્રકરણ - 10
*_આપત્તિ અને વ્યવસ્થાપન_*
📚📚📚📚📚
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?
✍જવાબ: લંબ દિશામાં
2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ?
✍જવાબ: ભૂકંપ
3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?
✍જવાબ: બંધ કરવો
4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?
✍જવાબ: પૂર
5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?
✍જવાબ: દુષ્કાળ
6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?
✍જવાબ: દાવાનળ
7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?
✍જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ
8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?
✍જવાબ: આગ
9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?
✍જવાબ: ઔદ્યોગિક અકસ્માત
10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?
✍જવાબ: ત્સુનામી
11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?
✍જવાબ: ત્સુનામી
12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?
✍જવાબ: હુલ્લડ
13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?
✍જવાબ: દુકાળ
14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?
✍જવાબ: જંગલની આગ
15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?
✍જવાબ: વાવાઝોડું
16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?
✍જવાબ: સૂકો દુકાળ
17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?
✍જવાબ: લીલો દુકાળ
18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?
✍જવાબ: ભૂકંપ
19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?
✍જવાબ: જ્વાળામુખી
20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?
✍જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી
21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?
✍જવાબ: આપેલા ત્રણેય
22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: શારીરિક અસર
23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: માનસિક અસર
24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: આર્થિક અસર
25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: સામાજિક અસર
No comments:
Post a Comment