📮સામાજિક વિજ્ઞાન📮
📮ધોરણ: 8📮
📮સત્ર: 2📮
👁🗨પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2👁🗨
👁🗨કુલ પ્રશ્નો: 42👁🗨
📇કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો ?
✔સવિનય કાનૂનભંગની ચળવળમાં
📇સવિનય કાનૂનભંગની લડત અન્વયે કઈ ઘટના બની ?
✔દાંડીકૂચ
📇દાંડીકૂચની શરૂઆત કોણે કરી ?
✔ ગાંધીજીએ
📇ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી હતી ?
✔સાબરમતી આશ્રમથી
📇દાંડીકૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા ?
✔78
📇દાંડીકૂચ ક્યારે આરંભાઈ ?
✔12 માર્ચ,1930ના રોજ
📇ગાંધીજીએ મીઠાના કાયદાનો ક્યારે ભંગ કર્યો ?
✔6 એપ્રિલ, 1930ના રોજ
📇ગોળમેજી પરિષદો ક્યા સ્થળે યોજાઈ હતી ?
✔લંડન
📇ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?
✔બીજી
📇હિંદ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
✔ઈ.સ.1935માં
📇મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?
✔ લાહોર અધિવેશનમાં
📇ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?
✔વિનોબા ભાવેની
📇વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી ?
✔ વર્ધા નજીક પવનાર ગામથી
📇'કરેંગે યા મરેંગે' સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?
✔ હિંદ છોડો
📇બ્રિટનના કયા વડાપ્રધાને હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ?
✔એટલીએ
📇કૅબિનેટ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું ?
✔ઈ.સ.1946માં
📇વચગાળાની સરકારના વડા પ્રધાન કોણ બન્યા ?
✔જવાહરલાલ નેહરુ
📇બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું ?
✔ ઈ.સ.1939માં
📇દાંડી ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
✔નવસારી
📇ક્યા મુસ્લીમ નેતા હિંદને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા ?
✔મોહમ્મદ અલી ઝીણા
📇ગોળમેજી પરિષદનો ઉદ્દેશ શું હતો ?
✔ભારતને કેવું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા
📇બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી ?
✔ ઇ.સ. 1931માં
📇બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે ..............................
✔અલગ મતદાર મંડળની માગણી કરી.
📇ઇ.સ. 1939માં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં, કારણ કે...
✔હિંદને પૂછ્યા વિના બ્રિટિશ સરકારે હિન્દને ઇંગ્લૅન્ડના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડી દીધું.
📇ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું , કારણ કે...
✔વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં મૂકવા ઇચ્છતા નહોતા.
📇વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ?
✔ઇ.સ. 1940માં
📇'હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો ?
✔8 ઑગસ્ટ, 1942ની રાત્રે
📇ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ?
✔ મીઠા ઉત્પાદનનું
📇ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ?
✔સરોજિની નાયડુએ
📇'1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહિ, પરંતુ ગવર્નરોને આપ્યું હતું' આવો મત કોનો હતો ?
✔ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો
📇હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ રાષ્ટ્રીયતા ધરાવતા હોવાથી તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવો પ્રચાર કયા મુસ્લિમ નેતાઓ કરતા હતા ?
✔ મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમતઅલી
📇હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે નવી દરખાસ્તો સાથે હિંદ કોને મોકલ્યો ?
✔સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને
📇વ્યક્તિગત સત્યાગ્રહ કરવાના કારણે વિનોબા ભાવેની ધરપકડ કરી કેટલા માસની સજા કરવામાં આવી ?
✔3
📇ક્રિપ્સ મિશનમાં કઈ વાતનો ઉલ્લેખ ન હતો ?
✔હિંદને સ્વાયત્તતા આપવાના સમયની
📇કયા આંદોલનથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી.
✔હિંદછોડો
📇કૅબિનેટ મિશન અંતર્ગત બ્રિટિશ પ્રધાનમંડળના કેટલા આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું ?
✔ 3
📇કૅબિનેટ મિશન યોજનામાં નીચેનામાંથી કઈ દરખાસ્ત હતી ?
✔આપેલા બધા
📇કૅબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં કયા પક્ષે સારો દેખાવ કર્યો ?
✔કૉંગ્રેસે
📇કૅબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે તે દિવસને કયા દિવસ તરીકે ઊજવ્યો ?
✔સીધાં પગલાં દિન
📇બ્રિટનના વડાપ્રધાને ક્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત છોડી ચાલ્યા જવાની જાહેરાત કરી ?
✔20 ફેબ્રુઆરી, 1947
📇બ્રિટિશ સરકારનો મોડામાં મોડું ક્યાં સુધીમાં જવાબદાર હિંદીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઇરાદો હતો ?
✔જૂન, 1948
📇કોણે ભારત છોડવાની જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી હતી ?
✔ગાંધીજીએ
🔃સમીર પટેલ 🔃
⚫💭 ज्ञान की दुनिया 💭⚫
No comments:
Post a Comment