Wednesday 21 December 2016

Ss8$2◼પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી◼

⚫સામાજિક વિજ્ઞાન⚫
⚫ધોરણ: 8⚫
⚫સત્ર: 2⚫

◼પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી◼
◼કુલ પ્રશ્નો: 44◼

📇આપણો દેશ ક્યારે આઝાદ થયો ?
✔ 15/8/1947

📇ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં ?
✔ 562

📇ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો ?
✔ લોર્ડ માઉન્ટ બેટને

📇માઉન્ટબેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો ?
✔હિંદ સ્વાતંત્ર્ય ધારો

📇પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ ?
✔ મહંમદઅલી ઝીણાની

📇સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ ?
✔ ચક્રવર્તી રાજગોપાલાચારી

📇સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા ?
✔લૉર્ડ માઉન્ટ બેટનને

📇ભાતરના પ્રથમ વડા પ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો ?
✔જવાહરલાલ નેહરુએ

📇સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું ?
✔ત્રાવણકોર રાજ્યને

📇કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું ?
✔જૂનાગઢ રાજ્યના

📇દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કોણે કર્યું ?
✔ સરદાર પટેલે

📇ભારતસંઘમાં જોડાવવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી ?
✔ કૃષ્ણકુમારસિંહજીએ

📇દિલ્લીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો ?
✔જવાહરલાલ નેહરુએ

📇ગાંધીજીની હત્યા કોણે કરી ?
✔નથ્થુરામ ગોડસેએ

📇આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ?
✔ગાંધીજીને

📇બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી ?
✔ ઈ.સ.1946માં

📇બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?
✔ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

📇બંધારણની મુસદ્દાસમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા ?
✔ડૉ.બાબાસાહેબ આંબેડકરને

📇આપણું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ?
✔26/1/1950

📇ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
✔ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

📇હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ કેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ?
✔80 લાખ

📇હિન્દુસ્તાનના બે ભાગ થતાં ભારત માટે કઇ સમસ્યા વિકટ બની હતી ?
✔આપેલા બધા

📇'ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહિ કરવામાં આવે, તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, લોકો પરેશાન થશે.' એવો મત કોનો હતો ?
✔લૉર્ડ માઉન્ટ બેટનનો

📇હિંદ સ્વાતંત્ર્યધારામાં કઈ જોગવાઇ હતી ?
✔ આપેલા બધા

📇દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારને સાથ આપનાર તેમના સચિવ કોણ હતા ?
✔ વી.પી. મેનન

📇ભારત સંઘમાં જોડવા માટે છેલ્લે કયા ત્રણ દેશી રાજ્યોનો પ્રશ્ન બાકી રહ્યો ?
✔ જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર

📇જૂનાગઢના નવાબ વિરૂદ્ધ લડવા માટે શાની સ્થાપના કરવામાં આવી ?
✔આરઝી હકૂમત

📇આરઝી હકૂમતની સ્થાપના કોણે કરી હતી ?
✔રતુભાઈ અદાણી

📇જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા કોણ હતા ?
✔ હરિસિંહ

📇મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?
✔લાહોર અધિવેશનમાં

📇ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો ?
✔માર્ચ, 1947માં

📇ઇંગ્લૅન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' ક્યારે પસાર કર્યો ?
✔ ઇ.સ. 1947માં

📇પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો ?
✔ ઇ.સ. 1948માં

📇ગાંધીજીની હત્યા ક્યારે થઈ ?
✔30 જાન્યુઆરી, 1948ના રોજ

📇બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી ?
✔ ડિસેમ્બર, 1949 સુધી

📇બંધારણ ઘડવા માટે બંધારણ સભાના કેટલા સત્ર યોજાયા ?
✔11

📇બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલા દિવસ બેઠકો થઈ ?
✔ 166

📇બંધારણ ઘડવાની પ્રક્રિયામાં લગભગ કેટલા ભારતીયોએ ભાગ લીધો ?
✔300

📇આપણે ક્યા દિવસને 'પ્રજાસત્તાકદિન' તરીકે ઊજવીએ છીએ ?
✔26 જાન્યુઆરીના દિવસને

📇આપણે ક્યા દિવસને 'સ્વાતંત્ર્યદિન' તરીકે ઊજવવીએ છીએ ?
✔15 ઑગસ્ટના દિવસને

📇ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં તેને રોકવા ગાંધીજીએ શું કર્યું ?
✔ઉપવાસ કર્યા.

📇ગાંધીજીનું જે દિવસે મોત થયું તે દિવસે ગાંધીજી સાંજે પ્રાર્થના કરવા માટે ક્યાં જઈ રહ્યા હતા ?
✔બિરલાહાઉસ

📇'દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી' આ શોકસંદેશો આકાશવાણી પર કોણે આપ્યો ?
✔જવાહરલાલ નેહરુએ

📇બાપુની સ્મશાન યાત્રા ક્યાં નીકળી ?
✔ દિલ્લીમાં

💭સમીર પટેલ 💭
🎶👁‍🗨 ज्ञान की दुनिया 👁‍🗨🎶

No comments:

Post a Comment