Tuesday 31 January 2017

📚📚ગુજરાતી પુસ્તકો 📚📚

📚📚ગુજરાતી પુસ્તકો 📚📚

📮સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી

📮સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી

📮સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી

📮માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.

📮અપરાધી - ઝવેરચંદ મેઘાણી.

📮ઓથાર - અશ્વિની ભટ્ટ

📮અંગાર -અશ્વિની ભટ્ટ

📮આખેટ - અશ્વિની ભટ્ટ

📮ફાંસલો – અશ્વિની ભટ્ટ

📮કસબ - અશ્વિની ભટ્ટ

📮કરામત - અશ્વિની ભટ્ટ

📮કમઠાણ - અશ્વિની ભટ્ટ

📮અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ

📮પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા

📮યુવા હવા - જય વસાવડા

📮સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા

📮માહિતી નો મહાસાગર - જય વસાવડા

📮નોલેજ નગરીયા - જય વસાવડા

📮જય હો - જય વસાવડા

📮સાયન્સ સમંદર - જય વસાવડા

📮જી.કે. જંગલ - જય વસાવડા

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
📇👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📇
📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા

📮મુક્તિબંધન - હરકિશન મહેતા

📮સત્ય ના પ્રયોગો - ગાંધીજી

📮મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી

📮કન્યાને પત્રો - ગાંધીજી

📮અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી

📮સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી

📮વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી

📮મળેલા જીવ - પન્નાલાલ પટેલ

📮માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ

📮ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી

📮પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી

📮પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી

📮મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી

📮જય સોમનાથ - કનૈયા લાલ મુનશી

📮કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી

👁‍🗨જ્ઞાન કી દુનિયા 👁‍🗨
📇👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📇

Friday 27 January 2017

💐 About 26th jan💐

💐💐💐💐💐💐💐

🏅ભારતના સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

💥જ્યારે કે, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દિલ્હીમા ધ્વજ ફરકાવે છે.

💐આજે 26મીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તમને જરૂરથી એવુ થતું હશે કે આવું કેમ.

🍂 *15મીએ વડાપ્રધાન અને 26મીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે*.

🌻 આ
સવાલનો જવાબ જાણવાતમને જરૂર ગમશે.

🏅સ્વતંત્રતા દિવસ પર પોલિટિકલ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં હિસ્ટોરિક લાલ કિલ્લા પર વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા નથી.

🍂 કારણ કે, તે સંવિધાનિક હેડ છે અને 1950 સુધી ભારતનું બંધારણ પણ ઘડાયું ન હતું અને કોઈ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા. તેથી સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

🌻જ્યારે કે, ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી, 1950ના રોજ ઘડાયું હતું. આ દિવસે ભારત પાસે બંધારણીય પ્રમુખ હતા, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાયા હતા. ત્યારથી દર 26મી જાન્યુઆરીએ ભારતના બંધારણીય પ્રમુખ એટલે કે, રાષ્ટ્રપતિ જ રાજપથ પર ત્રિરંગો લહેરાવે છે.

😘akkii😘

Sunday 22 January 2017

💐💐2 રાજધાની ધરાવતા ભારતીય રાજ્યો💐💐

💐💐2 રાજધાની ધરાવતા ભારતીય રાજ્યો💐💐

🌻હિમાચલપ્રદેશના મુખ્યમંત્રીશ્રી વિરભદ્રસિંઘ દ્વારા ‘શિમલા’ બાદ ‘ધરમશાળા’ ને  પોતાના રાજયની બીજી રાજધાની જાહેર કરવામાં આવી,

🍂🍂આમ ભારતમાં  2 રાજધાની ધરાવનાર રાજયોની સંખ્યા 3 થઈ ગઈ

😘આ પેહલા 2 ભારતીય રાજ્યો મહારાષ્ટ્ર (રાજધાની–નાગપુર અને મુંબઈ) અને જમ્મુ અને કશ્મીર (રાજધાની–શ્રીનગર અને જમ્મુ) 2 રાજધાની ધરાવનાર રાજયો હતા.

🙏🏼🙏🏼akki🙏🏼🙏🏼

Saturday 21 January 2017

💐💐કવિ દલપતરામ💐💐

💐💐કવિ દલપતરામ💐💐
January 21
                       

😘 ગુજરાતી કવિ દલપતરામનો જન્મ તા. ૨૧/૧/૧૮૨૦ના દિવસે વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો.  તેમના પિતા ડાહ્યાભાઈ પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં લીધું બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ હતો.

🌻🌻શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો.

🍂🍂ઈ.સ.૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ઈ.સ.૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી.

🌻પરંતુ ઈ.સ. ૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી હતી. ઈ.સ.૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. તેમનું ઉપનામ ‘ત્રવાડી’ હતું. 
                   

💐   ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.

💥અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે રચી છે. ‘વેનચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી.

🍂‘દલપતકાવ્ય’-ભા.૧, ૨માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપૂણે અત્યારે ઉપલબ્ધ નથી.

🌻 ‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘વિજ્યવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્રપ્રબંધો, બોધક દ્રષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિનોદ છે. દલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું ‘લક્ષ્મી નાટક’  એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ છે.

🍂 સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે ‘સ્ત્રીસંભાષણ’ , ‘તાર્કિકબોધ’ ,‘દૈવજ્ઞદર્પણ’, સંસ્મરણલેખો તેમની કૃતિઓ છે. એમણે ‘ભૂતનિબંધ’ , ‘જ્ઞાતિનિબંધ’ , ‘પુનર્વિવાહપ્રબંધ’ , ‘શહેરસુધરાઈનો નિબંધ’  વગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે.

🌻‘ગુજરાતી પિંગળ/‘દલપતપિંગળ’ અને ‘અલંકારાદર્શ’  એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે.

😰તેમનું ૨૫ માર્ચ ૧૮૯૮ના રોજ અમદાવાદમાં અવસાન થયું.

Monday 16 January 2017

💐CONFUSING DAYS :-💐

💐CONFUSING DAYS :-💐

•• National Youth Day : January 12

•• International Youth Day : August 12

•• National Teachers' Day : September 5

•• International Teachers' Day : October 5

•• National Tourism Day : January 25

•• International Tourism Day : September 27

•• National Children's Day : November 14

•• International Children's Day : November 20

•• National Consumer Day : December 24

•• International Consumer Day : March 15

•• National Postal Day : October 10

•• International Postal Day : October 9

•• National Blood Donation Day : October 1

•• World Blood Donors Day : June 14

Saturday 14 January 2017

💐*ગુજરાતી ભાષાના અમૂલ્ય* *મોતીઓનો ખજાનો !!!*💐

*ગુજરાતી ભાષાના અમૂલ્ય*
*મોતીઓનો ખજાનો !!!*

સૌન્દર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે !
સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે !
- *કલાપી*

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
- *રમેશ પારેખ*

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
- *અનીલ જોશી*

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
- *ઓજસ પાલનપુરી*

અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
- *સૈફ પાલનપુરી*

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
- *હરીન્દ્ર દવે*

તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
– *ખલીલ ધનતેજવી*

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ
– *મુકેશ જોશી*

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
- *બી.કે. રાઠોડ ‘બાબુ’*

બેઠ કબીરા બારીએ, સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
– *રમેશ પારેખ*

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– *રાજેન્દ્ર શુક્લ*

ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
– *મરીઝ*

દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.
– *અદી મીરઝાં*

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
– *સૈફ પાલનપુરી*

અહિંયા બધું અધૂરું, અધૂરું, છતાં શું મધુરું, મધુરું. પિયારે !
હજી કાન માંડી હજી સાંભળી જો,ન સંગીત જગનું બસૂરું પિયારે !
- *પ્રજારામ રાવળ*

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
- *મરીઝ*

રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
–  *સુંદરમ*

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
- *બરકત વિરાણી ‘બેફામ’*

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
– *મરીઝ*

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
–  *રમેશ પારેખ*

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
- *ડો. વિનોદ જોષી*

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ
–  *મનોજ ખંડેરિયા*

નથી નથી મુજ તત્વો વિશ્વ્ થી મેળ લેતાં !
હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ્ માટે !
- *કલાપી*

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
– *રિષભ મહેતા*

સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
– *લલિત ત્રિવેદી*

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
- *મરીઝ*

યારી ગુલામી શું કરું ? તારી સનમ !
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને સનમ !
- *કલાપી*

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
–  *જલન માતરી*

તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
–  *ગની દહીંવાલા*

પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ !
- *કલાપી*

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
–  *ડૉ. હરીશ ઠક્કર*

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
–  *બેફામ*

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
- *રઈશ મણીયાર*

તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.
- *ભગવતીકુમાર શર્મા*

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
- *બેફામ*

ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
- *શૂન્ય*

ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે,
ચમનને કદી પણ નથી છોડવાના.
- *મુકબિલ કુરેશી*

કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે
–  *મુકુલ ચોકસી*

છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
–  *અમિત વ્યાસ*

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
- *હરીન્દ્ર દવે*

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને !
અહેસાનમાં દિલ જુકતું રહેમત ખડી ત્યાં આપની !
- *કલાપી*

Wednesday 11 January 2017

💐*વિવિધ તત્વોનુ કાર્ય:-*💐

*વિવિધ તત્વોનુ કાર્ય:-*

*1. નાઇટ્રોજન (N):-*
- વાનસ્પતિક વૃધ્ધિ
- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
- હરિતકણના નિર્માણ માટે

*2. ફોસ્ફોરસ (P):-*
- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
- ATP ના બંધારણમા
- થડના મજબુત વિકાસ માટે
- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ

*3. પોટાશ (K):-*
- ફળના વિકાસ માટે
- ફળની ગુણવત્તા માટે
- રોગ પ્રતિકારકતા વધારે છે
- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે

*4. કેલ્શિયમ (Ca):-*
- કોષના બંધારણમા
- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે

*5. મેગ્નેશીયમ (Mg):-*
- હરિતકણના બંધારણ માટે
- છોડના લીલાશ (રંગ) માટે
- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે

*6. સલ્ફર (S):-*
- એમિનો એસીડના નિર્માણ માટે
- હરિતકણના નિર્માણ માટે
- તેલની ટકાવારી વધારવા માટે
- છોડની રોગપ્રતિકારકતા વધારે છે

*7. ઝિંક / જસત (Zn):-*
- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
- ફુલ અને ફળના વિકાસ માટે
- ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે

*8. બોરોન (B):-*
- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

*9. કોપર / તાંબુ (Cu):-*
- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

*10. લોહતત્વ (Fe):-*
- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

*11. મેંગેનિઝ (Mn):-*
- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

*12. મોલિબ્ડેનમ (Mo):-*
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે

*13. નિકલ (Ni):-*
- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

*14. ક્લોરાઇડ (Cl):-*
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી

🙏🙏🙏🙏🙏🙏🙏

📇જાણો ઈડર શહેરનો ઈતિહાસ📇

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

📇જાણો ઈડર શહેરનો ઈતિહાસ📇

👁‍🗨ગુજરાત દર્શન : ટેકરીઓના પેટાળમાં વસેલુ શહેર ઈડર👁‍🗨

💬〰અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે.

💬〰પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને અસુરોનો નાશ કર્યો હતો.

💬〰 આ સમય દરમ્યાન આ ભૂમિ "ઈલ્વભૂમિ" તરીકે જાણીતી થઈ.

💬〰ત્યાર પછી અલગ અલગ રાજા ઓના રાજ્યકાળ દરમ્યાન અહીના ડુંગરો, ટેકરીઓ જે રાજ્યશાસન માટે કિલ્લા સમાન છે તેથી કદાચ આ પ્રદેશ પહેલા ઈલદુર્ગ નામથી જાણીતો બન્યો અને પછી ધીરે ધીરે ઈલદુર્ગ શબ્દ નું ટુંકા સ્વરૂપે આજે ઈડર નામથી જાણીતુ છે.

💬〰આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો જુની હોવા છતાં પણ તેમની તેમ છે અને ખુબ જ સુંદર લાગે છે.

💬〰તેમનો ઇતિહાસ ખૂબ જ સુંદર છે.
💢ઇડરનો ઇતિહાસ 💢

💬〰વર્ષો પહેલાં આ પ્રદેશ માં વેણીવરછરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો.

💬〰જેનો જન્મ ઈડર ના ડુંગરો માં થયેલો હતો.

💬〰આજે પણ ઈડરના ગઢ પર વેણીવરછરાજ કુંડ છે.

💬〰 વેણીવરછરાજ ની માતા હિમાલય ના ગઠવાલા તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી.

💬〰જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લાવ્યોં જ્યાં ઉચિત સમયે વેણીવરછરાજ નો જન્મ થયો.

💬〰વેણીવરછરાજે કેટલાક વર્ષ અહી રાજ કર્યુ એક દંતકથા પ્રમાણે વેણીવરછરાજ ના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા.

💬〰ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર એક નાનકડું શહેર છે.

💬〰 આ શહેર 20 કિલોમીટરના એરીયામાં ફેલાયેલું છે.

💬〰જે રાજસ્થાનની અને સાબરકાંઠાની સરહદે આવેલું છે.

💬〰 આ શહેર ખાસ કરીને રમકડા બનાવવા માટે જાણીતું છે અને તેના મંદિરો માટે પણ.

💬〰ઇડરની અંદર રમકડાના બજારને ખરાડી બજાર કહેવામાં આવે છે.

💬〰 ઇડરની બહારની બાજુ રાણી તળાવ આવેલું છે.

💬〰એમ કહેવાય છે કે, આ તળાવમાં રાજા રજવાડાના સમયમાં રાણીઓ સ્નાન કરવા માટે આવતી હતી.

💬〰 તેની બાજુમાં જૈનોનું એક ખુબ જ સુંદ જે એવું દ્રશ્યમાન થાય છે કે જાણે કોઇ તળાવની વચ્ચે કોઇ મંદિર બનાવેલું હોય.

💬〰તેનું સૌદર્ય સાંજના સમયે ખુબ જ અલૌકિક લાગે છે.

💬〰આ શહેર અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે.

💬〰તેથી આખા શહેરની આજુબાજું પથ્થરના ડુંગરો આવેલા છે અને તેની પર એક ડુંગર તો ખુબ જ પ્રખ્યાત છે જેનું નામ છે - ઇડરીયો ગઢ.

📇સમીર પટેલ 📇
📡જ્ઞાન કી દુનિયા📡

Tuesday 10 January 2017

🏵🏵🏵 હરીન્દ્ર દવે 🏵🏵🏵

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

🏵🏵🏵 હરીન્દ્ર દવે 🏵🏵🏵

📮જન્મઃ
〰૧૯/૯/૧૯૩૦

📮જન્મસ્થળઃ
〰 કચ્છનું ખંબરાગામ

📮પિતાઃ
〰જયંતિભાઇ દવે

📮વતનઃ
〰ભાવનગર(સૌરાષ્ટ્ર)

📮અભ્યાસઃ
〰 બી.એ –મુંબઇ યુનિવર્સિટી(ગુજરાતી સાથે)

📮વ્યવસાયઃ
〰 કર્તાઃ “ જનશક્તિ” દૈનિકના(૧૯૫૧ થી ૧૯૬૨ સુધી)
〰સંપાદકઃ “સમર્પણ”ના(૧૯૬૨ થી ૧૯૬૮)
〰તંત્રીઃયુસિસની મુંબઇ ઑફિસ(ગુજરાતી વિભાગ)માં

🏆પારિતોષિકઃ  
〰 રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૮૨)
〰સાહિત્ય અકાદમી એવાર્ડ(૧૯૭૮)
〰દિલ્હીનો એવોર્ડ(૧૯૮૨)

📮સાહિત્ય પ્રદાનઃ📮

⭕કાવ્યસંગ્રહઃ
〰આસવ
〰મૌન
〰સમય
〰સૂર્યોયનિષદ
〰મનન
〰અર્પણ

⭕નવલકથાઃ
〰પળનાં પ્રતિનિબિંબ
〰અનાગત
〰માધવ કયાંય નથી
〰મુખવટો
〰ગાંધીની કાવડ
〰અગનપંખી
〰નિર્મોહી
〰સંગઅસંગ
〰વસિયત
〰લોહિનો રંગલાલ
〰સુખ નામનો પ્રદેશ
〰કૃષ્ણ અને માનવસંબંધ

⭕દીર્ઘનાટકઃ
〰યુગયુગ
〰સંધ્યાકાળે પ્રભાતફેરી

⭕ગઝલઃ
〰હયાતી

⭕નિબંધઃ
〰શબ્દ ભાતર સુધી
〰ઈશ્વરનીઆંખનું આંસુ
〰કથાયાત્રા
〰નીરવ સંવાદ
〰વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય

⭕ વિવેચનઃ
〰મુશાયરાની કથા
〰ધ્યારામ
〰ગાલીબ
〰કવિ અને કવિતા
〰કલમની પાંખે

⭕અનુવાદઃ
〰પિંજરનું પંખી
〰ધરતીનાં છોરું
〰જયોતસદાયે જલે
〰પરિનિર્વાણ
〰ચરણ રૂકે ત્યાં
〰એકલાની પગદંડી
〰વાદળ વરસ્યાં નહી
〰શૈશવ અને બીજી વાતો

📡પ્રખ્યાત કાવ્ય📡

📽“  અમોને નજરું લાગી”

📽સોળ સજી શણગાર ગયા જયાં જરીક ધરતી બહાર અમો.

📽બે પાપણની વચ્ચેથી એક સરકી આવી સાપણ

📽ડંખી ગઇ વરણાગી……..

🙏🏻💐અવસાનઃ 💐🙏🏻
〰૨૯/૩/૧૯૯૫(મુંબઇ)માં

💬👁‍🗨સમીર પટેલ 👁‍🗨💬

Monday 9 January 2017

💐સ્માર્ટ સિટી મિશન💐

💐સ્માર્ટ સિટી મિશન💐

🌻ભારત સરકારની આ એક શહેરી નવીનીકરણ અને પુનઃસંયોજન યોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશના 109 (પેહલા 100 શહેરો માટે હતો) શહેરોનો વિકાસ એવી રીતે કરવાનો છે કે જેથી તે ટકાઉ અને નાગરિકોને અનુકૂળ બની રહે
કેન્દ્રિય શહેરી વિકાસ મંત્રાલય  હેઠળ આ યોજના આકાર પામી રહી છે.

🌻 ઉલ્લેખનીય છે કે, આ યોજના માટે ગુજરાતમાંથી કુલ 6 શહેરોની સ્માર્ટ સિટી મિશન  હેઠળ પસંદગી કરવામાં આવી છે.જેમાં 1) ગાંધીનગર  2) અમદાવાદ  3) સુરત  4) વડોદરા  5) રાજકોટ  6) દાહોદ નો સમાવેશ કરવામાં આવ્યો છે

🌻ચેન્નઈ,વારાણસી અને અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવામાં જાપાન મદદ કરશે.

🌻જાપાન સરકાર ભારતના 3 શહેરોને ભારતની ખુબજ મહત્વકાંશી યોજના ‘સ્માર્ટ સિટી’ હેઠળ વિકસાવવા સંમત થઈ ગઈ છે.ભારતના કુલ 15 શહેરોને વિવિધ દેશો દ્વારા સ્માર્ટ સિટી બનાવવા માટે કરાર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

💐દેશનું નામ💐

🌻કયા સ્માર્ટ શહેર બનાવવામાં મદદ કરશે

😊અમેરિકા😊

વિશાખાપટ્ટનમ , અજમેર, અલ્હાબાદ

😉બ્રિટન😉

પુણે અમરાવતી , ઇંદૌર

😊ફ્રાંસ😊

ચંદીગઢ , પુદ્દુચેરી , નાગપૂર

😉જર્મની😉

ભુવનેશ્વર, કોઇમ્બતુર , કોચી

😊જાપાન😊

અમદાવાદ , વારાણસી , ચેન્નઈ

😘@kki

Sunday 8 January 2017

💐14મો પ્રવાસી ભારતીય દિવસ💐

💐14મો પ્રવાસી ભારતીય દિવસ💐


🌺વર્તમાનમાં લગભગ 3.12 કરોડ ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વસેલા છે, ભારતના પ્રથમ ‘પ્રવાસી ભારતીય દિવસ’નું આયોજન જાન્યુઆરી 2003 માં દિલ્હી ખાતે થયું હતું. અત્યાર સુધી કૂલ 13 પ્રવાસી ભારતીય દિવસ ઉજવાઇ ગયા છે

🌺13મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા તે વાતને 100 વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી સ્વરૂપે જાન્યુઆરી 2015માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો

🌺સામાન્ય રીતે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન દિલ્હીની બહાર એવા રાજ્યોની સાથે ભાગીદારી કરી  કરવામાં આવે છે જ્યાં પ્રવાસી ભારતીઓની સંખ્યા વધારે હોય

🌺આ સંમેલનના લીધે ખાસ કોઈ પરિણામ મેળવી શકાયું નથી આથી, આ એક પુનરાવર્તિત સંમેલન બની ગયું હતું

🌺આથી વિદેશમંત્રાલય દ્વારા આ સંમેલનને નવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, હવે પછીથી પ્રવાસી ભારતીય દિવસ 2 વર્ષમાં 1 વાર ઉજવવામાં આવશે

🌺14મો પ્રવાસી ભારતીય દિવસ સમારોહ કર્ણાટકના બેંગલુરુ ખાતે 7 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી યોજાશે

🌺7 જાન્યુઆરી ના રોજ ‘યુવા પ્રવાસી ભારતીય દિવસ’નું ઉદઘાટન કેન્દ્રિય રમત ગમત મંત્રી વિજય ગોયલ અને વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે.સિંહ દ્વારા કરવામાં આવશે, સુરીનામના 36 વર્ષના ઉપ-રાષ્ટ્રપતિ ‘માઈકલ અશ્વિન અધીન’ સમારંભના વિશેષ અતિથિ બનશે

🌺યુવા પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં યુવા પ્રવાસી ભારતીયોને ભારતની સંસ્કૃતિ અને વિરાસતની સાથે-સાથે સમકાલીન ભારત એમ બંને વિશે જાગરૂકતા વધારવા અને ભારતીય જડો સાથે તેમને જોડવા માટેના પ્રયત્ન કરવામાં આવશે

🌺ઉદઘાટન સત્ર ‘ભારતના પરીવર્તનમાં પ્રવાસી ભારતીય યુવાઓની ભૂમિકા’ વિષય પરથી કરવામાં આવશે

🌺‘ભારતને ઓળખો’ કાર્યક્રમ અંતર્ગત યુવા પ્રવાસી ભારતીય દિવસે કૂલ 160 યુવાઓ ભાગીદારી કરશે

🌺8 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસના સંમ્મેલનનું ઉદઘાટન ભારતના વડાપ્રધાનશ્રી કરશે, પોર્ટુગલના પ્રધાનમંત્રીશ્રી ડૉ.એનટોનીયો કોસ્ટા ઉદઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશે.