Tuesday 14 March 2017

🎆અગનપંખ ( Wings of Fire)🎆

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🌿પુસ્તકનુંનામ     :-અગનપંખ ( Wings of Fire)     
🌿લેખકનુંનામ  :-  એ.પી.જે.અબ્દુલકલામ
🌿અનુવાદક    :-  હરેશ ધોળકિયા
🌿સાહિત્ય પ્રકાર  :-  આત્મકથા

🐝🎯ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ કલામ  ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા.

🐝🎯તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં પુસ્તકો છે. 

🐝🎯તેમણે અરુણ તિવારી સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી છે.

🐝🎯તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે.

🐝🎯આ માત્ર તેમની આત્મકથા જ નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે.

🐝🎯 પુસ્તકની શરૂઆત તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ ગામના એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબથી  થાય છે.

🐝🎯 ડૉ. કલામ તેમના પિતાની જન્મજાત સાહજિકતા, બુદ્ધિપ્રતિભા અને ઉદારતાનું વર્ણન કરતાં લખે છે કે ‘ તે દરરોજ કેટલા લોકોને ભોજન કરાવતાં તે હું ચોક્કસ કહી શકું તેમ નથી….’ રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી  શ્રી લક્ષ્મણ શાસ્ત્રીની તેમના  પિતાજી  સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાં ડૉ.કલામ જણાવે છે કે મારા પિતા અને શાસ્ત્રીજી ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં  મશગુલ રહેતા.

🐝🎯ડૉ.કલામના જીવનમાં તેમના પિતાની ઉંડી અસર વર્તાય છે.

🐝🎯 તેમણે સમગ્ર જીવન દરમિયાન તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં તેમના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો હતો.

🐝🎯લગભગ છ વર્ષની વયે તેમને અહમદ જલાલુદીનનો પરિચય થાય છે.ઓછું  શિક્ષણ હોવા છતાં  જલાલુદીન હંમેશા તેમને અભ્યાસમાં પ્રોત્સાહિત કરતા હતા.

🐝🎯રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે આવતાં રામેશ્વરમ રોડ પર ચાલતી ટ્રેનમાંથી છાપાના બંડલ ફેંકીને મેળવેલી પ્રથમ આવક માટેગૌરવની લાગણી તેમણે અનુભવી હતી.
🐝🎯પોતાને વારસામાં પિતા પાસેથી પ્રમાણિકતા અને આત્મશિસ્ત મળ્યા હોવાનો ગર્વ કરતાં ડૉ.કલામ કહે છે કે તેને પરિણામે જ તેમની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું  હતું.

🐝🎯શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવસુબ્રમણ્ય ઐયર તેમની સાથે કલાકો ગાળતા અને કહેતા : કલામ , હું તને એટલો વિકસિત જોવા માંગું છું.

🐝🎯જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે …’ શ્રી ઐયર  જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે શિવસુબ્રમણ્ય ઐયરના સામાજિક  બંધનો તોડવાના પ્રયાસનો ખાસ ઉલ્લેખ તેમણે  કર્યો છે.

📿🔊આગળ વાંચો....
🔵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🔵

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

🐝🎯રામનાથપુરમની સ્વાર્ટજ  હાઇસ્કુલના શિક્ષક ઈમાદુરાઈ  સોલોમન  તેમના શ્રેષ્ઠ  માર્ગદર્શક બની રહ્યા.

🐝🎯ડૉ.કલામલખે છે ‘ બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીનાં ઉડ્ડયનો પ્રત્યે ખૂબ આકર્ષણ હતું…….

🐝🎯સ્વાર્ટજ હાઇસ્કુલથી ત્રીચિની સેન્ટ જોસેફ કોલેજ સુધીના વિદ્યાર્થીકાળમાં ડૉ.કલામ અંગ્રેજી સાહિત્યથી માંડીને તત્વજ્ઞાનના વાંચન તરફ વળે છે.

🐝🎯આ સમય દરમિયાન જ તેમણે ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ રસ પડવા લાગ્યો.
🐝🎯વિજ્ઞાન વિશે ડૉ. કલામ કહે છે, ‘’ વિજ્ઞાન હંમેશા આધ્યાત્મિક સમૃદ્ધિ અને આત્મસાક્ષાત્કારનો માર્ગ રહ્યું છે…….’’

🐝🎯દ.ભારતની મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવતી વખતે પડેલી પૈસાની તંગી અને આ સ્થિતિમાં બહેન જોહરાની બંગડીઓં અને હાર ગીરવે મૂકીને ભરેલ ફી જેવી પરીસ્થિતિ પછી સખત અભ્યાસ કરીને શિષ્યવૃત્તિ મેળવવા પૂરા જોશથી ડૉ. કલામ મંડી પડ્યા. એરોનોટીકલ ઈજનેરી પસંદ કર્યા બાદ ડૉ. કલામનું વિમાનો ઉડાડવાનું ધ્યેય સ્પષ્ટ હતું.
🐝🎯પ્રો. સ્પેન્ડ , પ્રો. એ.કે.વી. અને પ્રો. નરસિંહરાવના માર્ગદર્શન હેઠળ તેમની વ્યાવસાયિક કારકિર્દીનું ઘડતર  થયું.

🐝🎯 ડૉ. કલામની વ્યાવસાયિક ગુણવત્તા ઘડવામાં ટએમનો સિંહફાળો હતો.

🐝🎯આત્મકથામાં ડૉ.કલામનો સ્વભાવ અને વ્યક્તિત્વનો ખાસ ઉલ્લેખ કરે છે.

🐝🎯પુસ્તકની રસપ્રદ બાબત એ છે કે તેમની શાળા કોલેજના શિક્ષકો અને સાથી વિજ્ઞાનીઓના સુંદર વ્યકિતચિત્રો દ્વારા ડૉ.કલામ કોઈ વ્યકિતગત ઘટનાથી વાચકને પર  કરીને તેમને એરફોર્સ પાયલોટ બનવાના નિષ્ફળ પ્રયાસો તેમજ કલેકટર બનવાની ઈચ્છા  છતાં પોતે રોકેટ ઇજનેર કેમ બન્યા તેની છણાવટ  પુસ્તકમાં ઉપસી આવી છે. ડૉ. કલામના મત પ્રમાણે તેમના માતા પિતા  તથા શિક્ષકો  અને માર્ગદર્શકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ પુસ્તકમાં તેમનો પ્રયાસ છે.

🐝🎯ડૉ. કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા માત્ર નથી, પણ પ્રોધોગીકી  ક્ષેત્રે સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે.

🐝🎯ઈશ્વરના અનહદ આશીર્વાદની કામના સાથે ડૉ. કલામ ઈશ્વરની ભવ્યતાને વર્ણવે છે. અને વિન્રમતાપૂર્વક કહે છે કે કદી નાના કે અસહાય ન અનુભવવું , આપણે બધાં આપણામાં દિવ્ય અગ્નિ સાથે જન્મ્યા છીએ.

🐝🎯આ આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ , જર્મન રોકેટ વિજ્ઞાની વોનબરોન  જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો  સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.

🐝🎯 શ્રી હરેશ ધોળકિયાએ આ પુસ્તકનો ખુબ જ સુંદર અનુવાદ કર્યો છે.

🏵🌺જ્ઞાન કી દુનિયા 🌺🏵

No comments:

Post a Comment