Saturday 1 April 2017

🏵🌻 સ્વામી સહજાનંદ 🌻🏵

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🌿 ૨ એપ્રિલ 🌿
🏵🌻 સ્વામી સહજાનંદ 🌻🏵
                   
🌺🔜સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સ્વામી સહજાનંદનો જન્મ સવંત ૧૮૩૭ના ચૈત્રી સુદ નોમ (રામનવમી)ને બીજી એપ્રિલ ૧૭૮૧ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં થયો હતો.

🌺🔜પૂર્વાશ્રમમાં તેમનું નામ હરિકૃષ્ણ હતું.

🌺🔜 ઈ.સ. ૧૯૨૦-૨૪ ના સમયગાળામાં તેમણે સૌરાષ્ટ્રમાં આવી ગઢડા અને અન્ય સ્થળોએ ફરી ઉપદેશ  અને વચનો આપ્યા.

🌺🔜 તેનો તેમના શિષ્યો હાથે જે સંચય થયો તે ‘ વચનામૃત’ નામે ઓળખાય છે.

🌺🔜તેઓ સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક તેમ જ પ્રર્વતક હતા.

🌺🔜સહજાનંદ સ્વામી તે સમયે ગુજરાતમાં પોતાની આગવી રીતે સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું.

🌺🔜નીતિશુધ્ધ આચાર વિચારની સામાન્ય જનમાનસ ઉપર તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો હતો.

🌺🔜 ઉપદેશ, વૈરાગ્ય અને કલાની દ્રષ્ટીએ કેટલુક પ્રણય સાહિત્ય રચ્યું.

🌺🔜સહજાનંદ કવિઓને હાથે આકર્ષક શૃંગારના પડો મળ્યા છે.

🌺🔜 ‘ વચનામૃત’ માં જ્ઞાન , ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ થયો છે.

🌺🔜આજથી એકસો ચાલીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં બોલતા ગુજરાતી ગદ્યની લઢણ આ પ્રવચનોમાં યથાવત જળવાઈ રહી છે.

🌺🔜વચનામૃત ઉપરાંત ‘ શિક્ષાપત્રી’માં  પણ નીતિ વ્યવહાર અને આચારવિચાર અંગેના તેમના ઉપદેશો સંગ્રહિત થયા છે.

🌺🔜આ ગ્રંથમાં ૧૯મી સદીના ઉતરાર્ધમાં ઉદય પામતા ગુજરાતી પદ્યની અનેક લાક્ષણિકતા જોવા મળે છે.

🌺🔜સ્વામીએ અંધશ્રધ્ધામાં સબડતા સમાજનો ઉધ્ધાર કરવાના અનેક પ્રયત્નો ગુજરાતમાં કર્યા છે.

🌺🔜 ‘ શિક્ષાપત્રી’ માં સહજાનંદ સંપ્રદાયના સાધુઓ અને સંત્સંગી માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે.

🌺🔜‘ વેદરહસ્ય’ માં સાધકને નડતા વિધ્નોની વાત કરી છે.

🌺🔜તેઓ સવંત ૧૮૮૬ના જેઠ સુદ દશમને ૨૮ જુન ૧૮૩૦ના રોજ અવસાન થયું હતું.

👁‍🗨🎯સમીર પટેલ 🎯👁‍🗨
⏰🔊જ્ઞાન કી દુનિયા 🔊⏰

No comments:

Post a Comment