Monday 3 April 2017

🌿ડૉ .ગૌતમ પટેલ🌿

🌻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌻

🌺 ૪ એપ્રિલ 🌺
🌿ડૉ .ગૌતમ પટેલ🌿
              
🐝🔜સંસ્કૃત ભાષા અને સાહિત્યનુ વિવિધ માધ્યમો દ્વારા સંવર્ધન કરનાર ડૉ. ગૌતમ પટેલનો જન્મ તા.૪/૪/૧૯૩૬ના રોજ અમદાવાદમાં થયો હતો.

🐝🔜 પિતાનું નામ વાડીલાલ અને માતાનું નામ મહાલક્ષ્મીબહેન હતું.

🐝🔜તેઓ ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી તથા અમદાવાદની સંસ્કૃત સેવા સમિતિના અધ્યક્ષ છે.

🐝🔜અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદેથી ઈ.સ.૧૯૯૬માં નિવૃત થયાં.

🐝🔜સંસ્કૃત ભાષા તથા સાહિત્યના અદ્વિતીય ઉપાસક તથા ચારેય વેદના પારંગત પ્રજ્ઞાચક્ષુ બ્રહ્મલીન સ્વામી શ્રી ગંગાશ્વરાનંદજી મહારાજ ઉદાસીનતા તેઓ પ્રિય શિષ્ય છે.

🐝🔜રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિસંવાદો તથા અધિવેશનોમાં ઉપસ્થિત રહી તેઓએ અભ્યાસપૂર્ણ લેખો તથા શોધપત્રો, મૌલિકતા તથા રજૂઆતને કારણે વિદ્વજજનોમાં સારા એવા પ્રમાણમાં પ્રશસ્તિ પામ્યા છે.

🐝🔜ફિલાડેલ્ફીયા, ન્યુયોર્ક, બોસ્ટન, વિન્ડસર, શિકાગો, ઓક્સફર્ડ , કેમ્બ્રિજ, વિયેના વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠોની તેમણે મુલાકાત લીધી છે. અને અનેક સ્થળો વ્યાખ્યાનો આપ્યા છે.

🐝🔜 એમના પૂ.ગુરુદેવ સ્વામી શ્રી ગંગાશ્વરાનંદજીની જેમ જ તેમણે સંસ્કૃત ભાષા તથા સાહિત્યના દરેક પાસાનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો છે.

🐝🔜વેદ, ઉપનિષદ, ભગવદગીતા, ભાગવત તથા ત્રણેય આચાર્યોના દર્શનના અભ્યાસ ઉપરાંત ભાસ, કાલિદાસ, ભવભૂતિ તથા જગન્નાથ જેવા સાહિત્ય સ્વામીઓની કૃતિઓનું પણ મનન કર્યું છે.

🐝🔜તેમણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તથા સંસ્કૃત ભાષાઓમાં લગભગ ૮૪ ગ્રંથોનું તેઓએ નિર્માણ કર્યું છે.

🐝🔜ગૌતમભાઈએ દીર્ઘ સમી સુધી સંસ્કૃતના વિષયનું અધ્યાપન કર્યું છે. એ રીતે શિક્ષણના માધ્યમથી તો એમને આ દેવભાષાનો મહિમા કર્યો જ છે.

🐝🔜તેમના રસિક અને સુંદર વાગ્છટાધરાવતા વક્તવ્યથી અનેક વિદ્યાર્થીઓને આ વિષયમાં રસ લેતા કરીને નવી પેઢીને તૈયાર કરી છે.

🐝🔜સંસ્કૃત ભાષા સાહિત્યના સંવર્ધન માટેની પ્રવૃત્તિ કરવા માટે એમને સંસ્કૃત સેવા સમિતિની સ્થાપના કરી હતી.

🐝🔜તેના નેજા હેઠળ તેમ જ સુંદર, ઉપયોગી પ્રકાશનો કર્યા હતા.

🐝🔜તેમણે પોતાની આ પુસ્તકાલય પ્રવૃત્તિમાં સંસ્કૃતના અન્ય વિદ્વાનોને પણ સામેલ કર્યા હતા.

🐝🔜મહાકવિ કાલિદાસના ‘ કુમારસંભવ’ પરથી વલ્લભદેવની ટીકા , છાંદોગ્ય ઉપનિષદ પરનું સાયણાચાર્યનું ભાષ્ય’ વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ’ , ‘ આદિ શંકરાચાર્ય’ , વદનો વારસો વૈભવ’ , ‘ યોગેશ્વર ગંગાશ્વાનંદ, આદિ એમની કેટલીક પ્રશસ્ય કૃતિઓ છે.

🐝🔜 ઈ.સ. ૨૦૦૯માં ગુજરાતની સોમનાથ યુનિવર્સિટી તરફથી તેમણે ડી લીટ ની પદવી એનાયત થયેલ છે. 

😊સમીર પટેલ
🏵💐જ્ઞાન કી દુનિયા 💐🏵

No comments:

Post a Comment