⭕️ *જિલ્લા સ્પેશિયલ ક્વિઝ* ⭕️
♻️ *12/10/2018 ની ક્વિઝ ની સંકલિત પોસ્ટ*
🔶 દરેક પ્રશ્ન ગુજરાત પાક્ષીક આધારિત છે, તેથી કન્ફ્યુઝન જણાય તો પાક્ષીકમાં જોવું.
🔺 દરેક પ્રશ્ન પણ યાદ રાખવો, કારણ કે જવાબ સિવાય પ્રશ્ન માં પણ ઘણું GK મળે તે રીતે જ પ્રશ્ન બનાવ્યા છે.
📘✍ *BHARAT SONAGARA*
⚰⚰⚰⚰⚰⚰⚰⚰⚰⚰
🍓 હાલનું ગાંધીનગર ગુજરાત રાજ્ય નું કેટલામું પાટનગર છે ?
A. બીજું
B. ચોથું
C. સાતમું ✅
🍓 NID સંસ્થા અને કેલિકો મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?
A. આણંદ
B. ગાંધીનગર
C. અમદાવાદ ✅
🍓 ક્યુ શહેર પહેલા વિરાટનગર ના નામે ઓળખાતું હતું ?
A. ધોળકા ✅
B. ધર્મજ
C. વિરમગામ
🍓 પાંડવો ની શાળા અને ભીમ નું રસોડું નીચેનામાંથી ક્યાં શહેરના જોવાલાયક સ્થળો છે ?
A. ડાંગ
B. ભરૂચ
C. ધોળકા ✅
🍓 જ્યાંથી પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો તથા દાગીના અને રમકડાં મળી આવ્યા છે, તેવું લોથલ કયા ગામ પાસે થી મળી આવ્યું ?
A. ધર્મજ
B. શરગવાળા ✅
C. જીરણવાળા
🍓 ગધેડા ના વેચાણ માટે જાણીતો વૌઠા નો મેળો ક્યારે ભરાય છે ?
A. કારતક સુદ પૂનમ ✅
B. મહા સુદ પૂનમ
C. ફાગણ સુદ દશમ
🍓 સુલતાન કુતબુદ્દીને કાંકરિયા તળાવ ક્યારે બંધાવ્યું હતું ?
A. ઇ.સ. 1449
B. ઇ.સ. 1451✅
C. ઇ.સ. 1453
🍓 અહમદશાહ બાદશાહ ના ગુલામ સિદી સૈયદે વિશ્વ વિખ્યાત એવી સિદી સૈયદ ની જાળી ક્યારે બંધાવી હતી ?
A. ઇ.સ. 1572 ✅
B. ઇ.સ. 1574
C. ઇ.સ. 1576
🍓 અમદાવાદ માં દિલ્હી દરવાજા બહારના વિસ્તારમાં આવેલ જૈન મંદિરો કે જેને હઠીસિંહ કેસરીસિંહ શેઠ એ બંધાવ્યા હોવાથી તે હઠીસિંહ ના દહેરા તરીકે જાણીતા છે. આ દહેરા હઠીસિંહ એ ક્યારે બંધાવ્યા ?
A. ઇ.સ. 1808 માં ✅
B. ઇ.સ. 1880 માં
C. ઇ.સ. 1780 માં
🍓 હઠીસિંહના દહેરા માં મુખ્ય મંદિર કોનું છે ?
A. શ્રી મલ્લિનાથ નું
B. શ્રી ધર્મનાથ નું ✅
C. શ્રી ઋષભદેવ નું
📘✍ *BHARAT SONAGARA*
🍓 અમદાવાદ માં ગાંધીરોડ પર આવેલ જુમ્મા મસ્જિદ બાદશાહ અહમદશાહ એ ક્યારે બંધાવી હતી ?
A. ઇ.સ. 1432
B. ઇ.સ. 1423 ✅
C. ઇ.સ. 1443
🍓 અમદાવાદમાં આવેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID સંસ્થા ક્યારથી કાર્યરત છે ?
A. ઇ.સ. 1961✅
B. ઇ.સ. 1964
C. ઇ.સ. 1966
🍓 ખડકી અને ડહેલુ પોળ ના અભિન્ન અંગો છે, અમદાવાદમાં આવી 360 પોળો આવેલી છે; તેમાંથી અમદાવાદ ની પ્રથમ પોળ એટલે ?
A. મુહૂર્ત ની પોળ ✅
B. કંસારા ની પોળ
C. સોની ની પોળ
🍓 શહીદ સ્મારક - અડાસ દંતાલી આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલ છે ?
A. ભરૂચ
B. અમદાવાદ
C. આણંદ ✅
🍓 ઘસાઈને ઉજળા થવાનો જેમનો જીવન મંત્ર હતો તેવા પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ ક્યાં આવેલ છે ?
A. ધોળકા
B. ડભોઇ
C. બોચાસણ ✅
🔵https://t.me/Quiz_post
🍓 આણંદ માં આવેલ ધુવારણ વિજમથક નું લોકાર્પણ કોણે કર્યું હતું ?
A. સરદાર પટેલ
B. લાલ બહાદુર શાસ્ત્રી ✅
C. જવાહરલાલ નહેરુ
🍓 આણંદ માં આવેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એટલે કે IRMA (ઇરમાં) સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
A. ઇ.સ. 1974
B. ઇ.સ. 1976
C. ઇ.સ. 1979 ✅
🍓 આણંદ ની વાલ્મી સંસ્થા ની સ્થાપના ક્યારે થઈ ?
A. ઇ.સ. 1980 ✅
B. ઇ.સ. 1990
C. ઇ.સ. 1999
🍓 સમગ્ર દેશમાં વાલ્મી પ્રકારની કેટલી સંસ્થાઓ છે ?
A. 9
B. 13
C. 15 ✅
🍓 અમુલ ડેરી ના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલ નું પૂરું નામ જણાવો.
A. ત્રિભુવનદાસ કાશીભાઈ પટેલ ✅
B. ત્રિભુવનદાસ ત્રિકમદાસ પટેલ
C. ત્રિભુવનદાસ પુરુષોત્તમભાઈ પટેલ
📘✍ *BHARAT SONAGARA*
🍓 મહાત્મા મૂળદાસ, ભોજા ભગત અને સ્વામી મુકતાનંદ જેવા સંતો હાલના ક્યાં જિલ્લામાં થઈ ગયા ?
A. ભાવનગર
B. અમરેલી ✅
C. સુરેન્દ્રનગર
🍓 જુના જમાનામાં મક્કા ના બારા બાબુલ તરીકે નીચેનામાંથી ક્યુ જાણીતું હતું ??
A. સુરત
B. વલસાડ
C. ભરૂચ ✅
🍓 પંડિત ઓમકારનાથ ઠાકુર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર તરીકે જાણીતા ચંદુલાલ દેસાઈ ની જન્મભૂમિ ?
A. પાટણ
B. ભુજ
C. ભરૂચ ✅
🍓 જેના પર ભીમ અને હેડંબા ના લગ્ન ની ચોરી આજે પણ હયાત છે તેવો કડિયો ડુંગર ક્યાં આવેલ છે ?
A. ડાંગ
B. કચ્છ
C. ભરૂચ ✅
🍓 હનુમાનજી નું પ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ક્યાં આવેલ છે ?
A. ઝઘડીયા તાલુકો, ભરૂચ ✅
B. આમોદ તાલુકો, ભરૂચ
🍓 ભરૂચ માંથી નર્મદા જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?
A. 2 ઓક્ટોબર, 2013
B. 15 ઓગસ્ટ , 2013
C. 2 ઓક્ટોબર , 1997✅
D. 15 ઓગસ્ટ, 1997
🍓 વાગરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે ?
A. વલસાડ
B. નવસારી
C. ભરૂચ ✅
🍓 છોટાઉદેપુર જિલ્લાની રચના ક્યારે થઈ હતી ?
A. 2 ઓક્ટોબર, 2013
B. 15 ઓગસ્ટ , 2013✅
C. 2 ઓક્ટોબર , 1997
D. 15 ઓગસ્ટ, 1997
🍓 મહેસાણા ની સ્થાપના મેસાજી ચાવડા એ ક્યારે કરી હતી ?
A. સંવત 1414 માં ભાદરવા સુદ પૂનમ
B. સંવત 1414 માં ભાદરવા સુદ પાંચમ
C. સંવત 1414 માં ભાદરવા સુદ દશમ ✅
🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋
📘✍ *BHARAT SONAGARA*
🌺 દરરોજ સંકલિત ક્વિઝ પોસ્ટ અને ઓનલાઈન ટેસ્ટ મેળવવા ટેલિગ્રામ ચેનલ @Quiz_post જોઈન કરો..
https://t.me/Quiz_post
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼