Tuesday 20 December 2016

Ss8💐s2 ⚫āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 7 āŠŪāŠđાāŠĪ્āŠŪાāŠĻા āŠŪાāŠ°્āŠ— āŠŠāŠ°-1⚫

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 2◼

⚫પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1⚫
⚫ કુલ પ્રશ્નો: 65 ⚫

📮ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા ?
✔વકીલાત કરવા માટે

📮ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?
✔ ઈ.સ.1915

📮ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?
✔ સત્યાગ્રહ આશ્રમ

📮ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?
✔વલ્લભભાઈ પટેલ

📮ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું ?
✔ગાંધીજીએ

📮ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ બિહારના કયા ગામમાં રહીને કર્યો?
✔મોતીહારી

📮પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ક્યા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ?
✔ તુર્કીનો

📮ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?
✔ 'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને

📮જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો ?
✔ વૈશાખી પૂર્ણિમાએ

📮જલિયાંવાલા બાગ ક્યા શહેરમાં આવેલો છે ?
✔ અમૃતસર

📮જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો ?
✔ જનરલ ડાયરે

📮ભારતનાં બધાં જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે . . .
✔તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.

📮વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?
✔ બારડોલી

📮ક્યા સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું ?
✔બારડોલી

📮બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?
✔22%

📮'નેહરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?
✔ પંડિત મોતીલાલ નેહરુએ

📮સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?
✔ 26 જાન્યુઆરી 1950

📮ગાંધીજીએ શાની પદવી મેળવી હતી ?
✔ બૅરિસ્ટરની

📮ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કેવો કાયદો કહ્યો હતો ?
✔ કાળો કાયદો

📮જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?
✔ ઈ.સ.1919માં

📮ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?
✔ સત્યાગ્રહ

📮કયા લોકો દક્ષિણ આફ્રિકાના મૂળ લોકોને પરાધીન બનાવીને દક્ષિણ આફ્રિકાના માલિક બની ગયા હતા ?
✔ગોરા લોકો

📮ગાંધીજીનું પૂરૂં નામ શું હતું ?
✔મોહનદાસ કરમચંદ ગાંધી

📮ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?
✔ગુજરાતના પોરબંદરમાં

📮ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?
✔કસ્તુરબા

📮ગાંધીજીના માતાનું નામ શું હતું ?
✔ પૂતળીબાઈ

📮ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?
✔ ગોપાલકૃષ્ણ ગોખલે

📮ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
✔શ્રીમદ્ રાજચંદ્ર

📮ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
✔ 2 ઓક્ટોબર,1869

📮ગાંધીજીનું મૃત્યું ક્યારે થયું ?
✔30 જાન્યુઆરી,1948

📮ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?
✔ દિલ્લી, રાજઘાટ

📮દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે કયા બંદરે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ?
✔મુંબઈના એપોલો બંદરે

🎶સમીર પટેલ 🎶
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇

📮દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા બાદ કોના કહેવાથી ગાંધીજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું ?
✔ગોપાલકૃષ્ણ ગોખલેના

📮ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?
✔ 25 મે,1915

📮નીચેના સત્યાગ્રહોમાં સમયની દ્રષ્ટિએ ચડતા (પહેલાથી પછીના) ક્રમમાં કયું જોડકું સાચું છે ?
✔ચંપારણ, ખેડા, બારડોલી

📮ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?
✔ 3/20 ભાગમાં

📮કોના આગ્રહથી ચંપારણમાં ગળી વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ?
✔ રાજકુમાર શુક્લના

📮ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
✔ ઇ.સ. 1917માં

📮ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક શા માટે નાશ પામ્યો ?
✔અતિવૃષ્ટિના કારણે

📮ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક નાશ પામ્યો છતાં અંંગ્રેજ સરકારે શું ઉઘરાવવાનું નક્કી કર્યું ?
✔મહેસૂલ ઉઘરાવવાનું

📮'સરકાર આપણી માંગણી ન સ્વીકારે, તો આપણે મહેસૂલ ભરવાનું નથી' ખેડા સત્યાગ્રહ દરમિયાન આ વાકય કોણ બોલ્યું હતું ?
✔ગાંધીજી

📮કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ શામાં હતી ?
✔રૉલેટ ઍક્ટમાં

📮ગાંધીજીની હાકલને માન આપી કયા નેતાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું ?
✔ વલ્લભભાઈ પટેલે

📮ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
✔ ઇ.સ. 1917-1918માં

📮કયા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઇ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા ?
✔ખેડા સત્યાગ્રહે

📮જલિયાંવાલા બાગની સભા કોની ધરપકડનો વિરોધ કરવા માટે આયોજીત કરવામાં આવી હતી ?
✔ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની

📮જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?
✔દસ હજાર

📮જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા ?
✔379

📮જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘાયલ થયા ?
✔ 1200

📮જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?
✔ગાંધીજીને

📮બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?
✔નાઇટહૂડનો

📮જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો ?
✔નાઇટહૂડનો

📮પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી ?
✔પરાજિત તુર્કી સાથે

📮'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?
✔ ખિલાફત

📮મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી કયા આંદોલનનાં મુખ્ય નેતાઓ હતા ?
✔ખિલાફત

📮ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
✔વિદેશી કાપડના બહિષ્કારનો

📮ગાંધીજીના અસહકારના આંદોલન અંતર્ગત કયા નેતાએ વકીલાત છોડી ન હતી ?
✔જવાહરલાલ નહેરુએ

📮કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?
✔ચૌરીચોરાના

📮ચૌરીચોરાના બનાવમાં કઈ ઘટના ઘટી હતી ?
✔પોલીસસ્ટેશનને આગ લગાડી 22 પોલીસને જીવતા સળગાવ્યા.

📮રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકુ નામ શું છે ?
✔ R.S.S.

📮બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
✔ ઇ.સ. 1928માં

📮બારડોલી સત્યાગ્રહમાં અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને ક્યાં બોલાવ્યા ?
✔પૂના

📮'નેહરુ અહેવાલ' શાના માટે હતો ?
✔ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા

📮'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?
✔ મુસ્લિમ લીગની અસંમતિના કારણે

📮'પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ' પસાર કર્યો તે કૉંગ્રેસનું અધિવેશ કઈ નદીના કિનારે મળ્યું હતું ?
✔ રાવી

🔃સમીર પટેલ 🔃
📇📇 ज्ञान की दुनिया 📇📇

No comments:

Post a Comment