Thursday 23 March 2017

🎆🎆*ðŸ’ĨāŠķāŠđિāŠĶ/āŠŽāŠēિāŠĶાāŠĻ āŠĶિāŠĩāŠļ*🎆🎆

*💥Breaking News💥*23-3-17

*💥આજે ખાશ  23 માર્ચ*
*💥શહિદ/બલિદાન દિવસ*

*💥આજે દેશના ત્રણ વિર સપૂતો*
*ભગત સિંહ*
*રાજગુરુ*
*સુખદેવ*  *ની 86મી પુણ્યતિથિ*

*💥23 માર્ચ 1931* ના રોજ અચાનક, ચુપચાપ આ ત્રણ ક્રાંતિવીરોને ફાંસી આપવામા આવી હતી.

*💥ફાંસી નુ કારણ*
👉અંગ્રેજ અધિકારી જે.પી.સોન્ડર્સની હત્યા અને સેન્ટ્રલ એસેમ્બલી(દિલ્લી સંસદ) મા બોમ્બ ફેકવાના આરોપસર ત્રણેયને ફાંસીની સજા અપાઇ હતી

*💥ફાંસી ની વિગત*
તારીખ--23 માર્ચ 1931
વાર--સોમવાર
સમય--7 વાગ્યને 33 મી મિનિટ
સ્થળ--લાહોર જેલ
            (હાલ પાકિસ્તાન મા)

*💥17 નવેમ્બર 1928* ના રોજ
*સાયમન કમિશન*ના બહિષ્કાર ના શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શન મા અંગ્રેજ સિપાહીઓએ લાઠિચાર્જ કરેલો અને આ લાઠિચાર્જ મા ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.આ ઇજાગ્રસ્તોમા વરિષ્ઠ કાંતિકારી *લાલા લજપત રાય નુ પણ નિધન* થયુ હતુ....જે બનાવના પગલે તમામ યુવા ક્રાતિકારીઓ સમસમી ઉઠ્યા હતા.અને ઘટના નો જડબાતોડ જવાબ આપવાનુ નક્કી કરવામા આવુ હતુ.

*💥17 ડિસેમ્બર 1928* ના રોજ ભગત સિહ અને રાજગુરુ એ મળીને અંગ્રેજ પોલીસ અધિકારી ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડેન્ટ જે.પી.સોન્ડર્સ ને જાહેરમા ગોળીઓ થી ઠાર કરવામા આયો હતો જેમા અચુક નિશાની એવા રાજગુરુએ પ્રથમ ગોળીથી સોન્ડર્સનુ નિશાન તાક્યુ હતુ..

*💥8 એપ્રિલ 1929* ના રોજ ધારાસભા(દિલ્લી એસેમ્બલી) મા ભગતસિંહે બોમ્બ ફેંક્યો હતો..બોમ્બ ફેંકવાનો મુખ્ય ઉદેશ કોઇને નુકશાન પહોંચાડવાનો નહોતો પણ અત્યાચાર અને શોષણ વાળી અંગ્રેજ સરકાર ના બહેરા કાનમા ધડાકો કરવાનો હતો..બોમ્બ ફેંક્યા પછી તેઓ ભાગ્યા નહી જેથી તેમની ધરપકડ કરવામા આવી.જે પછી અદાલત મા ભગતસિંહના આપવામા આવેલા ક્રાંતિકારી નિવેદનોની વિશ્વના પત્રકારોએ નોંધ લિધી અને ભારતમા ભગતસિંહ ક્રાંતીનુ પ્રતિક બની ગયા..

*💥7 ઓક્ટોબર 1930* ના ત્રણેય ક્રાંતિકારી સપૂતો ને ફાંસી ની સજા આપવાનુ જાહેર કરવામા આયુ...ભગતસિંહ અને રાજગુરુ ને અંગ્રેજ પોલીસ અધિકારી જે.પી.સોન્ડર્સની ગોળી મારી હત્યા કરવા બદલ અને સુખદેવને જે.પી.સોન્ડર્સની હત્યાની યોજના ઘડવામા મુખ્ય ભૂમિકા ભજવવા બદલ *24 માર્ચ 1931ના દિવસે ફાંસીની સજા* આપવામા આવસે એવો ચુકાદો આપવામા આયો.

*💥ફાંસીને લઇને દેશ મા વિરોધ*

*💥23 માર્ચ 1931* ફાંસીની સજાને લઇને દેશમા ચર્ચાઓ અને વ્યાપક વિરોધ પ્રદર્શનથી ગભરાઇને ફાંસી માટે નક્કી કરેલી તારીખ ના એક દિવસ અગાઉજ ત્રણેય ક્રાંતિવીરો ને ફાંસી આપી દેવામા આવી હતી

*💥ફાંસી આપ્યા પછી* આંદોલનો અને હિંસા ના થાય તે હેતુથી ત્રણેય ક્રાંતિવીરો ના મૃતદેહના ટુકડા કરી ચુપચાપ,ઉતાવળેથી સતલજ નદીના કિનારે હુસેનીવાલા ફિરોજપુર(હાલ પાકિસ્તાન)ખાતે લાશો ને અંગ્રેજ સિપાહી દ્રારા સળગાવી દેવામા આવી હતી....અંધારા સળગતી લાશો  જોઇને  લોકો દોડી આવ્યા.જે જોઇને સળગતી લાશોના ટુકડા નદી મા ફેંકી દિધા અને અંગ્રેજો ભાગી છુટ્યા... ગામલોકોએ અર્ધ સળગેલ મૃતદેહોના ટુકડા એકત્રિત કરીને પછી વિધિવત રીતે અગ્નિસંસ્કાર કર્યા હતા..👏👏

*💥શહિદવિરો ની ટુંક મા માહિતી*
*💥ભગતસિંહ*
👉પુરૂનામ-ભગતસિંહ સંધુ
👉પિતાનુ નામ--કિશનસિંહ
👉માતાનુ નામ-વિદ્યાવતીજી
👉જન્મ-28 સપ્ટેમ્બર 1907
👉જન્મસ્થળ-લ્યાલપુર,પંજાબ
                 (હાલ પાકિસ્તાન મા)
👉અન્ય વિશેષતા--કલાપ્રેમી વિચારક,લડવૈયા,અને  ફિલ્મોના શોખીન તથા હિન્દી,ઉર્દૂ,પંજાબી અને અંગ્રેજી ભાષા ના જાણકાર.

*💥રાજગુરુ💥*
👉પુરૂનામ-શિવરામ રાજગુરુ
👉પિતાનુ નામ--હરિનારાયણ
👉માતાનુ નામ--પાર્વતીબેન
👉જન્મ-24 ઓગષ્ટ 1908
👉જન્મ સ્થળ-ખેડ ગામ, બોમ્બે
*👉નોંધ*-રાજગુરુ જન્મ સ્થળ ખેડ ગામ હાલ રાજગુરુ ના માન મા રાજગુરુનગર તરીકે ઓળખાય છે જે મહારાષ્ટ્રમા આવેલુ છે

👉અન્ય વિશેષતા--નિશાના માટે જાણીતા હતા..જેથી *રાજગુરુ ગનમેન તરીકે જાણીતા હતા*

*💥સુખદેવ💥*
👉મુળનામ-સુખદેવ થાપર
👉પિતાનુ નામ--રામલાલ
👉માતાનુ નામ--રલ્લીદેવી
👉જન્મ--15 મે 1907
👉જન્મ સ્થળ-લુધિયાણા,પંજાબ
👉અન્ય વિશેષતા--ક્રાંતિકારીઓની ટુકડીમા સૌથી તેજ દિમાગ વાળા હતા તેથી ક્રાંતિકારી યોજના ઘડવા માટે તેઓ જાણીતા હતા
*👉નોંધ*-પોતાના કપડા અને દેખાવ મા ઉદાસિનતાને કારણે *સુખદેવને વિલેજર  તરીકે બધા  ઓળખતા હતા*

👏🙏👏🙏👏🙏👏🙏👏
*માત્ર 23-24 વર્ષની યુવાન વયે આ ત્રણેય ક્રાતિવિરો એ દેશ માટે બલિદાન આપ્યુ તે ક્યારેય ભુલી શકાય એમ નથી* 👏🙏👏🙏.   

      Akkigk.blogspot.in

No comments:

Post a Comment