Friday 7 April 2017

🏵🏵પંડિત રવિશંકર (બંગાળી)🏵🏵

🎼🎤🎼🎤🎼🎤🎼🎼🎤🎼

પંડિત રવિશંકર (બંગાળી)
🎼🎧🎼🎧🎼🎧🎼🎧🎼🎧

🎯જન્મજયંતિ સાતમી એપ્રિલ, ૧૯૨૦.

🎼 ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે.

🎯 એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું.

🎼તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

🎯🏆એમને ઇસ ૧૯૯૯ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
🏆🎖પંડિત રવિ શંકરને કલાના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા 🏆ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

👑આ ઉપરાંત તેમને👑 મૈગસૈસ, તીન ગ્રૈમી એવોર્ડ સહિત દેશ-વિદેશના જાણીતા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. 🖲🎪1986 થી 1992 દરમિયાન તે રાજ્યસભાના સભ્ય રહ્યાં છે.

👩‍👧‍👦👩‍👩‍👦‍👦એમના પરિવારમાં અન્ય સંગીતકારો:
•  અન્નપૂર્ણા દેવી, પત્ની
•  શુભેન્દ્ર શંકર
•  નોરાહ જોન્સ
•  અનૂષ્કા શંકર

🎪🎯શાસ્ત્રીય સંગીતના પિતામહ તરીકે જાણીતા પં. રવિશંકર
દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર હતા.

🎯
🌊પડિત રવિશંકરે ઈ.સ. 1949 થી ઈ.સ. 1956 દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયોનાં સંગીત નિર્દેશક તરીકે ની તાલિમ લીધી. સત્યજીત રેની ‘અપુ ત્રયી’ અપુ ટ્રાયોલોજીમાં પંડિત રવિશંકરે સંગીત આપ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આ ફિલ્મોનાં સંગીતની પ્રશંસા થઈ.

પંડિત રવિશંકરે વર્ષ 1962માં કિન્નારા સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના કરી હતી. ઈ.સ. 1962 સુધી ચતુરલાલ તબલા પર પંડિત રવિશંકરની સંગત કરતા. ત્યારબાદ આ સ્થાન ઉસ્તાદ અલ્લારખા ખાને લીધું. જે 🙏વિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનના પિતા થાય.🙏

🎯પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા.પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા.

🎲🎬તેમણે અનેક શાસ્ત્રીય તેમજ ફ્યુઝન આલ્બમ્સમાં સંગીત આપ્યું હતું. ઊપરાંત
🎬🎥તેમણે રિચાર્ડ એટનબર્ગની ગાંધી, સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી, ગુલઝારની મીરા અને મૃણાલ સેનની ગેસિસમાં સંગીત આપ્યું હતું.

🗜🕹14 માનદ્ ડોક્ટરેટ, પદ્મ વિભૂષણ, મેગ્સેસે એવોર્ડ,ત્રણ ગ્રેમી એવોર્ડસ અને 1982માં ગાંધી ફિલ્મમાં સર્વક્ષેષ્ઠ મૌલિક સંગીત માટે જ્યોર્જ ફેન્ટન સાથે નામાંકન પ્રાપ્ત થયું હતું.

🎯🎯
પડિત રવિશંકરે 1954માં ભારતથી બહાર પોતાનો પ્રથમ સ્ટેજ શો સોવિયત યૂનિયનમાં કર્યો હતો. 1960માં બીટલ્સના જાદૂગર જોર્જ હૈરીસન સાથે તેમને જુગલબંધી બનાવી હતી. પાશ્વત્ય વાદ્યસંગીત અને ભારતીય વાદ્યસંગીત વચ્ચે પુલની જેમ કામ કરનાર પંડિત રવિશંકરે કેટલીક ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે જેમાં સત્યજીત રે ની જાણીતી અપૂ ત્રયી અને ગુલજારની મીરાનો સમાવેશ થાય છે.

🎫🎯અગ્રેજી ફિલ્મો ધ ફ્લ્યુટ એન્ડ ધી એરો તથા ધ ચેરી ટેલમાં તેમનું સંગીત હતું પરંતુ ફિલ્મ લાઇનના કાવાદાવા અને ખોટ્ટી મસ્કાબાજીથી કંટાળીને એ પાછા શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા. આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં તેમણે ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. પોતાના સાળા અને ગુરુભાઇ ઉસ્તાદ અલી અકબર ખાં સાથે મળીને તેમણે દેશ વિદેશમાં સિતાર અને સરોદની જુગલબંધી શરૃ કરી. એ રીતે લગભગ આખી દુનિયામાં ભારતીય સંગીત રજૂ કર્યું. એમની સાથે ઉસ્તાદ અલ્લારખ્ખા અને એમનો એવોજ પ્રતિભાશાળી દીકરો ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા પર સંગત કરતો. આ ચારેજણે વિદેશોમાં ભારતીય સંગીતનો એવો ડંકો વગાડ્યો કે બીટલ્સ તરીકે પ્રખ્યાત પોપ કલાકારોમાંના જ્યોર્જ હેરિસને રીતસર પંડિતજીનું શિષ્યત્વ સ્વીકાર્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment