Tuesday, 18 April 2017

🎯🎯 આલ્બર્ટ આઈન્સ્ટાઈ🎯🎯

👉 આજનો દિવસ :-

      આલ્બર્ટ આઈન્સ્ટાઈ

|| 14 March 1879 – 18 April 1955 ||

આલ્બર્ટ આઈન્સ્ટાઈ (14 માર્ચ 1879 તથા - 18 એપ્રિલ 1955) જર્મની (German)માં જન્મેલા પદાર્થ વિજ્ઞાની (theoretical physicist) હતા.તેઓ સાપેક્ષવાદ (theory of relativity)ખાસ કરીને સામૂહિક ઊર્જાની સમાનતા (mass–energy equivalence)ના સિદ્ધાંત માટે જાણીતા છે, જે ઈ=એમસી2ના ગુણાંકમાં વ્યક્ત કરવામાં આવે છે.આઈન્સ્ટાઈનને તેમના પદાર્થ વિજ્ઞાન અને ખાસ કરીને ફોટોઈલેક્ટ્રીક અસર (photoelectric effect)ના કાયદાના સંશોધન માટે 1921માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક (Nobel Prize in Physics)મળ્યું હતું.

આઈન્સ્ટાઈને ફિઝિક્સ (physics)ના ક્ષેત્રમાં આપેલા અનેક ફાળામાં સાપેક્ષવાદની વિશેષ થીયરી (special theory of relativity)નો સમાવેશ થાય છે, જે યંત્રશાસ્ત્ર (mechanics)ને ઈલેક્ટ્રોમેગ્નેટિઝમ (electromagnetism) સાથે જોડે છે તથા તેમની સાપેક્ષવાદની તેમની સામાન્ય થીયરી (general theory of relativity)નો આશય સાપેક્ષવાદના સિદ્ધાંત (principle of relativity)ને સમાન ન હોય તેવા સિદ્ધાંત સુધી લંબાવવાનો અને ગુરુત્વાકર્ષણ (gravitation)ની નવી થીયરી આપવાનો હતો. તેમની અન્ય નોંધપાત્ર કામગીરીમાં સાપેક્ષવાદી બ્રહ્માંડ (relativistic cosmology), સૂક્ષ્મ પગલાં (capillary action), પ્રકાશનું પરાવર્તન (critical opalescence), આંકડાશાસ્ત્રના મિકેનિક્સ (statistical mechanics)ની સામાન્ય સમસ્યાઓ (classical problems) તથા જથ્થાની થીયરી (quantum theory)માં તેનો અમલ, પરમાણુ (molecule)ની હિલચાલ અંગે બ્રાઉન (Brownian movement) થીયરીની સમજ, પરમાણુનું પરિવર્તન (atomic transition), સંભાવનાઓ (probabilities), એકમાર્ગી ગેસ (monatomic gas)ના જથ્થાની થીયરી, નીચા રેડિયેશન (radiation) સાથે પ્રકાશ (light)માં રહેલી ઉષ્ણતા (thermal)ની માત્રા, ઘટ્ટતા (જેને પગલે ફોટોન (photon) થીયરીનો આધાર રચાયો), સ્ટિમ્યુલેટેડ ઈમિશન (stimulated emission) સહિત વિકિરણની થીયરી, સર્વગ્રાહી ફિલ્ડ થીયરી (unified field theory)નો વિચાર તથા ફિઝિક્સના ભૌમિતિકરણનો સમાવેશ થાય છે.

આઈન્સ્ટાઈને 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો (over 300 scientific works) તથા 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. 1999માં "ટાઈમ" (Time) સામયિકે તેમને "પર્સન ઑફ ધ સેન્ચ્યુરી (Person of the Century)" જાહેર કર્યા હતા. અત્યંત વિશાળ અર્થ અને સંદર્ભમાં "આઈન્સ્ટાઈન" નામ જીનિયસ (genius)નું સમાનાર્થી થઈ ગયું છે

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏📨

🍍🍍 ચાર્લ્સ ડાર્વિન🍍🍍

👉 આજનો દિવસ :-

       ચાર્લ્સ ડાર્વિન

ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇ.સ.1809 માં ઇંગ્લેન્ડમાં થયો હતો. બાળક ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભુત હતી. દરમિયાન એક મિત્રની ભલામણથી તેને પ્રકૃતિવિદ તરીકે દક્ષિણ અમેરિકા જવાની તક મળી. પ્રવાસમાં જુદા જુદા પશુ પક્ષીઓ અને જળચરોનું બારીક અવલોકન કર્યું. પ્રવાસ જેટલો સાહસપૂર્ણ હતો તેથી વિશેષ જોખમભર્યો હતો. ડાર્વિને જોયું કે એક જ જાતિમાં પણ કોઇપણ બે જીવ કે બે બીજ એક સરખાં હોતા નથી. તેમનું પુસ્તક ‘જાતિઓની ઉત્પતિ’ માં રજૂ થયેલા તદ્દન નવા વિચારોથી સનસનાટી વ્યાપી ગઇ. માણસ વાનરનો વંશજ છે તે વાત લોકો કેમ સહન કરી શકે? ડાર્વિનના આ સિદ્ધાંતની ખ્રિસ્તી ધર્મની સમજ વિશેની જૂની માન્યતાના મૂળમાં પણ ઘા પડ્યો. પ્રાચીનત્તમ સમયમાં ઘેટાં, બકરાં ને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો  પણ એક સામાન્ય પૂર્વજ હતો એ ડાર્વિનના સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર છે. ઉપરાંત ડાર્વિન પરવાળાના ખડકો, જીવડાં દ્વારા ફલીકરણ તેમજ પ્રાણીઓમાં લાગણીનું તત્વ વગેરે વિષયો પર વિચારો પ્રદર્શિત કર્યા છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો. તેમણે છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલું રાખ્યું. 18/4/1882 ના રોજ તેમનું અવસાન થયું. ડાર્વિનને આજે 200 વર્ષ પછી પણ વિશ્વના વિજ્ઞાનપ્રેમીઓ યાદ કરે છે.

💐🙏💐🙏💐🙏💐🙏💐📚

💐💐 World Heritage Day💐💐

👉 આજનો દિવસ :-

                         18 એપ્રિલ
   વિશ્વ ઈતિહાસિક-સંસ્કૃતિક ધરોહર દિન
               World Heritage Day
              વિશ્વ પૈતૃક સંપતિ દિવસ
                       'વર્લ્ડ હેરિટેજ ડે'

- 'વર્લ્ડ હેરિટેજ ડે' ને શોભાવતા નવલખા સહિ‌તના અમર સ્થાપત્યો

૧૮ એપ્રિલ જેને દુનિયાભરમાં વર્લ્ડ હેરીટેજ ડે તરીકે ઉજવાય છે.. યુનેસ્કો દ્વારા ૧૯૮૩માં આંતરરાષ્ટ્રી સ્તરે દરેક દેશો માટે સાંસ્કૃતિક વારસાના જતન-જાગૃતિ અર્થે આ દિવસને ઘોષિત કર્યો હતો... આજના દિને વિશ્વભરનાં વિવિધ દેશો પોત પોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગેના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે.. ત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડના નવલખા સહિ‌તના સ્થાપત્યો આજના દિવસની શોભા વધારે છે.

આપણાં ભારતમાં પણ ચોમેર પ્રાચીન, ઐતિહાસિક, કલા-કોતરણીઓથી ભરપુર કલાકૃતિઓનો ખજાનો પથરાયેલો છે... પરંતુ કમનસીબે આપણે ત્યાં બહુમૂલ્ય વારસાઓની જાળવણીમાં સતત ઉદાસીનતા જોવા મળે છે.. પોતાના ઘરની દિવાલો પર નામ ન લખી શકતાં બાયલાઓ આપણાં બહુમૂલ્ય સ્થાપત્યો પર પોતાના નામ માંડી જતા હોય છે..

પાનની પિચકારીઓ અને ગંદકી આપણે ત્યાં હજુ પણ સામાન્ય જ ગણવામાં આવે છે... સદીઓ પુરાણા, મશીનરીઓ વગર માત્ર કાંડાની કરામતે સર્જા‍યેલાં આપણાં વૈભવી વારસાને સાચવવાની જવાબદારી આપણાં સૌની બને છે...

👉 આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરીટેજ ડે છે. આપણી પ્રાચિન વિરાસતોનું ગૌરવ લેવાનો આપણો અધિકાર છે અને નવી પેઢીને પણ તેની સાથે જોડવાની જરૂર છે.

💐📨💐📨💐📨💐📨💐🏬🏘🏡🏚

Monday, 17 April 2017

🏆🏆પ્રભાશંકર પટ્ટણી🏆🏆

Yuvirajsinh Jadeja:
📚🙏📚🙏📚🙏📚🙏📚
પ્રભાશંકર પટ્ટણી
📚🙏📚🙏📚🙏📚🙏

👉પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દિવાન હતા.
👀તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા.
👉બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો.
👉તેઓ લોકશાહીના સમર્થક હતા.
💥💥 👉૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.💥💥

☄☄👳તેમનો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો.
📚ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા
રાજકોટ ગયા. 📚🤘સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા✌️ .
૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજીના પૈસાદાર પરિવારની પુત્રી કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી  . પોતે સ્વમાની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી . પત્નિ કુંકીનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા.

👉મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા.
એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે રાજકુમાર કોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન,
કવિ કાન્ત , બ.ક.ઠાકોર જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. 👑👑તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંહજી પણ વિદ્યાર્થી હતા.👑👑 પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું.
👑૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.

👉👑આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટીવ કાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સર નો ખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.

👑૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું.

👉👉ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં ઉજવાઈ હતી . ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯).

👉ઉઘાડી રાખજો બારી –🔳🔳

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

-પ્રભાશંકર પટ્ટણી

👉અવતરણો

"ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય."

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💐💐 સિરિમાવો ભંડારનાયક 💐💐

👉 આજનો દિવસ :-

     સિરિમાવો ભંડારનાયક

માત્ર શ્રીલંકાના જ નહીં, વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી સિરિમાવો ભંડારનાયકનો જન્મ 17/4/1916 ના રોજ થયો હતો. અભ્યાસ માત્ર હાઇસ્કૂલ સુધીનો જ અને તે પણ કોલંબોની ચુસ્ત ખ્રિસ્તી શાળામાં કરેલો, છતાં તેઓ બૌદ્ધ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા. એ વખતના સ્થાનિક વહીવટના પ્રધાન શ્રી સોલોમાન સાથે તેમના લગ્ન થયા. પછી તો એમની સાથે વિદેશની યાત્રા પણ કરી. ઇ.સ.1959 માં તેમના પતિની હત્યા થતાં ‘લંકા ફ્રીડમ પાર્ટી’ નું સુકાન સંભાળી પક્ષ અને પ્રજાના પ્રેમ અને આગ્રહથી વડાપ્રધાન પદ સ્વીકાર્યું. એટલું જ નહીં, એ જવાબદારી વિકટ પરિસ્થિતિમાં પણ ભારે કુનેહથી ઉપાડી. સિલોનને ‘શ્રીલંકા’ નામ તેમણે જ આપ્યું. શ્રીલંકાના રાજકારણને શુદ્ધ રાજનૈતિક આધારો પર ઊભું કર્યું. વડાપ્રધાન પદ ઉપરાંત તેમણે વિદેશ અને સંરક્ષણ જેવા ખૂબ જ મહત્વના ખાતાઓના કારભાર પણ સફળતાપૂર્વક સંભાળી તેમના ટીકાકારોની તેમણે બોલતી બંધ કરી દીધી એટલું જ નહીં, શ્રીલંકાના શાસનની બાગડોર સંભાળ્યા પછી તેમણે પોતાના દેશને વિકાસની પા પા પગલી પડાવી હતી. સાથે સાથે ગૃહિણી તરીકેને પણ ફરજ બજાવી પોતાના બાળકો સાથે રજાનો દિવસ ગાળતાં હતાં. ઇ.સ.2000 માં તેમનું દેહાવસાન થયું. શ્રીમતી સિરિમાવો કહેતા : ‘પતિના દિવ્યાત્માને સુખ અને શાંતિ મળે, એમના ભગીરથ કાર્યને પાર પાડવા જ મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે.’ પતિની સાથે રહી રાજકારણનું ઘણું ઊંડું જ્ઞાન મેળવનાર આ સન્નારીનાં પોતાનાં જ શબ્દો કેટલા હ્રદયસ્પર્શી છે.

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

💐💐 ડો.સર્વપલી રાધાકૃષ્ણન💐💐

👉 આજનો દિવસ :-

     ડો.સર્વપલી રાધાકૃષ્ણન

જન્મ :             ૫ મી સપ્ટેમબર ૧૮૮૮,    
                       તીરુનની ,મદ્રાસ
અવસાન :        તા.૧૭ મી એપ્રિલ ૧૯૭૫ , મદ્રાસ

ભારત ના રાષ્ટ્પતિ

મહાન તત્વચિંતક ,વિચારક ,શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા .મદ્રાસ   યુનિર્વિસટીમાં શિક્ષણ બાદ દેશ ની અનેક  યુનિર્વિસટીઓમાં દર્શનાશાસ્ત્રના પ્રોફેસર અને છેવટે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના કુલપતિ .ઓકાશ્ફોર્દ તેમજ શીકાન્ગોની ખ્યાતનામ  યુનિર્વિસટીઓમાં પણ ભારતીય દર્શનશાસ્ત્ર ના અધ્યાપક .સ્વતત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટપતિ'' ઇન્ડિયન ફીલોસીફી '',રીકવરી ઓફ ફેથ ''પુસ્તકો ના લેખક ,ઉપરાંત ઉપનીસદ ,ભગવદ ગીતા ,બ્રહ્મસૂત્ર  વગેરે પુસ્તકો ના અંગ્રેજી માં અનુવાદ ,સાહિત્યક્ષેત્રે મહાન પ્રદાન,તેમના જીવનને ચીરસ્મરણીય બનાવવા તેમનો જન્મદિન-૫ મી સપ્ટેમ્બર શિક્ષણ દિન તરીકે ઉજવાય છે .ટેમ્પ્લટન એવોર્ડ ,ભારતરત્ન તેમજ અન્ય એવોર્ડ્જ,ભારતરત્ન તેમજ અન્ય એવોર્ડ્જથી સન્માનિત કરવા માં આવ્યા હતા.

🙏💐💐💐💐📚💐💐💐💐💐🙏

Saturday, 15 April 2017

🙏🙏સ્નેહરશ્મિ’🙏🙏

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

📨 એપ્રિલ ૧૬
📮 સ્નેહરશ્મિ’
               
🎁〰ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક ઝીણાભાઈ દેસાઈનો  જન્મ તા. ૧૬/૪/૧૯૦૩ના રોજ  વલસાડ જિલ્લાના ચીખલીમાં થયો હતો.

🎁〰પિતાનું નામ રતનજી દેસાઈ અને માતાનું નામ કાશીબેન હતું.

🎁〰ઈ.સ.૧૯૨૦માં મૅટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા.

🎁〰ઈ.સ.૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા.

🎁〰ઈ.સ.૧૯૨૬માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પરીક્ષા પાસ કરી.

🎁〰ઈ.સ.૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા.

🎁〰ઈ.સ. ૧૯૩૨-૩૩ માં બે એક વર્ષ જેલવાસ ભોગવ્યો હતો.

🎁〰 ત્યારપછી ઈ.સ.૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય થયા.

🎁〰ઈ.સ.૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક બન્યા.

🎁〰 ઈ.સ.૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ એનાયત થયો હતો. ત્રણેકવાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે સેવા આપી હતી.

🎁〰ઈ.સ.૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પસંદગી થઇ.

🎁〰ઈ.સ.૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ઈ.સ. ૧૯૮૫ નો નર્મદચન્દ્રક.

🎁〰ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે.

🎁〰 તેમણે  ‘અર્ધ્ય, ‘પનઘટ, ‘અતીતની પાંખમાંથી,‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ,’ નિજલીલા’ વગેરે એમના કાવ્યસંગ્રહો છે.

🎁〰જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે.

🎁〰‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ,‘કેવળવીજ’ અને ‘સનરાઈઝ ઑન સ્નૉપીક્સ’ જેવા હાઈકુસંગ્રહો રસપ્રદછે.

🎁〰સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એ  ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ.

🎁〰આ ઉપરાંત તેમણે તરાપો’ અને ‘ઉજાણી’ એમના બે  બાળકાવ્યોના સંગ્રહો છે.

🎁〰‘સકલ કવિતા’ એમની ઈ.સ.૧૯૨૧ થી ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓનો સમસ્તગ્રંથ છે.

🏵જ્ઞાન કી દુનિયા 🏵
🛍👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🛍

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

🎁〰‘ગાતા આસોપાલવ’ ,‘તૂટેલા તાર’ ,‘સ્વર્ગ અને પૃથ્વી’ ,‘મોટી બહેન’ ,‘હીરાનાં લટકણિયાં’ , ‘શ્રીફળ’ , ‘કાલાટોપી’ , ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમના વાર્તાસંગ્રહો છે.

🎁〰 ગાતા આસોપાલવ (૧૯૩૪) : સ્નેહરશ્મિનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાતો છે.

🎁〰અહીં કુલ સત્તર વાતો મૂકી છે. હસનની ઈજાર’ રશિયનમાંથી કરેલો ગુજરાતી અનુવાદ છે અને ‘કવિ’ આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે.

🎁〰‘ગરીબનો દીકરો’ એક સાચી બનેલી ઘટના છે. ઊર્મિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે. 

🎁〰એમની ‘અંતરપટ’ નવલકથા છે.

🎁〰‘મટોડુ ને તુલસી’ એમનો નાટકસંગ્રહ છે.

🎁〰‘ભારતના ઘડવૈયા’ (અન્ય સાથે, ૧૯૫૭) એમનો ચરિત્રલેખસંગ્રહ છે.

🎁〰 તો ‘પ્રતિસાદ’ એમનો વિવેચનસંગ્રહ છે.

🎁〰મારી દુનિયા’,‘સાફલ્ય ટાણું’ અને ‘ઊઘડે નવી ક્ષિતિજો’ માં વિસ્તરેલી એમની આત્મકથા કવિશિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજ્કીય અને સામાજિક પરિસ્થિતિઓના નિષ્કર્ષની અને મૂલ્યાંકનની કથા પણ છે.

🎁〰વ્યક્તિનિમિત્તે રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક મૂલ્ય ઊંચું છે. મારી દુનિયા , સાફલ્યટાણું ‘સ્નેહરશ્મિ’ ની આત્મકથા.

🎁〰 વતન ચીખલીથી આરંભાતી આ કથાનો પ્રથમ ખંડ માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોની દુનિયાનું આલેખન કરે છે.

🎁〰એમાં નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યક્તિત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજ્કીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ એમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીનો પરિચય થાય છે.

🎁〰‘મારી દુનિયા’ ૧૯૨૦ ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તો ‘સાફલ્યટાણું’ અસહકારના આહવાનથી શરૂ થઈ ૧૯૩૩ ની આસપાસ સમાપ્ત થાય છે.

🎁〰 તેર વર્ષની આ કથામાં ગાંધીજીનો, ગાંધીજીપ્રેર્યા વાતાવરણનો, ગાંધીજીની આસપાસની વ્યક્તિઓનો અને આઝાદીની લડતનો દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે.

📨સમીર પટેલ 📨
🍃 જ્ઞાન કી દુનિયા 🍃