🔮સામાજિક વિજ્ઞાન🔮
🔮ધોરણ: 8🔮
🔮સત્ર: 2🔮
⚫પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ⚫
💭બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔રાજા રામમોહનરાય
💭રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔ સંવાદકૌમુદી
💭ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
💭રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔ મિરાત-ઉલ-અખબાર
💭દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
✔ સ્વામી વિરજાનંદ
💭દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
✔સત્યાર્થ પ્રકાશ
💭આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?
✔દયાનંદ સરસ્વતી
💭હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?
✔ સ્વામી શ્રદ્ધાનંદે
💭કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?
✔સ્વામી રામકૃષ્ણ પરમહંસ
💭સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
✔ નરેદ્રનાથ
💭સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?
✔સ્વામી રામકૃષ્ણ પરમહંસ
💭સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?
✔ શિકાગો
💭રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
✔સ્વામી વિવેકાનંદ
💭સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?
✔ વહાબી
💭અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?
✔ સર સૈયદ અહમદખાને
💭શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔ખાલસા કૉલેજ
💭કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?
✔ બહેરામજી મલબારીના
💭ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?
✔જ્યોતિબા ફૂલેએ
💭સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
✔જ્યોતિબા ફૂલે
💭'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?
✔ઠક્કર બાપાએ
💭'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?
✔ઠક્કર બાપાએ
💭સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔રાજા રામમોહનરાય
💭રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔ઈ.સ. 1772માં
💭રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
💭કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔ ભાભીની સતી થવાની
💭રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔હિંદુ કૉલેજની
💭કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔ઈ.સ. 1829માં
💭કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔દિલ્લીના બાદશાહના
💭કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔ઈ.સ. 1833માં
💭રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔બ્રિસ્ટોલ મુકામે
💭દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?
✔સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં
💭સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?
✔15
💭આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?
✔શુદ્ધિ ચળવળ
💭સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?
✔વેદો તરફ પાછા વળો
💭રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?
✔ બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં
💭સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?
✔ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
💭ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?
✔વડોદરા
💭સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?
✔તહઝિબ-ઉલ-અખલાક
💭ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?
✔ભાવનગર
💭અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?
✔ રહનુમા-ઈ-મઝદયરબન
💭ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?
✔શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
🔃સમીર પટેલ 🔃
👁🗨 ज्ञान की दुनिया 👁🗨
No comments:
Post a Comment