👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿
⚫ નરસિંહ મહેતા ⚫
✍🏿નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા.
✍🏿આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે.
✍🏿તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું.
✍🏿આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
💐 જીવન 💐
✍🏿નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો.
✍🏿 તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા.
✍🏿 ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા.
✍🏿તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા.
✍🏿તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.
✍🏿તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા.
✍🏿 તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.
✍🏿તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.
💐 સર્જન 💐
✍🏿નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે.
✍🏿તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
💐 સન્માન 💐
✍🏿ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે.
✍🏿આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.
💐 વારિશ 💐
No comments:
Post a Comment