⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
🍹🍹 પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન:
⛳⛳ પ્રાચીન ભારતની સિંધુખીણ સંસ્કૃતિનના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે.
⛳⛳ કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.
⛳⛳ 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ.
⛳⛳ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.
⛳⛳ આ સમયમાં તૈયાર થેયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે.
⛳⛳ આ શિલ્પ આજેચેન્નઇના સંગ્રહાલયમાં સંગૃહીત છે.
⛳⛳ ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.
⛳⛳ ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મલી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.
⛳⛳ ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાનીવિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્વનાં ગણાય છે.
🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊
No comments:
Post a Comment