💒💒💒💒💒💒💒💒💒💒
🌺🌺 'ગૃત્સમદ' નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
🌺🌺 પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.
🌺🌺 'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં 'દશાંશ-પદ્વતિ' હતી,
🌺🌺 તેનો પરિચય પ્રાચીન સમયમાં 'મેઘાતિથી' નામના ગણિતશાસ્ત્રીએ આપ્તો હતો.
🌺🌺 ઇ.સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે 'લીલાવતી ગણિત' નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો.
🌺🌺 આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત, અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા.
🌺🌺 તેમણે + (સરવાળા) અને - (બાદબાકી)ની શોધો કરી હતી.
🌺🌺 ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
🌺🌺 ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.
🌺🌺 ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.
🖊HAPPY TO HELP 🖊
☔☔☔☔☔☔☔☔☔☔
🌙HAPPY TO HELP🌙
🍁🍁 પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ:
🍬🍬 ભારતે વિશ્વને શુન્યની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
🍬🍬 મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શુન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશ-પદ્ધતિની શોધ કરી હતી.
🍬🍬 તેમણે તેમના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં (પાઈ)ની કિંમત (3.14) જેટલી થાય છે એવુંજણાવ્યું હતું.
🍬🍬 તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે.
🍬🍬 આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે.
🍬🍬 તેથી આર્યભટ્ટેને 'ગણિતશાસ્ત્રના પિતા' કહેવામાં આવે છે.
🍬🍬 આર્યભટ્ટે 'દસગીતિકા' અને 'આર્યસિદ્વાંત' નામના ગ્રંથો લખ્યા હતા.
🍬🍬 'આર્યસિદ્ધાંત' ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે.
🍬🍬 તેમણેબીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મુળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યો હતો.
👇👇👇👇👇👇👇👇👇👇
No comments:
Post a Comment