Thursday, 2 March 2017

*GK IS BEST FOR EVER*

*GK IS BEST FOR EVER*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡

🔴 પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કયારે કરવામા આયો?
🌷ઇ.સ 1929

🔴નહેરૂ અહેવાલ ક્યારે તૈયાર કરવામા આવ્યો ?  
🌷ઈ.સ.1928

🔴 સાયમન કમિશન કઈ સાલમા ભારત આવ્યૂ ?
🌷ઇ.સ 1927

🔴 ઇસ્લામ ધર્મના વડાને શુ કહેવાય?
🌷ખલિફા

🔴જલીયાવાલા બાગનો હયાકાંડ ક્યા અને ક્યારે થયો?
🌷૧૩ એપ્રીલ,૧૯૧૯ પંજાબ

🔴ખેડા સત્યાગ્રહ ક્યારે થયો?
🌷ઈ.સ.૧૯૧૭-૧૯૧૮

🔴 ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો?
🌷ઈ.સ.૧૯૧૭મા

🔴ગાંધીજી દક્ષિણ આફિકાથી ભારત પરત કયારે ફર્યા?
🌷 ઈ.સ.૧૯૧૫મા

🔴ભગતસિહને ફાંસી ક્યારે આપવામાં આવી?
🌷23 માર્ચ 1931
⚡⚡⚡⚡⚡⚡⚡⚡

Tuesday, 28 February 2017

ðŸ’āŠŠ્āŠ°āŠ–્āŠŊાāŠĪ āŠđાāŠļ્āŠŊ āŠēેāŠ–āŠ• āŠĪાāŠ°āŠ• āŠŪāŠđેāŠĪા💐

પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમના નિધનને પગલે પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું.

26 જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રીથી સન્માનિત થયેલા તારક મહેતા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતાં હતા. ૨૬-૧૨-૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં જન્મેલા તારક મહેતા મુંબઈમાં ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ. એ. પાસ કર્યા બાદ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. ૧૯૫૯-૬૦માં વચ્ચે તેઓ ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી પદે રહ્યાં બાદ તેઓ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે જોડાયા હતા.

Monday, 27 February 2017

ðŸ’āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠĩિāŠœ્āŠžાāŠĻ āŠĶિāŠĩāŠļ💐

💐રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ💐

February 28

                      🌷ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ.સી.વી.રામને “ રામન પ્રભાવ “ એટલે કે રામન ઈફેક્ટની શોધ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ કરી હતી અને પરિણામો મેળવ્યા હતા.

આ તેમણે ઈ.સ. ૧૯૩૦માં નોબલ પારિતોષિક એનાયત થયું. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે ૧૯૬૪માં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિજ્ઞાની હતા. ડૉ.સી. વી. રામનનું જીવન સાદગીપૂર્ણ અને સરળ હતું.

સર સી.વી.રામને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. આ સંશોધનને એમણે ‘ રામન પ્રભાવ’  નામ આપ્યું.

તેમના કહેવાનુસાર “ પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થઈ તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે.”નો શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂપિયા ૨૦૦/- થયો હતો.

પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. આ રમણ પ્રભાવનો ઉપયોગ વિવિધ પદાર્થોના આતરિક બંધારણ જાણવામાં થાય છે. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું હતું. અને તેની જાહેરાત સૌપ્રથમ ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮નાં રોજ થઇ હતી.

તેથી આ શોધને દેશમાં ઈ.સ. ૧૯૮૬થી પ્રતિ વર્ષ ૨૮ ફેબ્રુઆરી “ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. છે.

સાથોસાથ આ દિવસ સમગ્ર સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અભિગમ કેળવાય તેમ જ અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ માટેની દિવસ છે.

                     🌷🌷 ડૉ.સી.વી..રામનને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ અને પ્રેમ હતો. તેઓ વૈજ્ઞાનિક હોવા છતાં જ્યારે જ્યારે સમય મળતો ત્યારે વિદ્યાર્થીઓને મળવા સ્કૂલમાં પહોંચી જતા અને વિજ્ઞાનની વાતો કરતા હતા.

તેઓ મોટા સેમિનારોમાં જવા કરતાં શાળામાં જવાનું વધારે પસંદ કરતા હતા. પ્રાથમિક શાળાથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમ જ અભિગમ કેળવાય તે જરૂરી છે.

તેમની લાગણીને કારણે ૨૮ ફેબ્રુઆરી સમગ્ર દેશમાં ‘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે દરેક શાળામાં વિજ્ઞાનના વિષયનેઅનુલક્ષીને સેમિનાર, પ્રદર્શન, વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધા, વિજ્ઞાનના મ્યુઝીયમમાં જઈ વિજ્ઞાનની કૃતિઓનો અભ્યાસ તેમ જ શાળામાં વિજ્ઞાન વર્તુળ અથવા વિજ્ઞાન ક્લબ બનાવવાનું આયોજન કરી વિજ્ઞાનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

 આ રીતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવી જોઈએ જેથી અંધ શ્રધ્ધા સમાજમાં નાબૂદ થાય એ જ આપણી આપણા દેશના મહાન વૈજ્ઞાનિકને સાચી શ્રધ્ધાંજલિ હોઈ શકે

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐                    .                                                       .    

💐āŠĶિāŠē્āŠđી āŠĪāŠ–્āŠĪ : āŠāŠ• āŠŪાāŠđિāŠĪી💐


💐દિલ્હી તખ્ત : એક માહિતી💐

દિલ્હી સલ્તનત : અનંગથી નરેન્દ્ર સુધી.
તોમારવંશ થી સંઘવંશ સુધી ~ ઈ.સ. ૭૩૬ થી ઈ.સ. ૨૦૧૬.

😊તોમાર વંશ😊

૧ ૭૩૬ અનંગપાલ-તોમાર અને વંશજો
૨ ૧૦૪૯ અનંગપાલ બીજો
૩ ૧૦૯૭ સૂરજપાલ તોમાર ૧૧૫૩માં તોમાર વંશ સમાપ્ત

ચૌહાણ વંશ

૧ ૧૧૫૩ વિગ્રહરાજ પાંચમો
૨ ૧૧૭૦ સોમેશ્વર ચૌહાણ
૩ ૧૧૭૭ પૃથ્વીરાજ ચૌહાણ ૧૧૯૩માં ચૌહાણ વંશ સમાપ્ત

ગુલામ વંશ

૧ ૧૧૯૩ મહમદ ઘોરી
૨ ૧૨૦૬ કુતબુદીન ઐબક નં.૧ નો ગુલામ
૩ ૧૨૧૦ આરમ શાહ નં.૨ નો પુત્ર
૪ ૧૨૧૧ ઇલ્તુત્મિશ નં.૨ નો જમાઇ
૫ ૧૨૩૬ રૂક્નુદીન ફિરોજ શાહ પહેલો નં.૪ નો પુત્ર
૬ ૧૨૩૬ રઝિયા સુલતાન નં.૪ ની પુત્રી
૭ ૧૨૪૦ મુઇઝુદીન બહેરામ શાહ નં.૪ નો પુત્ર
૮ ૧૨૪૨ અલ્લાઉદીન મસૂદ શાહ નં.૫ નો પુત્ર
૯ ૧૨૪૬ નાસિરૂદીન મહમદ શાહ નં.૪ નો પુત્ર
૧૦ ૧૨૬૬ ઘીયાસુદીન બલ્બન નં.૯ નો સસરો
૧૧ ૧૨૮૬ કૈ ખુશરો નં.૧૦ નો પૌત્ર
૧૨ ૧૨૮૭ મુઇઝુદીન કૈકુબાદ નં.૧૦ નો પૌત્ર
૧૩ ૧૨૯૦ કાયુમાર્સ નં.૧૨ નો પુત્ર
૧૨૯૦ ગુલામ વંશ સમાપ્ત

😘ખીલજી વંશ😘

૧ ૧૨૯૦ જલાલુદીન ફિરોઝ શાહ
૨ ૧૨૯૬ રૂકનુદીન ઇબ્રાહિમ શાહ પહેલો નં.૧ નો પુત્ર
૩ ૧૨૯૬ અલ્લાઉદીન ફિરોઝ મહમદ શાહ નં.૧ નો ભત્રીજો
૪ ૧૩૧૬ સાહિબુદીન ઉમર શાહ નં.૩ નો પુત્ર
૫ ૧૩૧૬ કુતબુદીન મુબારક શાહ નં.૩ નો પુત્ર
૬ ૧૩૨૦ નાસિરૂદીન ખુશરૂ શાહ નં.૫ નો ગુલામ
૧૩૨૦માં ખીલજી વંશ સમાપ્ત

😉તઘલખ વંશ😉

૧ ૧૩૨૦ ઘીયાસુદીન તઘલખ પહેલો
૨ ૧૩૨૫ મહમદ તઘલખ બીજો
૩ ૧૩૫૧ ફિરોઝ શાહ નં.૧ નો ભત્રીજો
૪ ૧૩૮૮ ઘીયાસુદીન તઘલખ બીજો નં.૩ નો પૌત્ર
૫ ૧૩૮૯ અબુ બકર શાહ નં.૩ નો પૌત્ર
૬ ૧૩૮૯ મહમદ તઘલખ ત્રીજો નં.૩ નો પુત્ર
૭ ૧૩૯૪ સિકંદર શાહ પહેલો નં.૬ નો પુત્ર
૮ ૧૩૯૪ નાસિરૂદીન મહમદ શાહ બીજો નં.૬ નો પુત્ર
૯ ૧૩૯૫ નશરત શાહ નં.૩ નો પૌત્ર
૧૦ ૧૩૯૯ નાસિરૂદીન મહમદ શાહ બીજો ફરી સત્તા પર
૧૧ ૧૪૧૩ દૌલતશાહ ૧૪૧૪ તઘલખ વંશ સમાપ્ત

👍સઇદ વંશ👍

ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૪૧૪ ખીઝર ખાન
૨ ૧૪૨૧ મુઇઝુદીન મુબારક શાહ બીજો નં.૧ નો પુત્ર
૩ ૧૪૩૪ મુહમદ શાહ ચોથો નં.૧ નો પૌત્ર
૪ ૧૪૪૫ અલ્લાઉદીન આલમ શાહ નં.૩ નો પુત્ર
૧૪૫૧માં સઇદ વંશ સમાપ્ત

😉લોદી વંશ😉

ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૪૫૧ બુહબુલ ખાન લોદી
૨ ૧૪૮૯ સિકંદર લોદી બીજો નં.૧ નો પુત્ર
૩ ૧૫૧૭ ઇબ્રાહિમ લોદી નં.૨ નો પુત્ર
૧૫૨૬માં લોદી વંશ સમાપ્ત

😊મોગલ વંશ😊

ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૨૬ ઝાહિરૂદીન બાબર
૨ ૧૫૩૦ હુમાયુ નં.૧ નો પુત્ર
૧૫૩૯માં મોગલ વંશમાં મધ્યાંતર

🤗સુરી વંશ🤗

ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૩૯ શેર શાહ સુરી
૨ ૧૫૪૫ ઇસ્લામ શાહ સુરી નં.૧ નો પુત્ર
૩ ૧૫૫૨ મહમદ આદિલ શાહ સુરી નં.૧ નો ભત્રીજો
૪ ૧૫૫૩ ઇબ્રાહિમ સુરી નં.૧ નો ભત્રીજો
૫ ૧૫૫૪ ફિરહુઝ શાહ સુરી
૬ ૧૫૫૪ મુબારક ખાન સુરી
૭ ૧૫૫૫ સિકંદર સુરી નં.૧ નો ભાઈ
સુરી વંશનો અંત,મોગલ વંશનો પૂનઃપ્રારંભ

🐰મોગલ વંશ(૨)🐰

ક્રમ સાલ (ઇ.સ.) શાસક નોંધ
૧ ૧૫૫૫ હૂમાયુ ફરી ગાદી પર
૨ ૧૫૫૬ જલાલુદીન અકબર
૩ ૧૬૦૫ જહાંગીર સલીમ
૪ ૧૬૨૮ શાહજહાં
૫ ૧૬૫૯ ઔરંગઝેબ
૬ ૧૭૦૭ શાહ આલમ પહેલો નં.૫ નો પુત્ર
૭ ૧૭૧૨ જહાંદર શાહ નં.૬ નો પુત્ર
૮ ૧૭૧૩ ફારૂખશિઆર નં.૭ નો ભત્રીજો
૯ ૧૭૧૯ રઇફુદુરાજત નં.૬ નો પૌત્ર
૧૦ ૧૭૧૯ રઇફુદદૌલા નં.૬ નો પૌત્ર
૧૧ ૧૭૧૯ નેકુર્શિયાર નં.૫ નો પૌત્ર
૧૨ ૧૭૧૯ મહમદ શાહ નં.૬ નો પૌત્ર
૧૩ ૧૭૪૮ અહમદ શાહ નં.૧૨ નો પૌત્ર
૧૪ ૧૭૫૪ આલમગીર નં.૭ નો પુત્ર
૧૫ ૧૭૫૯ શાહ આલમ નં.૫ નો પૌત્ર
૧૬ ૧૮૦૬ અકબર શાહ નં.૧૫ નો પુત્ર
૧૭ ૧૮૩૭ બહાદુર શાહ ઝફર નં.૧૬ નો પુત્ર
૧૮૫૭ મોગલ વંશ સમાપ્ત,બ્રિટીશરાજ શરૂ

😊બ્રિટીશરાજ (વાઇસરોય)😊

ક્રમ સાલ (ઇ.સ.) વાઇસરોય
૧ ૧૮૫૮ લોર્ડ કેનિંગ
૨ ૧૮૬૨ લોર્ડ જેમ્સ બ્રુસ એલ્ગિન
૩ ૧૮૬૪ લોર્ડ જહોન લોરેન્સ
૪ ૧૮૬૯ લોર્ડ રિચાર્ડ મેયો
૫ ૧૮૭૨ લોર્ડ નોર્થબૂક
૬ ૧૮૭૬ લોર્ડ એડવર્ડ લુટેન
૭ ૧૮૮૦ લોર્ડ જ્યોર્જ રીપન
૮ ૧૮૮૪ લોર્ડ ડફરીન
૯ ૧૮૮૮ લોર્ડ હેન્ની લેન્સડોન
૧૦ ૧૮૯૪ લોર્ડ વિક્ટર બ્રુસ એલ્ગિન
૧૧ ૧૮૯૯ લોર્ડ જ્યોર્જ કર્ઝન
૧૨ ૧૯૦૫ લોર્ડ ગિલ્બર્ટ મિન્ટો
૧૩ ૧૯૧૦ લોર્ડ ચાલ્ર્સ હાર્ડિન્જ
૧૪ ૧૯૧૬ લોર્ડ ફ્રેડરિક ચેલ્મ્સફોર્ડ
૧૫ ૧૯૨૧ લોર્ડ રૂફ્સ આઇઝૅક રીડીંગ
૧૬ ૧૯૨૬ લોર્ડ એડવર્ડ ઇરવિન
૧૭ ૧૯૩૧ લોર્ડ ફ્રિમેન વેલિંગ્ડન
૧૮ ૧૯૩૬ લોર્ડ એલેક્ઝાન્ડ લિન્લિથગો
૧૯ ૧૯૪૩ લોર્ડ આર્કિબાલ્ડ વેવેલ
૨૦ ૧૯૪૭ લોર્ડ માઉન્ટબેટન

✌આઝાદ ભારત, વડાપ્રધાન✌

ક્રમ સાલ (ઇ.સ.) વડાપ્રધાન
૧ ૧૯૪૭ જવાહરલાલ નેહરુ
૨ ૧૯૬૪ ગુલઝારીલાલ નંદા
૩ ૧૯૬૪ લાલ બહાદુર શાસ્ત્રી
૪ ૧૯૬૬ ગુલઝારીલાલ નંદા
૫ ૧૯૬૬ ઈન્દિરા ગાંધી
૬ ૧૯૭૭ મોરારજી દેસાઈ
૭ ૧૯૭૯ ચરણસિંહ
૮ ૧૯૮૦ ઈન્દિરા ગાંધી
૯ ૧૯૮૪ રાજીવ ગાંધી
૧૦ ૧૯૮૯ વિશ્વનાથ પ્રતાપસિંહ
૧૧ ૧૯૯૦ ચંદ્રશેખર
૧૨ ૧૯૯૧ પી.વી.નરસિંહ રાવ
૧૩ ૧૯૯૬ અટલ બિહારી વાજપેયી
૧૪ ૧૯૯૬ એચ.ડી.દેવેગૌડા
૧૫ ૧૯૯૭ આઇ.કે.ગુજરાલ
૧૬ ૧૯૯૮ અટલ બિહારી વાજપેયી
૧૭ ૨૦૦૪ ડૉ.મનમોહન સિંહ
૧૮ ૨૦૧૪ નરેન્દ્ર મોદી...
💐💐💐💐

ðŸ’ĨāŠšંāŠĶ્āŠ°āŠķેāŠ–āŠ° āŠ†āŠાāŠĶ āŠĻો āŠŽāŠēિāŠĶાāŠĻ āŠĶિāŠĩāŠķ

*💥Breaking News💥*27-2-17

💥ચંદ્રશેખર આઝાદ નો
  બલિદાન દિવશ

*💥�ચંદ્રશેખર આઝાદ*
👉�મુળનામ
   ચંદ્રશેખર સિતારામ તિવારી

👉�જન્મ-23 જુલાઇ 1906
👉�જન્મ સ્થળ
  ભાવરા ગામ,મધ્યપ્રદેશ

👉�શહિદદિવશ
  27 ફેબ્રૃઆરી 1931
👉�શહિદી સ્થળ
  આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદ ઉ.પ્રદેશ

👉�માત્ર 14 વર્ષની ઉંમરમાજ સ્વાતંત્ર્ય ચળવળમા *કોર્ટમા ન્યાયાધીશની સામે પોતાનુ નામ આઝાદ બતાવ્યુ ત્યારથી તેઓ ચંદ્રશેખર આઝાદ* ના નામથી ઓળખાયા

👉�માત્ર 24 વર્ષના ટુંકાજીવન મા તેઓ ક્રાંતિકારી પ્રવૃતિના કારણે આજે પણ તેમની ભારતના મહાન ક્રાંતિકારીમા ગણના થાય છે
🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏�🙏

Sunday, 26 February 2017

ðŸ’āŠŽāŠšુāŠ­ાāŠˆ āŠ°ાāŠĩāŠĪ💐

💐બચુભાઈ રાવત💐

February 27

                   🐰 ગુજરાતના  કલાવિવેચક બચુભાઈ પોપટભાઈ રાવતનો  જન્મ તા. ૨૭/૨/૧૮૯૮ના રોજ અમદાવાદમાં. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું .

🤗ઈ.સ.૧૯૧૫ થી ૧૯૧૯ સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક તરીકે જોડાયા.ઈ.સ.૧૯૨૦-૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અને ઈ.સ.૧૯૨૨-૨૩માં નવજીવન પ્રકાશન મંદિરમાં સંપાદન-પ્રકાશન સહાયક તરીકે કામગીરી કરી હતી.

😊 ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રીપદે રહ્યા.તેમણે ઈ.સ. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના કરી.

👍ઈ.સ.૧૯૪૩ થી ૧૯૮૦ સુધી ‘કુમાર’ના તંત્રી તરીકે પંસદગી થઇ.ઈ.સ.૧૯૫૩માં મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં કામગીરી કરી.

✌ઈ.સ.૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે નિમણૂક થઇ. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ બન્યા.

😉ઈ.સ. ૧૯૬૫માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમા અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ તરીકે નિમણૂક થઇ.

😊ઈ.સ. ૧૯૪૮માં પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો અને

😊ઈ.સ.૧૯૭૫માં પદ્મશ્રીનો ખિતાબ પણ એનાયત થયો હતો. સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે.

😊‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’માં કલાવિષયક લેખો અને કલાવિવેચન છે. ઉપરાંત એમણે ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’ પુસ્તક પણ આપ્યું છે. ‘ટૂંકી વાર્તાઓ’ માં એમણે હિન્દીમાંથી ટૂંકીવાર્તાઓના કરેલા અનુવાદો સંચિત છે.

🙏૧૨મી જુલાઈ ૧૯૮૦ના દિવસે તેમનું અવસાન થયું.:                                                          

Today AHEMDABAD 607 Year 😟

➖🔹➖🔹➖🔹➖🔹➖🔹➖
Today AHEMDABAD 607 Year 😟✍🏻

🐕🐇कुत्ते पर जब सस्सा आया,
बादशाह ने तब शहर बनवाया।
➖🔹➖🔹➖🔹➖🔹➖🔹

🏘⛱ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે.

🏘⛱અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે.

🏘⛱સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં.

🏘⛱અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું.

🏘⛱અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું.

🏘⛱અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું.

🏘⛱કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.