Sunday 18 December 2016

Ss8💭āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 5 āŠŠ્āŠ°ાāŠ•ૃāŠĪિāŠ• āŠ†āŠŠāŠĪ્āŠĪિāŠ“💭

📮સામાજિક વિજ્ઞાન📮
📮ધોરણ: 8📮
📮સત્ર: 1📮

💭પ્રકરણ - 5 પ્રાકૃતિક આપત્તિઓ💭

⚫ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ?
✔ભૂકંપનિર્ગમન કેન્દ્ર

⚫ભૂકંપ ક્રિયાના ઉદ્ભવસ્થળેથી ભૂકંપનાં મોજાં પેદા થાય છે, તેને શું કહે છે ?
✔ ભૂકંપ કેન્દ્ર

⚫ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ શાના વડે જાણી શકાય છે ?
✔ભૂકંપ આલેખયંત્ર

⚫ભૂકંપ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
✔ ત્રણ

⚫જ્વાળામુખી વિસ્ફોટન થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
✔ચાર

⚫જ્વાળામુખી પર્વતના કેટલાં પ્રકાર છે ?
✔ ત્રણ

⚫શાના કારણે ભૂકંપ થાય છે ?
✔આંતરિક ભૂસંચલનથી

⚫પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે ?
✔ બે

⚫આમાંથી કઈ આપત્તિ બાહ્ય ફેરફારને કારણે સર્જાય છે ?
✔દાવાનળ

⚫આમાંથી કઈ આપત્તિ આંતરિક ફેરફારને કારણે સર્જાય છે ?
✔ ત્સુનામી

⚫ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
✔ 700 થી 1600

⚫જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?
✔ ઇ.સ.2011માં

⚫અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ ?
✔વાતાવરણનું

⚫જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?
✔ લાપિલી

⚫ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે ?
✔ અંદમાન-નિકોબાર

⚫ત્સુનામી કયા કારણે આવે છે ?
✔ સમુદ્રના તળિયે ભૂકંપથી

⚫તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
✔વાવાઝોડું

⚫નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
✔પૂર

⚫જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ કે બીજા કારણે આગ લાગે તેને શું કહેવાય ?
✔દાવાનળ

⚫કેટલીકવાર પૃથ્વીનો ભાગ નીચે તરફ ખસી જાય તેને શું કહેવાય ?
✔ ભૂસ્ખલન

⚫પૃથ્વીના પેટાળમાં થતાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રૂજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રૂજારીને શું કહે છે ?
✔ભૂકંપ

⚫ભૂકંપની સૌથી વધુ અસર કયાં અનુભવાય છે ?
✔ભૂકંપનિર્ગમન કેન્દ્ર

⚫ભૂકંપ થવાનું કારણ કયું છે ?
✔ ત્રણેય

⚫નીચેનામાંથી કયું જવાળામુખી વિસ્ફોટનનું કારણ નથી ?
✔સુષુપ્ત અગ્નિ

⚫નીચેનામાંથી ક્યો જ્વાળામુખીનો પ્રકાર છે ?
✔ ત્રણેય

⚫નીચેનામાંથી જ્વાળામુખી વિસ્ફોટનનો ફાયદો કયો નથી ?
✔તેનાથી સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે.

⚫નદીમાં પૂર આવવાના કારણો કયા છે ?
✔નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી તથા બંધ તૂટી જવાથી

⚫વરસાદ ન આવવાથી ખોરાક-પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે ?
✔દુષ્કાળ

⚫ભારતના દરિયાકિનારાના વિસ્તારોમાં કેટલીક વાર શું સર્જાય છે ?
✔ચક્રવાત

⚫શાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે ?
✔દાવાનળ

⚫ભૂસ્ખલનને કારણે ક્યો રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે ?
✔ કોંકણ

⚫ભૂસ્ખલન શાના કારણે થાય છે ?
✔ ભારે વરસાદ અને ભૂકંપ

🎐સમીર પટેલ 🎐
📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨📇👁‍🗨

No comments:

Post a Comment