Sunday 18 December 2016

Ss8.પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર📇

💭સામાજિક વિજ્ઞાન💭
💭ધોરણ: 8💭
💭સત્ર: 1💭

📇પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર📇

⭕ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?
✔અઢારમી

⭕બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો ?
✔ઇ.સ.1770માં

⭕કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું ?
✔વૉરન હેસ્ટિંગ્સના

⭕ક્યા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી ?
✔કૉર્નવોલિસે

⭕અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિંદનાં કાપડ પર નાખી હતી ?
✔80 ટકા

⭕કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો ?
✔વિલિયમ બૅન્ટિંક

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?
✔વિલિયમ બૅન્ટિંકે

⭕સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?
✔ઇ.સ.1829માં

⭕કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો ?
✔મેકોલેને

⭕ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા ?
✔ગુલામીની કેળવણી

⭕ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
✔ ઇ.સ.1834માં

⭕યંત્રો કે માનવબળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને શું કહે છે ?
✔કાચો માલ

⭕કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુક્સાન પહોંચાડી શકી ન હતી ?
✔ઔરંગઝેબના

⭕દીવાની સત્તા એટલે કઈ સત્તા ?
✔મહેસૂલ ઉઘરાવવાની સત્તા

⭕બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને ક્યા રાજ્યની દીવાની સત્તા મળી ?
✔ ત્રણેય

⭕જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે ?
✔જમીન મહેસૂલ

⭕કંપની સરકાર ઈરાદાપૂર્વક ક્યો ધર્મ અંગીકાર કરાવી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું ભારતીય લોકોને લાગ્યું ?
✔ ખ્રિસ્તી

⭕ક્યાંના મુલાયમ અને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી ?
✔ઢાકાના

⭕હિંદીએ અંગ્રેજને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું હતું ?
✔આગ્રામાં

⭕અંગ્રેજી રાજ્યતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોને ગણવામાં આવતી હતી ?
✔ ગ્રામ પંચાયતને

⭕નીચેનામાંથી કયો સુધારો વિલિયમ બેન્ટિકે કર્યો નથી ?
✔ તારની શરૂઆત

◼સમીર પટેલ ◼
🔃📇🔃📇🔃📇🔃📇🔃📇

No comments:

Post a Comment