Tuesday 18 April 2017

📮ચંપકલાલ નાયક📮

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮ચંપકલાલ નાયક📮
                 
📨➖ગુજરાતના સુપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય કીર્તનકાર ચંપકલાલનો જન્મ તા. ૧૯/૪/૧૯૦૯ના રોજ પાટણમાં થયો હતો.

📨➖તેમના પિતા છબીલદાસ બે પેઢીથી દ્વારકાધીશ મંદિરમાં કીર્તનકાર હતા.

📨➖ પોતાને ત્યાં ગામ પરગામથી આવતાં સુપ્રસિદ્ધ કીર્તાન્કારોને સાંભળવાનો તેમણે લ્હાવો મળતો હતો. પિતાની સાથે મંદિરે જતા.

📨➖તેમના કાને સંગીતના સતત સંસ્કારો પડ્યા હતા.

📨➖તેમણે પુંજીરામ નામના ઉસ્તાદ દ્વારા મૃદંગીની ખાસ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક પખવાજી  તરીકે તેઓ મંદિરમાં સામેલ થયાં.

📨➖સંગીતને પ્રોત્સાહન માટે મહારાજા સયાજીરાવ વડોદરા રાજ્યમાં ચાર સંગીતશાળાઓ સ્થાપી હતી. તેમાંથી એક પાટણમાં પણ ગતિ.

📨➖ચંપકલાલ અગિયાર વર્ષની વયે તેમાં દાખલ થયા ત્યારબાદ મહેસાણા અને વિસનગરના મંદિરોમાં કીર્તનકાર તરીકે સેવાઓ આપીને તેઓ અમદાવાદમાં સ્થિર થયા.

📨➖અમદાવાદમાં લીનાબહેન  મંગળદાસની કુટુબશાળામાં પણ સંગીત શીખવ્યું.

📨➖તેમણે અમદાવાદમાં ભાતખંડે સંગીતપદ્ધતિનું વિદ્યાલય દ્વારા શરૂ કરવાની ઈચ્છા થઇ. પરિણામે ભાતખંડે સંગીત મહાવિદ્યાલયનો પ્રારંભ થયો.

📨➖ચંપક્લાલજી અમદાવાદમાં આકાશવાણી ઉપરથી કાર્યક્રમ આપતા હતા. ઈ.સ. ૧૯૬૫માં’ ગોવિંદસ્વામી’ નામે ફિલ્મમાં તેમણે અકબરની ભૂમિકા કરી હતી તેમ જ સંગીત નિર્દેશન પણ કર્યું હતું.

📨➖તેમણે અનેક સ્થળોએ સંખ્યાબંધ કાર્ક્રમો આપ્યા હતા.

📨➖સંગીતની સાધના ઉપરાંત તેનો પ્રસાર કરવા માટે તેમણે ‘ અષ્ટ્છાપીય ભક્તિસંગીત’ સહિતના ૧૬ ગ્રંથોની રચના કરી હતી.

📨➖ગુજરાતીના સુપ્રસિદ્ધ ગાયક ચંપકલાલ નાયક પાંચમી ડીસેમ્બર ૧૯૯૮ના રોજ અવસાન થયું.

🍃🍂સમીર પટેલ 🍂🍃
🏵🌻જ્ઞાન કી દુનિયા 🌻🏵

No comments:

Post a Comment