🛡👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛡
💥 *૦૬ જૂન* 💥
👳🏼 *ભાઈલાલભાઈ પટેલ* 👳🏼
📡➖વલ્લભવિદ્યાનગરમાં વિદ્યાસંકુલ ઊભું કરનાર એક નિષ્ઠાવાન લોકસેવક, પ્રમાણિક રાજકારણી અને કુશળ ઈજનેર ભાઈલાલભાઈ પટેલનો જન્મ તા. ૬/૬/૧૮૮૮ના રોજ ખેડા જીલ્લાના સોજીત્રા ગામમાં થયો હતો.
📡➖પિતાનું નામ દ્યાભાઈ હતું.
📡➖આર્થિક મુશ્કેલીઓમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી વડોદરા કોલેજમાં તેમણે પ્રવેશ મેળવ્યો. અને ત્યાંથીજ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો.
📡➖શરૂઆતમાં વડોદરા રાજ્યમાં અને ત્યારપછી બ્રિટીશ સરકારની નોકરી કરી.
📡➖નોકરી દરમિયાન પણ તેમની કારકિર્દી ઝળહળતી હતી.
📡➖નિવૃત્તિ થઇ અમદાવાદ મ્યુનિસિપાલીટી માં ત્રણેક વર્ષ સુધી સેવાઓ આપી.
📡➖આ દરમિયાન કેટલાક પાયાના પ્રશ્નો હલ કર્યા એટલું જ નહિ પણ મ્યુનિસિપાલિટીના તંત્રમાંથી તુમારશાહી દૂર કરી શહેરના વિકાસમાં અંતરાયરૂપ એવા બાદશાહના સમયમાં પાકા કોટ- દરવાજા જેમના તેમ રાખી દીવાલો તોડવાનો મહત્વની નિર્ણય લીધો.
📡➖તેનાં અઢળક રોડાંનો ઉપયોગ કરીને નવા રસ્તા બાંધવામાં કર્યો. પરંતુ વાસ્તવમાં ભાઈકાકાની વિરાટ શક્તિ માટે આ ક્ષેત્ર ઘણું નાનું હતું.
📡➖એમની વિશાલ દ્રષ્ટિ કોઈક મોટું સ્વપ્ન સેવીને તેને સિદ્ધ કરવાની દિશામાં હતી.
📡➖ તેઓ પ્રખર બુદ્ધિશાળી અને કુશળ ઈજનેર હતા.
📡➖તેમના જીવનનું સૌથી મહત્વનું કાર્ય એ આણંદ પાસે ‘ વલ્લભવિદ્યાનગર’ ની સ્થાપનાનું હતું. અને આ અભિગમને સાકાર કરવા તેમણે પ્રયત્નો કર્યા.
📡➖આ પ્રયત્નો થકી ૧૩ ફેબ્રુઆરી ૧૯૪૯ના રોજ આણંદ ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલજી વિદ્યાનગરનો પાયો નંખાયો.
📡➖સ્વયંસંપૂર્ણતાના સિધ્ધાંત પર ગ્રામ જનતાના હિત માટે રચાયેલી આ ગ્રામ વિદ્યાપીઠ છે.
📡➖ગાંધીજીના આશીર્વાદ અને સરદાર પટેલના સબળ ટેકાથી ગુજરાતની પ્રથમ ઈજનેરી કોલેજનું નિર્માણ થયું.
📡➖ભાઈલાલભાઈ પ્રજામાં ‘ ભાઈકાકા’ના નામે લોકપ્રિય હતા. વલ્લભવિદ્યાનગરના ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. એકલે હાથે આવું વિરાટ કાર્ય હાથ ધરનાર ભાઈકાકાનું શિક્ષણ સંસ્કાર ક્ષેત્ર એક આગવું પ્રદાન છે.
📡➖તેમણે ઈ.સ.૧૯૫૫માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. અને તેના પ્રથમ કુલપતિ તરીકે સેવા પણ આપી હતી.
📡➖આ ઉપરાંત ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા તરીકે ઈ.સ. ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી સેવા આપી હતી.
📡➖તેમનું ૩૧ માર્ચ ૧૯૭૦ના રોજ અવસાન થયું.
📉 *સમીર પટેલ* 📈
💭🍨 *જ્ઞાન કી દુનિયા* 🍨💭
No comments:
Post a Comment