Friday, 14 April 2017

💐🏵મનહર મોદી🏵 💐

🀄👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🀄

🏵મનહર મોદી🏵
                     
📨〰મન હરિ લેતી ગઝલોના ગુજરાતી કવિ મનહર મોદીનો જન્મ તા.૧૫/૪/૧૯૩૭ ના રોજ અમદાવાદમાં થયો હતો.

📨〰 પિતાનું નામ શાંતિલાલ અને માતાનું નામ  તેમણે ઈ.સ.૧૯૬૨માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા.

📨〰ઈ.સ. ૧૯૬૪માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ઈ.સ.૧૯૬૬માં એ જ વિષયોમાં એમ.એ.પાસ કર્યું.

📨〰ઈ.સ.૧૯૫૬ થી ૧૯૫૮ સુધી ટેક્ષ્ટાઈલ ડિઝાઈન સેલ્સમૅન તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટકલાર્ક તરીકે નોકરી કરી હતી.

📨〰ઈ.સ.૧૯૬૬માં ભવન્સ કૉલેજમાં અને પછી ડાકોરમાં વ્યાખ્યાતા.

📨〰અત્યારે ભક્ત વલ્લભ ધોળા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક બન્યા.

📨〰 તેઓ નિરીક્ષક’ અને ‘ઉદગાર’ના તંત્રીપદેરહ્યા હતા. તેમનો ‘આકૃતિ’’એમનો પહેલો કાવ્યસંગ્રહ છે.

📨〰એમનો બીજો ‘’ઓમ તત્ સત્’’ નામક કાવ્યગ્રંથ અત્યંત પ્રયોગશીલ છે.

📨〰એમની લગભગ બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’ પ્રગટ થયો છે.

📨〰એમની રચનારીતિથી ગુજરાતી ગઝલને નૂતન પરિવેશ મળ્યો છે.

📨〰 અત્યંત પ્રયોગશીલતામાં સરી પડેલી એમની ગઝલ પછીથી પરંપરા અને પ્રયોગનો સુભગ સમન્વય સાધે છે.

📨〰 ‘ હસુમતી અને બીજા’માં એમની લાક્ષણિક રચનાઓ સંગૃહીત છે.

📨〰એમણે ‘રે’ કવિમિત્રો સાથે ‘ગઝલ ઉસને છેડી’ તેમ જ ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે ‘ગાઈ તે ગઝલ’ જેવં સંપાદનો આપ્યાં છે.

📨〰‘સુરેશ જોશી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત’- ૧૦-૧૧-૧૨, ‘વિવેચનના વિવિધ અભિગમો’ અને ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (૧૯૮૮) એમનાં સહસંપાદનો છે.

🌻📮સમીર પટેલ 📮🌻
🍂🍂જ્ઞાન કી દુનિયા 🍂🍂

Thursday, 13 April 2017

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “ જગતમાં જે કાંઈ ઉથલ પાથલ થાય છે,તે માનવ દ્વારા જ થતી હોય છે.આ હકીકત છે. તમારો ઉધ્ધાર કરવા કોઈ આવવાનું નથી, તમારો ઉધ્ધાર તમારે જ કરવાનો છે.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “પોતાના ગરીબ અને અભણ બાંધવોની સેવા કરવી એ દરેક સુશિક્ષિત વ્યકિતનું પ્રથમ કર્તવ્ય છે. ઊંચા હોદ્દા પર પહોચ્યા બાદ જો તેઓ દુર્લભ કરશે તો સમાજની નાશ થશે એમાં શંકા નથી.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊  ‘ જે સમાજમાં હું જન્મ્યો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.”

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

📨〰ભારતીય બંધારણના ઘડવૈયા તથા દલિતોના મસીહા એવા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ તા. ૧૪/૪/૧૮૯૧ના દિવસે ઇન્દોરના મહુ ગામમાં અસ્પૃશ્ય ગણાતી એવી મહાર  જાતિમા થયો હતો.

📨〰 પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.

📨〰નાની વયે પિતાનું અવસાન ,બીમાર માતા અને ગરીબાઈ ને કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો.

📨〰 સમાજની અંધશ્રધ્ધા તથા અસ્પૃશ્યતાને કારણે શાળાકીય જીવન દરમ્યાન અનેક હડધૂત અને અપમાન સહન કર્યા.

📨〰સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષ્ણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી.

📨〰એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ ‘ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે.

📨〰આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.

📨〰વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો.

📨〰વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી.તેઓ સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કાયદાપ્રધાન બન્યા.

📨〰ભારતીય બંધારણની રચના કરી.

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿

📨〰ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી.

📨〰ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી.

📨〰 એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો.

📨〰જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે.

📨〰પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ ‘મનુસ્મૃતિ‘ની જાહેરમાં હોળી કરી અને ‘મૂક નાયક‘ મરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

📨〰 સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા.

📨〰ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

📨〰જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.

📨〰 ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.

📨〰દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી અને ભારત રત્ન ડો. બી.આર, આબેડકરનું  ૬ ડીસેમ્બર ૧૯૫૬ના રોજ અવસાન થયું.

⛱ સમીર પટેલ ⛱
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

💐💐 જલિયાવાલા બાગ હત્યાકાંડ💐💐

👉 આજનો દિવસ :-

આજે જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે ...

આજે 13મી એપ્રિલ, જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે. આવો, આપણા ઈતિહાશના આ કાળા પાના પર અંકિત, દેશના મુક્તિ સંગ્રામમાં પોતાના જીવનની આહુતિ આપી જનારા એ શહીદોની સહાદતને નત મસ્તકે અવલોકીએ –

13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના 90 સૈનિકોએ નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી...

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી.

જલિયાંવાલા બાગ તે સમયે ચારે બાજુઓથી મકાનો દ્વારા ઘેરાયેલું ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો જે રોકીને અંગ્રેજોના સૈનિકો ઉભા રહી ગયા હતા. લોકોને ભાગવા માટે કોઈ રસ્તો ન હતો.

કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ તે કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી.

આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડમાં 1000થી વધારે લોકો સહાદતને વર્યા હતા (સતાવાર આંક કેવળ 400 લોકો મર્યાનો આપવામાં આવે છે) અને હજારો લોકો ઘાયલ થયા હતા ...

જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું.

1940માં જનરલ ડાયરની હત્યા કરવામાં આવી હતી.. જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો.

ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંसસી આપવામાં આવી હતી.

આઝાદી માટે લોકોના જોશમાં આ ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની ઝંખના વધવા લાગી હતી.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં તેમને બ્રિટીશ સરકાર તરફથી મળેલો નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.

જલિયાંવાલા બાગના આ જધન્ય હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. આ હત્યા કાંડની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે દેશની સહાદતના યજ્ઞમા 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢી પોતાની આહુતી આપી હતી....



આ સંદર્ભમાં હું માનુ છું કે 4 મીનીટની ઉપરોક્ત વીડીઓ ક્લીપ પ્રત્યેક ભારતીયે જોવી જ જોઈએ અને પોતાના બાળકોને પણ બતાવવી જોઈએ. આ વિડીયો ક્લીપ એ બ્રિટીશ સામ્રાજ્યએ ભારતની પ્રજા પર આચરેલ હેવાનીયનો પુરાવો છે એ જોઈને કોઈ પણ ભારતવાસીની આંખ ભીની થયા વગર રહેશે નહીં ...

👉 ઈતિહાસ માટે કહેવાય છે કે જે પ્રજા પોતાના ઈતિહાસ પરથી કોઈ બોધ લેતી નથી, ઈતિહાસ તેને પોતાના પાના પરથી ભૂસી નાખે છે. ઈતિહાસના પાના પરથી આપણું અસ્તિત્વ ન ભૂસાઈ જાય તે માટે આજના આ કાળા દિવશે આપણે સંકલ્પ કરીએ કે દેશ સાથે ગદ્દારી કરનાર કોઈની સાથે આપણે ઝૂકીશું નહી.

આવો, આપણા ઈતિહાસની આ વરવી ઘટનાની સ્મૃતિમાં, આપણા સ્વતંત્ર સંગ્રામની વેદી ઉપર પોતાની આહુતિ આપી જનારા એ સહિદોને નત મસ્તકે શ્રધ્ધાંજલી અર્પીએ ..

અય મેરે વતન કે લોગો, જરા આંખમેં ભરલો પાની;
જો શહીદ હુએ હૈ ઉન કી, જરા યાદ કરો કુરબાની કો ....

💐💐💐💐💐💐🌷⛳

💐💐 રતુભાઇ અદાણી 💐💐

👉 આજનો દિવસ :-

    રતુભાઇ અદાણી

ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઇ અદાણીનો જન્મ 13/4/1914 ના રોજ થયો હતો.પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્દઢ થઇ. ધોલેરા છાવણી કૂચ લઇ જતા તેમને ગિરફતાર કર્યા, જેલના જડ નિયમોના વિરોધમાં જેલમાં પણ સત્યાગ્રહ આરંભ્યો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ નું અધ્યયન કર્યું. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃતિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું. ‘આરઝી હકૂમત’ ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઇએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ગૃહખાતા તરફથી રતુભાઇની માનદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત રાજયની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. કેશોદની અક્ષયગઢની હોસ્પિટલને માત્ર રુગ્ણાલય જ નહિ, પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. તેમણે ગ્રામ જીવનના અનુભવો લખવા કલમ ઉઠાવી. ઇ.સ.1997 માં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ચિરવિદાયથી ગુજરાતે ગાંધીયુગનો મુટ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો. ‘આરઝી હકૂમત આવતાં નાઠયો તહીં નવાબ, એની રાંધી રહી ગઇ રાબ, વાહે થાતા વાણિયો.’

💐📨💐📨💐📨💐📨💐📨

Wednesday, 12 April 2017

One liner gk👍

🍀સિલ્ક રુટ (silk route) નો આરંભ ભારતના કયા રાજવીએ કર્યો હતો?

  ➖            કનિષ્ક
🍀'ક્રિસ્ટીન લેગાર્ડ' કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે?

➖                IMF        
  🍀લાઈફ ડીવાઈન'  પુસ્તકના લેખક કોણ?

➖               અરવિંદ ઘોષ
🍀ક્યાં રાષ્ટ્રપતિનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.

➖       ગ્યાલી ઝૈલ સિંહ
🍀ઈરાક' નું જુનું નામ શું હતું?

  ➖               મેસોપોટેમિયા
🍀કોર્પોરેટ ચાણક્ય' આ પુસ્તકના લેખક કોણ?

➖              રાધાકૃષ્ણન પિલ્લઈ
🍀હિન્દીના પહેલા સમાચાર પત્રનું નામ શું હતું?

  ➖        ઉદન્ત માર્તંડ

🍂ભોગીલાલ સાંડેસરા🍂

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🍃૧૩ એપ્રિલ
🍂ભોગીલાલ સાંડેસરા🍂
                      
🛍〰ગુજરાતી વિવેચક, સંપાદક ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરાનો  જન્મ તા. ૧૩/૪/૧૯૧૭ના રોજ પાટણ તાલુકાના સંડેરમાં થયો હતો.

🛍〰 ઈ.સ.૧૯૩૫માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી.

🛍〰ઈ.સ.૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં જોડાયા.

🛍〰 ઈ.સ.૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ની ઉપાધી મેળવી હતી.

🛍〰ઈ.સ.૧૯૪૩ થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક તરીકેની કામગીરી કરી..

🛍〰ઈ.સ. ૧૯૫૦માં પીએચ.ડી. થયા. ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૭૫ સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવા આપી.

🛍〰ઈ.સ.૧૯૫૮ થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક તરીકે કામગીરી કરી.

🛍〰ઈ.સ. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ ચૂંટાયા.

🛍〰ઈ.સ.૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ અને ઈ.સ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી.

🎁👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🎁

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍〰ઈ.સ.૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો.

🛍〰તેમને અનેક પારિતોષિક તથા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઈ.સ.૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક.

🛍〰ઈ.સ.૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક એનાયત થયેલ છે.

🛍〰તેમણે  ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં
🍃વૃત્તરચના’ ,
🍃ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરનાં પાંચ વ્યાખ્યાનો આપતું ‘શબ્દ અને અર્થ’ ,
🍃શોધપ્રબંધ ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા
🍃 સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ , પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા વર્ણવતું ‘પ્રદક્ષિણા’ , ‘દયારામ’ ,
🍃લેખસંગ્રહ ‘સંશોધનની કેડી’ , ‘ઇતિહાસ અને સાહિત્ય’ ,
🍃ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહો ‘અન્વેષણા’  અને ‘અનુસ્મૃતિ’ , ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’  વગેરે એમનાં મૌલિક પુસ્તકો છે.

🛍〰‘વાઘેલાઓનું ગુજરાત’ , ‘ઇતિહાસની કેડી’ , ‘જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ’ , ‘જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો’ , ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’  વગેરે એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક પુસ્તકો છે.

🏵સમીર પટેલ 🏵
🌻🛡જ્ઞાન કી દુનિયા 🛡🌻

👯👯💃ઈલાક્ષી ઠાકોર👯👯

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🍂૧૨ એપ્રિલ
💃ઈલાક્ષી ઠાકોર
                             
🍃〰ભરતનાટ્યમની રચનાઓની ગુજરાતી ભક્તિગીતોની સાથે સમન્વય કરી નૃત્યશૈલીને પોતીકી બનાવનાર ગુજરાતી વિખ્યાત નૃત્યાંગના ઈલાક્ષી ઠાકોરનો જન્મ તા. ૧૨/૪/૧૯૩૬ના રોજ પુણેમાં થયો હતો.

🍃〰પિતાનું નામ ઠાકોરદાસ અને માતાનું નામ ધનલક્ષ્મી હતું.

🍃〰 બાળપણમાં રંગા વિઠ્ઠલ નામના નૃત્યકાર પાસે નૃત્યની તાલીમ લીધી.

🍃〰ત્યારબાદ નૃત્યયાત્રાનો પ્રારંભ રોહિણીબેનપાસેથી કથક નૃત્યની તાલીમ દ્વારા થયો.

🍃〰ભરતનાટ્યમ નૃત્યમાં રસ પડતાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મ્યુઝીક કોલેજમાં ઈ.સ. ૧૯૬૦માં તે M.Mus ની ડીગ્રી પ્રાપ્ત કરી.

🍃〰અરુણભાઈ ઠાકોર સાથે લગ્નથી જોડાયા પછી ઈ.સ. ૧૯૬૦માં ‘ નૃત્યભારતી’ સંસ્થાની સ્થાપના કરી.

🍃〰 તેની શાખાઓ માત્ર ભારતમાં જ નહી પણ અમેરિકા, ન્યુઝીલેન્ડ , કેનેડા અને જાપાનમાં વિસ્તરી ચૂકી છે.

🍃〰લગભગ ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી નૃત્યની તાલીમ લીધી છે.

🍃〰તેમણે ગુજરાતી ભાષામાં ભરતનાટ્યમ નૃત્યની રચનાઓ રજૂ કરી છે. કવિ નરસિંહ મહેતા , સરોજીની નાયડુ, મીરાંબાઈ, ન્હાનાલાલ, પ્રેમાનંદ વગેરે ભક્ત કવિઓના કાવ્યોમાં નૃત્યમાં ઉતારી, નૃત્ય તથા સાહિત્ય બંનેને લોકભોગ્ય બનાવ્યા છે.

🍃〰દક્ષિણ ભારતીય પરંપરાગત નૃત્ય શૈલીના માર્ગે ગુજરાતી તેન જ હિન્દી ભાષામાં અનુવાદિત કરી તેને સમજાવવામાં સરળ બનાવ્યું છે.

🍃〰આવા જ નવતર પ્રયોગ દ્વારા અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાઓની કવિતાઓ ઉપર પણ નૃત્ય સંયોજનો સફળતાપૂર્વક કરેલા છે.

🍃〰નૃત્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમણે અનેક સંસ્થાઓ દ્વારા સન્માનવામાં આવ્યા છે.

🍃〰તેમણે ઈ.સ. ૧૯૭૨ થી ગુજરાત સંગીત નાટક અકાદમીના સક્રિય સભ્ય તરીકે સેવા આપી છે.

💃👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿💃

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💃

🍃〰તેમણે ગુજરાતની અનેક કોલેજોમાં નૃત્યના વિષય માટે વીઝીટીંગ લેકચરર તરીકે પણ સેવાઓ આપી છે.

🍃〰નૃત્યક્ષેત્રે પીએચડી કરી રહેલ વિદ્યાર્થીઓને પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડેલ છે.

🍃〰તેમના માર્ગદર્શન હેઠળ શ્રીલંકા, પૂર્વ આફ્રિકા, અમેરિકા જેવા અનેક દેશોમાં ઘણાં બધાં નૃત્યકાર્યક્રમો, વ્યાખ્યાનો તથા નૃત્યશિબિરનું આયોજન થયું છે.

🍃〰તેમણે દુરદર્શન, આકાશવાણી, યુનિવર્સિટીઓ, ગુજરાત ટુરીઝમ વગેરે જગ્યાઓએ વર્કશોપ તથા સેમિનારના સફળ આયોજન કરેલ છે.

🍃〰તેમણે ઈ.સ.૧૯૭૫માં નૃત્યભારતી પરફોમીંગ આટર્સ ની સ્થાપના કરી છે. 

🍃〰ટેનમાં વિશિષ્ટ પ્રદાન બદલ વડોદરાની નાટ્ય સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૭૯માં ‘ ત્રિવેણી એવોર્ડ’ ગુજરાત સરકાર તરફથી ઈ.સ.૧૯૮૧માં ‘ ગૌરવ પુરસ્કાર’, મુંબઈની અમૃત સંસ્થા તરફથી ઈ.સ.૧૯૮૨માં’ અમૃતા એવોર્ડ’ અને યુએસએન ટેનીસી તફથી ઈ.સ. ૧૯૯૯માં ‘ પોટલુરી એવોર્ડ થી સન્માનિત કર્યા છે.

🏵સમીર પટેલ 🏵
🛍📮જ્ઞાન કી દુનિયા 📮🛍