👳🏼👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👳🏼
📡 *૨૪ જૂન જન્મ*
💥 *ઓમકારનાથ ઠાકુર* 💥
📮➖ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન જ્યોતિધર પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ તા. ૨૪/૬/૧૮૯૭ના રોજ ખેડા જીલ્લાના જહાજ નામના એક નાનકડા ગામમાં થયો હતો.
📮➖ તેમના પિતા ગૌરીશંકર ઠાકુર વડોદરા રાજ્યમાં કારકૂન તરીકે સરકારી નોકરી કરતા હતા.
📮➖માતાનું નામ ઝ્વેરીબા હતું.
📮➖તેમના પિતા ૐકાર મંત્રના સાધક હતા.
📮➖ઓમકારનું બાળપણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે શરૂ થયું હતું.
📮➖બચપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો.
📮➖ભરૂચના એક શ્રીમંત પારસી એ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે શિક્ષણ માટે આર્થિક સહાય કરી હતી.
📮➖તેઓ ગુરુ પાસે સાતેક વર્ષ મુંબઈમાં રહીને સંગીતની સાધના કરી.
📮➖પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરએ લાહોર ખાતેની ગાંધર્વ સંગીત વિદ્યાલયના આચાર્યપદે તેમની નિમણૂંક કરી. ત્યાં ત્રણેક વર્ષ રહી વિદ્યાલયના કુલગુરૂ બન્યા.
📮➖ નર્મદાકાંઠે ઝૂંપડીમાં રહીને અંબુભાઈ પુરાણી સાથે તેમણે સાધના કરી.
📮➖ભરૂચમાં તેમણે ‘ ગાંધર્વ નિકેતન’ નામની એક સંગીત સંસ્થાની સ્થાપના કરી.
📮➖ઈ.સ.૧૯૨૨માં ઇન્દીરાબેન ભટ્ટ સાથે લગ્ન કર્યા.
📮➖દેશભરમાં જ્યાં પણ સંગીત સંમેલનો ભરાય ત્યાં તેમણે આદરપૂર્વક આમંત્રણ મળતા હતા.
📮➖ ઈ.સ. ૧૯૩૩માં ફ્લોરેન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં તેમણે ભાગ લીધો અને ભારતીય સંગીતની ખ્યાતી વધારી હતી.
📮➖ તેમણે જર્મની, હોલેન્ડ, ઇટાલી , ઇંગ્લેન્ડ, ફ્રાંસ, સ્વિઝરલેન્ડ જેવા અનેક દેશોના પ્રવાસ કર્યો.
📮➖ ઈ.સ. ૧૯૩૩માં એક પ્રવાસ દરમ્યાન પ્રસુતિમાં પત્ની અને બાળકનું અવસાન થતાં તેઓ ખૂબ જ વ્યથિત થયા ત્યારપછી તેઓ ભરૂચ છોડી મુંબઈમાં વસવાટ કર્યો.
👳🏼👇🏿👇🏿
No comments:
Post a Comment