💐 *અવસાન* 💐
*૨૦ મે ૨૦૧૨*
*પટેલ ભોળાભાઈ શંકરભાઈ*
👉🏿પટેલ ભોળાભાઈ શંકરભાઈ નિબંધકાર, વિવેચક, સંપાદક અનુવાદક.
👉🏿જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી.
👉🏿૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.
👉🏿૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.
👉🏿૧૯૭૦માં અંગ્રેજી - ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ.
👉🏿૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય : એક અધ્ધયન’ વિષય પર પીએચ.ડી.
👉🏿૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક.
👉🏿ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯થી હિદીના વ્યાખ્યતા અને ૧૯૮૦થી રીડર.
👉🏿હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત.
👉🏿૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો.
👉🏿‘પરબ’ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.
👉🏿ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ.
👉🏿આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે તેમનું અવસાન થયું.
👉🏿તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા *સૌહાર્દ પુરસ્કાર* (૧૯૮૮),
👉🏿ગુજરાત સાહિત્યસભા દ્વારા *રણજિતરામ સુવર્ણચંદ્રક* (૧૯૯૫)
👉🏿 હિન્દી સાહિત્યસેવી સન્માન, ગાંધીનગર ૨૦૦૦;
👉🏿શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫;
👉🏿સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫
👉🏿ભારત સરકાર તરફથી *‘પદ્મશ્રી’* ૨૦૦૮ અને
👉🏿 સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન ‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે.
👉🏿 તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’,
👉🏿હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર, કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩;
👉🏿સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩.
👉🏿મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના અનેક પુસ્તકોને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે.
🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍
No comments:
Post a Comment