💐 *અવસાન* 💐
*૨૦ મે ૧૯૮૫*
✔ *શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા*
👉🏿 શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા (૧૫ ઓક્ટોબર, ૧૯૨૯ - ૨૦ મે, ૧૯૮૫) જેઓ શેખાદમ ના ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા.
📚 *જીવન* 📚
👉🏿તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાંપત્રકાર તરીકે જોડાયા.
👉🏿તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા.
👉🏿૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં 'વૉઇસ ઑફ જર્મની'માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું.
👉🏿ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.
✍🏿 *સર્જન* ✍🏿
👉🏿ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.
👉🏿તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે.
અજંપો (૧૯૫૯),
હવાની હવેલી(૧૯૭૮),
સોનેરી લટ (૧૯૫૯),
ખુરશી (૧૯૭૫),
તાજમહાલ(૧૯૭૨)
👉🏿 એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.
🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍
No comments:
Post a Comment