*આયોજન પંચ*
➖ *ભારત દેશમાં આઝાદી પછી પંદરમી માર્ચ, ૧૯૫૦ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી.*
➖ *આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.*
➖ આ ઉપરાંત એના ઉપાધ્યક્ષ હોય છે.
➖એમની સાથે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વ્યવસ્થાપન અને જાહેર વહીવટ જેવાં ક્ષેત્રોનાં નિષ્ણાંત સભ્યો તેમાં કામ કરે છે.
➖આયોજન પંચ દેશના વિકાસ માટે *દૂરલક્ષી યોજના, પંચવર્ષીય યોજના તેમજ વાર્ષિક યોજના એમ ત્રણ પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે.*
➖➖➖➖➖➖➖➖➖➖
*પ્રથમ પંચવર્ષીય યોજના*
➖ પ્રથમ પંચવર્ષીય યોજના ભારત દેશના આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
➖યોજનાની મુદત વર્ષ ૧૯૫૧થી ૧૯૫૬ સુધીની રાખવામાં આવી હતી.
➖આ યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
➖આ યોજનામાં રૂ. ૨૦૬૯ કરોડ જેટલો ખર્ચ થયો હતો.
➖➖➖➖➖➖➖➖➖➖
No comments:
Post a Comment