👆🏿🌺👆🏿🌺👆🏿🌺👆🏿🌺👆🏿
👨🌾 *આજનો ઇતિહાસ* 👨🌾
🌺 *વિનમ્ર સેવક: નાગરદાસ શ્રીમાળી* 🌺
👉🏿 ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં એક ૨૨ વર્ષનો યુવાન સાબરમતી જેલમાં આવ્યો પાંચ મહિના કઠોર જેલ વેઠી. એજ સમયે કવિતા લખી. :...
*"ઉઠો વીરો જાગો સૌએ, ઊગ્યું છે મંગલ પ્રભાત, શ્રમસેવાંને સ્વાપર્ણનું સૌ બાંધીને ભાથું સંગાથ"*
👉🏿 આ યુવાન એટલે નાગરદાસ દેવાભાઇ શ્રીમાળી....
👉🏿 વિરમગામના પ્રસિદ્ધ મીઠા સત્યાગ્રહ બાદ હરિજન છાત્રાલયમાં ભણ્યા.
👉🏿 ૧૯૩૮માં હરીપુરા કોંગ્રેસમાં સમાજસેવાની પ્રતિજ્ઞા લીધી.
👉🏿 ૧૯૩૯માં વર્નાક્યુલર પરિક્ષા પાસ થવા બદલ નરહરિ પરીખના હસ્તે
*'રેંટિયો'* (શ્રમનું પ્રતીક),
*'સાવરણો'* (સ્વચ્છતાનું પ્રતીક)
*'ગીતા'* (આધ્યાત્મિકતાનું પ્રતીક)
પ્રાપ્ત થયા.
👉🏿 ૧૯૪૦માં ઘરવાળાના વિરોધની વચ્ચે ખાદીના કપડા પહેરી લગ્ન કર્યા.
👉🏿 નાગરદાસ શ્રીમાળીનું અતિ મહત્વનું કામ તે વિરમગામમાં શરૂ કરેલા કુમાર-કન્યા છાત્રાલયો. એક શિક્ષક શિસ્ત, સંચાલન, આર્થિક સદ્ધરતા અને સમાજ પરિવર્તનનું જ્વલંત દ્રષ્ટાંત નાગરદાસ શ્રીમાળી છે.
👉🏿 તેમની સંસ્થાએ અનેક આઇ.એ.એસ અધિકારી, ડોકટરો, ઇજનેરો, પ્રોફેસરો આપ્યા છે.
👉🏿 દલિત ચિંતક અને ભજનિક એવા નાગરદાસનું ૨૯ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ અવસાન થયું હતું.
*⚓રોહિત.....*
🚔🚔🚔 *જ્ઞાન કી દુનિયા* 🚔🚔🚔
No comments:
Post a Comment