Tuesday 11 July 2017

💥 *હંસાબહેન મહેતા* 💥

👩🏻‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🌾

📡 *૩ જુલાઇ જન્મદિન*
💥 *હંસાબહેન મહેતા* 💥

📮➖મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર, લેખિકા હંસાબેન જીવરાજ મહેતાનો જન્મ તા. ૩/૭/૧૮૯૭ના રોજ સુરતમાં થયો હતો.

📮➖પિતાનું નામ મનુભાઈ અને માતાનું નામ હર્ષદકુમારી હતું.

📮➖તેમના પિતા વડોદરા રાજ્યના દિવાન હતા.

📮➖ નંદશંકર તેમના દાદા હતા.

📮➖ઈ.સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થઇ સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસર્થે લંડન ગયા.

📮➖વડોદરા રાજ્યમાં ચીફ મેડીકલ તરીકે સેવાઓ આપતા ડૉ. જીવરાજ મહેતા સાથે ઈ.સ. ૧૯૨૪માં લગ્ન કર્યા.

📮➖તેમણે ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો.

📮➖આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા. આ તેજસ્વી મહિલાની કીર્તિ ચારેકોર ફેલાઈ ગઈ.

📮➖ ઈ.સ. ૧૯૩૪માં તેઓ મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યાં.

📮➖ ઈ.સ. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાયા અને શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી.

📮➖ ઈ.સ.૧૯૪૬માં તેઓ વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા ઉપ કુલપતિ બન્યાં.

📮➖ ઈ.સ. ૧૯૪૭માં તેમની ‘યુનો’ ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઇ.

📮➖એમને ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી દેશને આઝાદી મળી તે પછી ઈ.સ.૧૯૪૯માંતેમણે ભારતનું પ્રતિનિધિ તરીકે ‘ યુનો’ના માનવ હક્ક કમિશનમાં સભ્ય તરીકે લેક સસેક્સમાં ભરાયેલી માનવ અધિકાર સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.

📮➖અને માનવ હક્ક માટેના કાનૂન અંગેના મુસદો, સમાજસેવા, સામાજિક  નીતિ, વિકાસ, સરંક્ષણ વગેરે પ્રશ્નો એન્ગે સારી કામગીરી કરી હતી.

📮➖ભારતનો સાંસ્કૃતિક ઘડવામાં, ભારતીય સંસ્કૃતિનું પ્રસારણ કરવામાં, શિક્ષણક્ષેત્રે આપેલી અનન્ય સેવાઓને લક્ષ્યમાં રાખી ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે તેમને’ પદ્મભૂષણ’ઈલકાબ આપી સન્માનિત કર્યા હતા.

📮➖ઈ.સ. ૧૯૫૮માંઅલ્હાબાદ યુનિવર્સિટીએ તેમનેડી.લિટ. ની પદવી એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું.

📮➖જર્મનીના મ્યુનિક શહેરમાં સમાજસેવા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી અને પેરિસમાં ઈ.સ. ૧૯૫૮માં મળેલી વર્લ્ડ ફેમિલી કોંગ્રેસમાં તેઓ ગયેલા હિન્દી પ્રતિનિધિ મંડળના નેતા બન્યાં.

📮➖ઈ.સ. ૧૯૫૬માં દિલ્હી ખાતે મળેલ યુનેસ્કો કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. તેમને લેખનશક્તિ વારસામાં મળી હતી.

📮➖તેમણે નાનામોટા ૧૬ ગુજરાતી અને ચાર અંગેજી મળીને કુલ ૨૦ પુસ્તકો લખ્યા છે.

📮➖આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકોનું ગુજરાતી અનુવાદ તથા રામાયણના કેટલાક કાંડનો સમાવેશ થાય છે.

📮➖આ ઉપરાંત તેમણે બાળવાર્તાઓ પણ આપી છે. આમ વહીવટ, સાહિત્ય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર હંસાબેન મહેતાનું ચોથી એપ્રિલ ૧૯૯૫ના રોજ અવસાન થયું. 

⭐〰 *સમીર પટેલ* 〰⭐
📜🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙📜

No comments:

Post a Comment