📖કોઠારી પંચ📖
🔅બીજું નામ➖રાષ્ટ્રીય શિક્ષણ પંચ (૧૯૬૪-૬૬)
🔆 ભારત સરકારે 4 જુલાઈ, 1964ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પ્રો. ડી. એચ. કોઠારીના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક કરી.
🔆આ પંચમાં 14 જેટલા સભ્યો હતા. તેમાં 9 ભારતીય અને 5 ભારત સિવાયના સભ્યો હતા.
🔆કોઠારી કમિશન ભારતના શિક્ષણના ઈતિહાસમાં ‘મેગ્નાકાર્ટા’ તરીકે જાણીતું બન્યું હતું.
💢ભારતના શૈક્ષણિક ઈતિહાસમાં આ આયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનાં બે કારણો છે.
(૧) શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક વિચાર
(ર) રાષ્ટ્રીય શિક્ષણનીતિનું માળખું તૈયાર કર્યું.
🔆 સરકાર દ્વારા શિક્ષણ માટે રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું. પરંતુ વાસ્વતિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સંર્વાંગી અભ્યાસ કરનાર આ પ્રથમ પંચ હતું. જેના પરિણામ સ્વરૂપ ૧૯૬૮માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. તેની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.
🔅રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી.
🔅યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવી.
🔅 સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા.
🖊જય ભાઈ
🔆જ્ઞાન કી દુનિયા🔆
🔅Mission Tet🔅
No comments:
Post a Comment